Raj Thakre seems not good for Gujaratis(Gujarati Text)

This article is from JP’s column Andar Bahar Gujarat(ABG) http://DeshGujarat.Com/ABG
![]() |
ઉગતો જ પછાડજો: રાજ ઠાકરે ગુજરાતીઓ માટે સારો લાગતો નથી
-મુંબઈને સીટી સ્ટેટ બનાવી દેવુ જોઈએ
9-02-2008
રાજ ઠાકરેના મહારાષ્ટ્રપ્રેમમાં અને નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રેમમાં શું ફર્ક છે? ફર્ક એ છે કે જ્યાં રાજ ઠાકરેનો મહારાષ્ટ્રપ્રેમ નેગેટીવ કર્તુત્વ પર ઉતરી આવે છે ત્યાં મોદીનો ગુજરાતપ્રેમ હંમેશા પોઝીટીવ રહ્યો છે. મોદીનું વિઝન રહ્યું છે કે ગુજરાતનો વિકાસ કરવો અને તે દ્વારા ભારતનો વિકાસ. એક મુખ્યમંત્રી તરીકે મોદી, અને એમની ટીમ તરીકે પ્રત્યેક ગુજરાતી ગુજરાતના વિકાસ તરફ જોઈને પોતપોતાનુ કામ કરે એ પોઝીટીવ દેશપ્રેમ છે. જ્યારે રાજ ઠાકરે મુંબઈમાં વસતા ઉત્તર ભારતીયો સામે નિવેદનો અને મારામારી સુદ્ધા પર ઉતરી આવીને બહુજ નેગેટીવ અને નાની કક્ષાના મહારાષ્ટ્રીયન દેશપ્રેમના ટ્રેક પર છે. રાજ ઠાકરે સ્ટાઈલની વિચારનીતિથી મુંબઈમાં મરાઠીઓ સિવાયનાનો વિરોધ એ મહારાષ્ટ્રપ્રેમનું સમાનાર્થી થઈ ગયુ છે.
અને યાદ રહે કે મહારાષ્ટ્રના અને ખાસ કરીને તો મુંબઈના બિનમરાઠીઓની ઠાકરે પરિવારની યાદીમાં ગુજરાતીઓ પણ આવી જાય છે.રાજ ઠાકરેએ તેમના અમિતાભ બચ્ચન વિરૂદ્ધના બયાનમાં એ વાત પર ગુસ્સો પ્રગટ કર્યો છે કે મુંબઈમાં રહેતા અમિતાભે પોતાની પુત્રવધુના નામે કોલેજ ઉત્તરપ્રદેશમાં કેમ ખોલાવી? વિચાર કરો, આ માનસિકતા ધરાવતો રાજ ઠાકરે જાહેરમાં નહી તો કમસેકમ મનોમન એવા ગુજરાતીઓ માટે કેટલો ગુસ્સો ધરાવતો હશે કે જેમણે મુંબઈમાં રહીને ગુજરાતમાં સેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી છે? ગુજરાતની પાંજરાપોળોથી માંડીને કોલેજો, આરોગ્યની સુવિધાઓ વગેરે ઉભી કરવામાં અને ચાલતી રાખવામાં મુંબઈ સ્થિત ગુજરાતીઓનું બહુજ મોટુ પ્રમાણ છે. ઉદાહરણ તરીકે જુઓ તો મુંબઈના ગુજરાતીઓ સી.યુ.શાહ, દિપચંદ ગાર્ડીએ ગુજરાતમાં દર્જનો શિક્ષણ સંસ્થાઓ ખોલાવી છે. ભાવનગરમાં હમણા સાયન્સ સિટિ બની રહી છે જેના માટેનું દાન મુંબઈના ફેવિકોલ કંપનીવાળા ગુજરાતી શેઠે આપ્યું છે. કચ્છીઓ તો મુંબઈથી ફ્લાઈટ પકડીને દરરોજ ભુજ ઉતરે છે અને ગામમાં જઈને સંસ્થાનું કામકાજ જોઈ વળતી ફ્લાઈટે પાછા જાય છે. મુંબઈના ગિરીશભાઈ શાહ સાથે હું સૌરાષ્ટ્રમાં ખૂબ ફર્યો છું. ગિરીશભાઈ મુંબઈથી કરોડોનું દાન લાવીને ગુજરાતની પાંજરાપોળોના ગોચર-તળાવ નવસાધ્ય કરવાનું કામ કરે છે. આ માટે વારંવાર ગુજરાત આવે છે. આવો રાજ ઠાકરે ભૂલેચૂકે ક્યારેક મહારાષ્ટ્રમાં સત્તા પર આવે તો ગુજરાતીઓને ચોક્કસ ફટકો પડે.
