વડાપ્રધાનના માતા હીરાબાએ પણ હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લીધો
August 13, 2022
ગાંધીનગરઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં માતુશ્રી હિરાબા આજે હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહભેર સામેલ થયા હતા. તેમણે તેમની આસપાસ વસતા સામાન્ય પરિવારનાં બાળકોને રાષ્ટ્રધ્વજ વિતરણ કરી બાળકો સાથે તિરંગો લહેરાવ્યો હતો.
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરુપે હર ઘર તિરંગા અભિયાનમાં દેશના કરોડો નાગરિકો સામેલ થઈ રહ્યા છે ત્યારે આજે ગાંધીનગરના રાયસણમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં માતા હિરાબાએ ૧૦૦ વર્ષની જૈફ વયે પણ પોતાના નિવાસસ્થાને બાળકોને રાષ્ટ્ર ધ્વજનું વિતરણ કર્યું હતું અને બાળકો સાથે તેમણે પોતે પણ તિરંગો લહેરાવ્યો હતો.
હિરાબાએ પોતાના ઘરની નજીકમાં આવેલ ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા)ના મકાનોમાં રહેતાં મધ્યમવર્ગીય અને સામાન્ય પરિવારનાં બાળકોને તિરંગાનું વિતરણ કર્યું ત્યારે વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતા હીરાબાએ હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે તિરંગો લહેરાવ્યો. હીરાબાએ ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાનની આસપાસના સામાન્ય પરિવારોના બાળકોને ધ્વજનું વિતરણ કર્યું અને તેમની સાથે ધ્વજ લહેરાવ્યો. pic.twitter.com/j3SONBo32w
— દેશગુજરાત ગુજરાતી (@DeshGujaratG) August 13, 2022
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
- અમદાવાદની રબારી વસાહતોના ૧,૧૦૦ માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક
- એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ; ખાસ લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
- નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
- સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા દર વર્ષે અમેરિકન તબીબો સાથે ખુંધની સર્જરી માટે કરાર
- ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’
- ગુજરાતમાં PMJAY-મા યોજના અંતર્ગત નવીન માર્ગદર્શિકા (SOP) જાહેર