વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુરત સાયન્સ સેન્ટર ખાતે “ખોજ મ્યુઝિયમ”નું ઉદ્ઘાટન કરશે
September 28, 2022
સુરત: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાયન્સ સેન્ટર ખાતે “ખોજ મ્યુઝિયમ”નું ઉદ્ઘાટન કરશે. સિટીલાઈટ ખાતે રૂ. 52 લાખના ખર્ચે વિજ્ઞાન, કળા અને નવીનીકરણને ઉજાગર કરતા ‘ખોજ મ્યુઝિયમ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. તો આવો જોઈએ આ મ્યુઝિયમની વિશેષતાઓ.
સુરત શહેરના સિટી લાઇટ રોડ પર આવેલ આ છે ‘ખોજ મ્યુઝિયમ’. વિજ્ઞાન, તબીબી ક્ષેત્ર, સંશોધન ક્ષેત્રના નવતર આયામો અંગે જિજ્ઞાસુઓને અહીં જ્ઞાન મળી રહે તે માટે ‘ડિસ્કવરી-સાયન્સ + આર્ટસ + ઇનોવેશન’ મ્યુઝિયમ વિકસાવવામાં આવ્યું છે. મ્યુઝિયમની વિશેષતાઓની વાત કરીએ તો બે ગેલેરી વિકસાવવામાં આવી છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વિરોસ્ફિયર ગેલેરી અને પ્રથમ માળે ‘હોલ ઓફ ફેમ’નો વિચાર આધારિત વર્કશોપ બનાવવામાં આવી છે. વાયરસ ગેલેરીમાં વાયરસનો પરિચય, વાયરસનો ઇતિહાસ, સૂક્ષ્મજીવોની દુનિયા, વાયરસનો ફેલાવો વિશે સમજશે જ્યારે આ મ્યુઝિયમમાં મુલાકાતીઓને વિવિધ પ્રદર્શનો અને પ્રોજેક્ટ તેમજ તેમના નિષ્ણાત સાથે વાતચીત કરવા, રમવા અને અન્વેષણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
– વિજ્ઞાન, કળા અને નવીનીકરણને ઉજાગર કરતું ‘ખોજ મ્યુઝિયમ’
– SMC, GCSRA અને DGVCL ના સંયુક્ત ઉપક્રમે કરાયુ નિર્માણ
– સંગ્રહાલયે મુખ્યત્વે બે ગેલેરીઓ વિકસાવવામાં આવી
– ગ્રાઉન્ડ ફ્લોર પર વિરોસ્ફિયર ગેલેરી પ્રદર્શિત
– વાયરસ અને તેમના જીવનના વિવિધ પાસાઓનો અનુભવ કરાવશે
– વિદ્યાર્થીઓ પ્રવૃત્તિઓ, પ્રયોગો અને સંશોધનો કરશે
– ઓડિયો-વિઝ્યુઅલ ઇક્વિપમેન્ટ અને ઇન્ફોર્મેશનલ પેનલનો સમાવેશ
– ‘હોલ ઓફ ફેમ’નો વિચાર આધારિત વર્કશોપ
– લોકોનું મ્યુઝિયમ બનાવવા માટે વિદ્યાર્થીઓએ બનાવેલા વિચારો અને કૃતિઓ પ્રદર્શિત
તાજેતર ના લેખો
- સરકારી મેડીકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલના કરાર આધારિત શિક્ષકોના વેતનમાં ૩૦ થી ૫૫% સુધીનો વધારો
- 1 એપ્રિલ ૨૦૦૫ પહેલા ફિક્સ પગારમાં નિમણૂંક કરાયેલા ૬૦,૨૪૫ને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા સૈધ્ધાંતિક સ્વીકાર
- હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો; વડાપ્રધાન મોદીના હસ્તે 16 સપ્ટેમ્બરે શુભારંભ
- આજવા બંધ વડોદરામાં સરેરાશ 39 ઇંચ વરસાદ પડે તે માપે બંધાયો હતો, હવે સરેરાશ થઇ છે 42.24 ઇંચ
- વડોદરામાં વિશ્વામિત્રીના પૂરનો લાંબો ઇતિહાસ છે ; 19મી સદીમાં કેમ્પબેલે લખ્યું હતું ચોમાસામાં આ નદી અવારનવાર છલકાય છે
- પશુઓમાં સેક્સડ સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાન કરવા માટેની ફીમાં રૂ.250 નો ઘટાડો
- જાતિગત જન ગણના એ કોંગ્રેસની ટુલકીટ છે