ભૂતકાળમાં રેલવેની ભરતીની મુંબઈમાં પરીક્ષા હતી ત્યારે શિવસૈનિકોએ પરીક્ષા આપવા આવેલા બિનમરાઠીઓને રેલવે સ્ટેશનો પર પકડી પકડીને મારીને પાછા મોકલી દીધા હતા. આમાં ગુજરાતી છોકરાઓએ પણ માર ખાધેલા છે. શિવસૈનિકોએ આ મારામારી એટલા માટે કરી હતી કારણકે રેલવેમાં મરાઠીઓને જ નોકરી મળવી જોઈએ એવુ તેમનુ માનવુ હતુ. મુંબઈમાં સાર્વજનિક ગણેશ ઉત્સવ હોય તો તેનો ફાળો ઉઘરાવવા નીકળેલા શિવસૈનિકો પહેલ્લા ગુજરાતીઓના ઘરમાં જાય છે અને ખંડણી વસૂલતા હોય એમ વધુ ફાળો લઈ લે છે. જ્યારે બાલાસાહેબ ઠાકરેના પત્નીની પ્રતિમા પર કોઈએ કાદવ લગાવ્યો હતો ત્યારે શિવસૈનિકોએ ગુજરાતના સુરતની બસ સળગાવી નાખી હતી. હમણા તો બાલાસાહેબ ઠાકરેને ગુજરાતના નરેન્દ્ર મોદીની પ્રગતિની ઈર્ષ્યા આવે છે એ શિવસેનાના તેમના મુખપત્ર સામનામાં જાહેર પણ થયું.
રાજ ઠાકરે બ્રાન્ડ પોલીટીક્સથી આજે જે રીતે ઉત્તર ભારતીયોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે, ઉત્તર ભારતથી આવેલા ટેક્સી ચાલકો ને ફેરિયાઓને પકડી પકડીને મારવામાં આવ્યા છે તેમ ભવિષ્યમાં ગુજરાતીઓને પણ ટાર્ગેટ કરવામાં આવે એની પૂરી શક્યતા છે. ઠાકરે પરિવાર ગુજરાતના હિતમાં નથી.
