ભારત જોડો યાત્રા જે રાજ્યમાં ફરી રહી હતી ત્યાં જ કોંગ્રેસની ભૂંડી હાર થઇ; અગાઉ કોંગ્રેસ પાસે હતી આ બેઠક
November 07, 2022
હૈદરાબાદઃ શું ભારત જોડો યાત્રાથી કોંગ્રેસને કોઇ રાજકીય ફાયદો નથી થઇ રહ્યો? હાલમાં યોજાયેલી સાત વિધાનસભાની પેટાચૂંટણીઓના પરિણામો આમ ઇંગિત કરે છે. આ તમામ બેઠકોમાંથી એક પણ બેઠક કોંગ્રેસને નથી મળી પરંતુ વિશેષ ધ્યાન ખેંચતી વાત તો એ છે કે તેલંગાના રાજયમાં એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ચાલી રહી હતી ત્યારે જ કોંગ્રેસનું ત્યાં પહેલાથી પણ અધિક ધોવાણ થયું છે.
તેલંગાનાની મુનુગોડે વિધાનસભા બેઠક પેટાચૂંટણી હેઠળ હતી. આ બેઠક પર પ્રચાર તેના જોરમાં હતો અને મતદાન થઇ રહ્યું હતું ત્યારે પણ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા તેલંગાનામાં હતી. તેમ છતા જ્યારે ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે કોંગ્રેસને માભ 10.58 ટકા મતો મળ્યા. આ ટકાવારી 2018માં આ જ બેઠક પર કોંગ્રેસને મળેલી 50.51 મતોની ટકાવારી કરતા લગભગ પાંચમા ભાગની છે.
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા તેલંગાનામાં 27 ઓક્ટોબરે દાખલ થઇ હતી જ્યારે મુનુગોડેની પેટા ચૂંટણી 3 નવેમ્બરે યોજાઇ હતી. ભારત જોડો યાત્રા આ પેટાચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે પણ તેલંગાનામાં જ હતી.
આ પેટાચૂંટણી કોંગ્રેસના ચાલુ ધારાસભ્ય ભાજપમાં જોડાતા આવી ચડી હતી. ટીઆરએસ પક્ષના નેતા અને મુખ્યમંત્રી કેસીઆરે આ ચૂંટણીને પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી દીધી હતી કારણ કે તેમણે લોકસભાની આવનારી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ઉતરવું છે. જો કે કેસીઆરને ભાજપે બરાબરનો મુકાબલો આપ્યો હતો. ભાજપના ઉમેદવાર દસ હજાર મતની આસપાસની સરસાઇથી ટીઆરએસ સામે હારી ગયા છે. જો કે કોંગ્રેસ પક્ષ તો ઘણે પાછળ ત્રીજા નંબરે ધકેલાઇ ગયો છે.
તાજેતર ના લેખો
- સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી ઉકેલ માટે નિર્ણય; ત્રણ તબક્કામાં ૧૧ પ્રકારના કામો હાથ ધરાશે
- ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
- અમદાવાદની રબારી વસાહતોના ૧,૧૦૦ માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક
- એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ; ખાસ લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
- નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
- સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા દર વર્ષે અમેરિકન તબીબો સાથે ખુંધની સર્જરી માટે કરાર
- ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’