This 5 Legged Cow Escaped from Butchers (Gujarati Text)
અમદાવાદ, દેશગુજરાત, ૩ માર્ચ ૨૦૦૮ સોમવાર,
અમદાવાદમાં ૧ માર્ચને શનિવારે મોડી રાત્રે બાબુરાવ નામના મરાઠી ગૌભક્તની બળદની જોડી અને એક પાંચ પગ વાળી ગાય એમ ત્રણ નંગ ગૌધન કસાઈઓ ચોરી ગયા. કસાઈઓ બે બળદને લઈ જવામાં તો કામિયાબ રહ્યા પરંતુ બાબુરાવની નસીબવંતી, લાડકી અને નટખટ પાંચ પગ વાળી ગાય કસાઈઓ સામે શિંગડા ભરાવીને ચાલાકીથી ભાગી નીકળીને બાબુરાવ પાસે પાછી આવી ગઈ. ફોટામાં આપ બાબુરાવની સાથે તેમની આ પાંચ પગ વાળી નટખટ ગાય સીતાને જોઈ શકો છો.
મહારાષ્ટ્રમાં ગૌભક્તોનો એક ગ્રામીણ સમુદાય વસે છે. આ સમુદાયના લોકો ઓરિસ્સાથી પાંચ પગ વાળી ગાય લઈ આવતા હોય છે. ઓરિસ્સામાં જીનેટીક ડિસઓર્ડરને કારણે ગાયોનો એક આખો વંશ જ એવો છે કે જેમાં પાંચ પગ વાળી ગાયો જન્મે છે. કોઈક ગાયને પાંચમો પગ પાછલા બે પગની વચ્ચે હોય છે તો કોઈક ગાયને પાંચમો પગ પીઠ પરથી લટકતો હોય છે. મરાઠી ગૌભક્તો આવી ગાયને લઈને પછી ગામ ગામ ફરતા રહે છે. પાંચ પગ વાળી ગાયને શુકનવંતી અને કમાલની ગણીને લોકો દક્ષિણા આપે છે એનાથી પરિવાર પોતાનું ગુજરાત ચલાવે છે. આખુ પરિવાર જ્યારે પાંચ પગવાળી ગાયને લઈને ગામેગામ અને શહેરે શહેર ફરતું હોય ત્યારે પરિવાર માટે બે ગાડાની વ્યવસ્થા હોય છે.ગાડામાં મંદિર જેવુ પણ બનાવવામાં આવે છે. આ બે ગાડા-મંદિર માટે બાબુરાવે કુલ પચાસ હજારની કિંમતના ઉંચા શિંગડાવાળા બે મહારાષ્ટ્રીયન ઓલાદના બળદ રાખ્યા હતા જે અમદાવાદના વટવામાં બાબુરા તંબુ તાણીને વિસામો કરી રહ્યા હતા ત્યારે કસાઈઓ ઉઠાવી ગયા.
બાબુરાવે સોમવારે બપોરે દેશગુજરાત સાથે વાતચીતમાં કહ્યું કે તેઓ રાજસ્થાનના રણુજામાં રામદેવ પીરના તીર્થમાં દર્શન કરીને મહારાષ્ટ્ર પોતાના વતન તરફ જઈ રહ્યા હતા ત્યાં રસ્તામાં વટવાના ગુજરાત ઓફસેટની બાજુના મેદાનમાં વિસામો લીધો. આ દરમિયાન રાત્રે ત્રણ વાગ્યા સુધીતો પરિવારનું કોઈકનું કોઈક જાગતુ હતુ પરંતુ બાદમાં સૌ પોઢી ગયા અને ચાર વાગ્યે પોતે પેશાબ જવા ઉભા થયા ત્યારે જોયું તો પાંચ પગ વાળી ગાય સીતા અને પ્રહલાદ તથા શંકર નામના બે બળદ ગુમ હતા અને તેમને જે દોરીથી બાંધ્યા હતા તે દોરી તૂટેલી હતી. આ સાથેજ તેમણે આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરી તથા સવારના સાડા પાંચ વાગ્યે વટવા પોલીસ સ્ટેશનમાં પણ પહોંચી ગયા. પાછા આવ્યા ત્યારે પાંચ પગ વાળી ગાય તો કસાઈઓના હાથમાંથી છૂટીને ભાગીને પાછી તંબુએ આવી ગઈ હતી પરંતુ બળદ ગુમ જ હતા.