મને યાદ છે કે વર્ષો પહેલા, ૧૯૯૦ના દશકમાં મેં ગુજરાતી ઈન્ડિયા ટુડેમાં બાલાસાહેબ ઠાકરેનો ઈન્ટરવ્યૂ વાંચ્યો હતો જેમાં બાલાસાહેબે કહ્યુ હતુ કે તેમણે એક ઠેકાણે ગુજરાતીની મિલકત પર બોર્ડ લાગેલુ જોયુ હતુ જેમાં લખેલુ હતુ કે ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ બાલાસાહેબે આને અનુલક્ષીને ઈન્ટરવ્યૂમાં આશ્ચર્ય અને નારાજગી વ્યકત કરી હતી અને કહ્યું હતુ કે અમારા મુંબઈમાં ગુજરાતીઓ રહે છે એટલે શું તે ગુજરાત છે? ના મહારાષ્ટ્ર જ છે. બાલાસાહેબ ઠાકરેએ ગોડસે મહારાષ્ટ્રીયન હતો માટે તેની તરફદારી કરવામાં અને મોરારજી દેસાઈ, ગાંધીજી ગુજરાતી હતા માટે તેમનો વિરોધ કરવામાં કશું બાકી રાખ્યુ ન હતુ. ઠાકરેનો મત એવો છે કે આઝાદીનું ખરુ કાર્ય ગુજરાતના ગાંધીએ નહીં પણ મહારાષ્ટ્રના લોકમાન્ય તિલક અને વીર સાવરકરે કર્યુ હતુ. ઠાકરેએ ભારતના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં પણ કોંગ્રેસના કૌભાંડી ઉમેદવાર પ્રતિભા પાટીલનું માત્ર એ કારણસર સમર્થન કર્યુ હતુ કારણકે તેઓ મહારાષ્ટ્રના છે. ઠાકરેએ આ નિર્ણય લેતી વખતે એ ન જોયુ કે પ્રતિભા પાટીલ રાજસ્થાનના ગવર્નર હતા ત્યારે તેમણે ભાજપની રાજ્ય સરકારે પસાર કરેલો ધર્મંતર વિરોધી કાયદો અમલી બનવા દીધો ન હતો અને પાછો મોકલ્યો હતો. ઠાકરે માટે હિંદુત્વ કરતા પણ મરાઠીવાદ વધુ અહેમિયત રાખે છે એનું આ ઉદાહરણ છે.
હકીકતમાં જે મુંબઈને ઠાકરે પરિવર પોતાના બાપાજીની જાગીર સમજી બેઠુ છે એ મુબઈને સીટી સ્ટેટ બનાવી દેવાની જરૂર છે. મુંબઈ સિવાયનો બાકીનો ભાગ મહારાષ્ટ્રમાં રહે અને મુંબઈ પોતે ગોવા કે દિલ્હીની માફક એક રાજ્ય અથવા કેન્દ્રશાષિત પ્રદેશ રહે એ પરફેક્ટ રેસીપી છે. અમદાવાદ માટે કહી શકાય કે અમદાવાદ ગુજરાતમાં છે, ગુજરાતનુ છે અને ગુજરાતીઓનું છે. પણ મુંબઈની વસ્તી જુઓ તો સ્પષ્ટ થાય છે કે મુંબઈ મહારાષ્ટ્રમાં ચોક્કસ છે પણ મહારાષ્ટ્રનું નથી અને માત્ર મરાઠીઓનું તો નથી જ. રાજ ઠાકરેને જો મહારાષ્ટ્રની બહુજ ચિંતા થતી હોય તો તેમણે વિદર્ભના આત્મહત્યા કરનારા મરાઠી ખેડૂતોની સાથે જઈને રહેવુ જોઈએ અને એમના ઉત્થાનનું કાર્ય કરવુ જોઈએ. બેઠા બેઠા નિવેદનો આપવાનું અને ગુંડા કાર્યકરોને મરાઠીયતનો નશો ચડાવીને મારામારી કરવા રખડતા મૂકવાનું તો બહુજ સરળ છે મીસ્ટર ઠાકરે.
તા.ક. રાજ ઠાકરેએ એમની મુંબઈની પત્રકાર પરિષદમાં કહ્યું છે કે તેમના ઉત્તરભારતીય લોકો સામેના આક્રોશના ટાર્ગેટ માત્ર ઉત્તર પ્રદેશ અને બિહારવાળાઓ છે. ગુજરાતીઓ અને દક્ષિણ ભારતીયો તો મુંબઈમાં દૂધમાં સાકરની માફક ભળીને રહે છે.





















February 10th, 2008 at 2:25 am
tunki budhi na thakare brothers including balasaheb,
February 10th, 2008 at 4:06 am
|| JAI SHREE KRISHNA ||
maharastra na gujaratioe fakta ane fakta BJPnej vote aapvo joiye……bhartiya janata parti ni idology hindutwa ane development ni chhe….shivsena hinutwa no mukhwato pehri marathi ane gujartione ane northindian-hinduwaadione bewakuf banave chhe… tyaare ek ek gujaratioe bharatma je state ma teo rahe chhe, tyaa farajyaat voting karvu j joiye ane BJPne j potano kimti vote aapvo joiye….ahi khaas kehwanu ke maharastra ma SHIVSENA paase jetla ummidwaar chhe tetlaaj ummidwaar BJP paase chhe….
shivsena ane mns ni idology gandi ane pachhaat chhe maate j shivsena aajsudhi ek pradesik-parti rahi chhe ane rahshe….BJP national-parti ane deshni southi motama moti parti tarike ubhri rahi chhe….jem jem bharatna lokone hindutwanu gyaan thashe tem tem loko BHARATni fakta ane fakta ek j hindu-parti taraf jashe…..
MAHARASTRA MA PAN GUJARATIO JE PARTIE MA SOUTHI VADHARE CHHE TE BJP-PARTY J CHHE TE GUJARATIOE BHULVU NA JOIYE…
|| JAI SHREE KRISHNA ||
February 14th, 2008 at 1:28 am
Raj Thakre Tunki Buddhino che. Hatavo ene koi Hatavo.
February 14th, 2008 at 6:22 am
ઠાકરે ની ઓકાત નથી કે એ આપણા મોદીની તુલના માં આવી શકે.
February 17th, 2008 at 2:27 pm
I strongley suggest shri, narendramodiji and people of gujarat not to support thackery intire family.I also suggest bjp not take
any support from shiv sena other wise bjp will be wipe out from map of india.
February 17th, 2008 at 7:41 pm
The reason for my first comment was that many gujarati’s don’t know about thackery kind of marathi people. Not all marathi but
in 1969 we were the first to kick out from bombay because of money we had.They taken out all gujarati written business board
from bombay. over 7000 thosand middle class gujarati fleed from bombay that time for there live’s. shive sena was biggest
we call hapta collector from every cast.But since dawood start to collect money with gun’s.shiv sena became poor and like bagger.
So bal thackery made deal with dawood about money. so every year bal thackery is getting around $ 100 million us dollar from
dawood.you will be suprised but dwood still visit india twice a year in bomaby only and he meet’s bal thackery and again our
honest politician.How do i know this leave it up to me. I did not heare from news papper but i witness my self.
One message i would like to send people of gujarat that if we loos Mr, narendramodi than gujarat will go back to dark age.
February 19th, 2008 at 11:53 am
|| JAI SHREE KRISHNA ||
congress,NCP,SP,(amar singh),RJD(laaludo) ane Raj thakre ni MNS maline maharastra ma motu shadyantra rami rahya chhe ane lokone bewakuff banavi rahya chhe….
ahi ek vaat khaash dhyaan ma raakhwani chhe ke congress\NCP ni saathe Raj thakre ni MNS ni yuti chhe….raj thakre congress ni madadthi pune, nasik ane naagpur ma votes lidhaa chhe….congress no nirupam, NCP no R.R.Patil, RJD no laalu, SP no amar singh aa badha bale loko ni saame ekbija saathe ladwanu “NAATAKK” karta hoi pan aa badha ek j “chaddi na holl” chhe….biji ek vaat te ke aa badhi parties UPA ni parties chhe….CONGRESS ANE NCP ej raj thakre ne uttar-bhartiyao ni SUPAARI aapi chhe….
actually maharastra ma LOKPRIYA NARENDRAJI MODI no je BHAVYA SATKAAR SAMARAMBH THAYO ane te BHAVYA SATKAAR ne maharastra na aam-lokoe vadhaavi lidho… aa joine CONGRESS,UPA ane CPM na pet ma tel redaau maate UPA ane BJP-VIRODHIOE aa north-indian ane marathi-manus nu gandu rajkaran ramyu….raj thakre ni dharpakad thi laine jaamin sudhino ek NATAKIYA-EPISODE banavyo ane aam cong & mns loko ne bewakuff banave chhe….
VOTE FOR BJP VOTE FOR DEVELOPMENT…..