આ પછી સ્થાનિક મુસ્લિમ વિસ્તારમાં તપાસ કરતા અને શોધખોળ આદરતા આકાશમાં એક મકાન પર સમડીઓ ફરતી દેખાઈ તથા નીચે કૂતરા પણ જમા થયા હતા. પોલીસે આ ઓરડીમાં તપાસ કરતા ત્યાંથી બળદ કપાયા હોવાના સ્પષ્ટ અવશેષો મળી આવ્યા. આ વાતને સ્થાનિક લોકોએ પણ અનુમોદન આપ્યું. સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સવારે આ ઓરડી આગળ પેશાબ-જાજરૂ કરવા આવતા હોય છે.
પોલીસે ઓરડીની તપાસ કરીને તેમાંથી આરોપી કસાઈને પકડી લીધો છે. આ ઓરડીમાં બીજી પણ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની માહિતી મળ્યા પછી પોલીસે આ ઓરડી તોડી નાખી છે. સ્થાનિક શિવસેનાના કાર્યકરોએ વટવામાં ગૌવંશ હત્યા વિરૂદ્ધ આશ્રમ રોડ પર ઈન્કમટેક્સ સર્કલથી કલેક્ટર ઓફિસ સુધીની રેલી પણ સોમવારે સાંજે કાઢી હતી. તેમણે કલેક્ટરને આવેદનપત્ર આપીને સુપ્રીમ કોર્ટના તાજેતરના ગૌવંશ હત્યા પરના પ્રતિબંધનો કડક અમલ કરાવવાની માંગણી કરી હતી.
બીજી તરફ બાબુરાવનું કહેવું છે કે તેના બે ભારેખમ વજન વાળા ગાડા તેમાંના મંદિર સહિત મેદાનમાં પડ્યા છે. મહારાષ્ટ્રમાં પોતાના વતન પહોંચવાનો રસ્તો ગાડા દ્વારા જતા અઢી મહિના લાંબો છે. આવામાં બળદ નથી ત્યારે પોતે હવે આ ગાડાને શેની સાથે જોતરીને વતન પાછા જાય? આખુ ગરીબ ગૌભક્ત પરિવાર અત્યારે તો વટવાના ગુજરાત ઓફસેટની બાજુના મેદાનમાં એજ વિચારી રહ્યું છે કે બળદ ચોરાઈને કતલ થઈ ગયા પછી હવે આ બે ગાડા સાથે જોતરવા નવા બળદ તો આ અજાણ્યા શહેરમાં લાવવા ક્યાંથી? અને બળદ વગર વતન જવુ ક્યાંથી?
દેશગુજરાતે બાબુરાવને મદદ કરવાના હેતુથી જીવદયાનું કામ કરતા જૈન કાર્યકરને આ વાત પહોંચાડી છે. જેમના થકી શક્ય છે કે આગામી એક બે દિવસોમાં બાબુરાવને કોઈક પાંજરાપોળમાંથી નિરાશ્રિત બળદની ફાળવણી કરવામાં આવે. પાંજરાપોળમાં આમેય પુષ્કળ બળદો આવેલા હોય છે જેમના નિભાવની મૂશ્કેલી હોય છે. બીજી તરફ બાબુરાવે વતન પહોંચવા બળદની જરૂર છે. જોઈએ છીએ શું થાય છે આગળ.
નોંધ:દેશગુજરાતે કેટલાક સમય પહેલા પાછલા બે પગની વચ્ચે વધારાનો પાંચમો પગ હોય એવી પાંચ પગવાળી ગાયનો વિડિયો પબ્લીશ કર્યો હતો. આપ આ લીંક પર એ વિડિયો માણી શકશો.





















March 6th, 2008 at 1:50 am
“AATTATAI” na atyachar no ant bhagvan jane kyare avase.
March 6th, 2008 at 5:14 am
|| jai shree krishna ||
aaropi muslim no jamno haath ane daabo pag kaapi aankh ma petrol naakhi Gangaajal-waali karo…..
relly kadhwathi kai nahi thai
|| jai shree krishna ||
March 8th, 2008 at 9:21 am
Jay shree krishna, Jay Hind,
Bhaveshbhai I appriciate your thought and I am agree with you but just think this only solution to save our “Gaudhan” from that bastards.We shoud think that how the cows can recah on their hand? It saws that we have not proper system for take care and protect the cows.If we have Best “Gaushalas”, no single cow on road and then that mother fucker come to take cows thereafter it is noble duty of evert HIndu to take sword and cut every part of that basterds’ body.It means we should not neglet their activity.But when we go for fight we should revomove our weekness.