પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રીના હસ્તે બોટાદ ખાતે થશે
January 18, 2023
ગાંધીનગર: રાષ્ટ્રના પ્રજાસત્તાક પર્વ ૨૬મી જાન્યુઆરી-૨૦૨૩ની રાજ્યકક્ષાની ઉજવણી બોટાદ ખાતે કરાશે. ૨૬મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બોટાદ ખાતે ધ્વજવંદન કરાવશે જયારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરી રાજકોટ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરશ્રીઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે તેમ પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.
રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ કોણ ક્યાં ધ્વજ વંદન કરાવશે તેની વિગત આ મુજબ છે
ક્રમ | મંત્રીશ્રીઓના નામ | જિલ્લો |
કેબિનેટ મંત્રીશ્રીઓ | ||
|
શ્રી કનુભાઈ દેસાઈ | સુરત |
|
શ્રી ઋષિકેશ પટેલ | અમદાવાદ |
|
શ્રી રાઘવજીભાઈ પટેલ | જૂનાગઢ |
|
શ્રી બળવંતસિંહ રાજપૂત | બનાસકાંઠા |
|
શ્રી કુંવરજીભાઈ બાવળિયા | ગાંધીનગર |
|
શ્રી મુળુભાઈ બેરા | જામનગર |
|
ડૉ. કુબેરભાઈ ડીંડોર | દાહોદ |
|
શ્રીમતી ભાનુબેન બાબરિયા | ભાવનગર |
રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ | ||
|
શ્રી હર્ષ સંઘવી | વડોદરા |
|
શ્રી જગદીશ વિશ્વકર્મા | મહેસાણા |
|
શ્રી પરશોત્તમભાઈ સોલંકી | અમરેલી |
|
શ્રી બચુભાઈ ખાબડ | ખેડા |
|
શ્રી મુકેશભાઈ પટેલ | વલસાડ |
|
શ્રી પ્રફુલ પાનશેરીયા | કચ્છ |
|
શ્રી ભીખુસિંહજી પરમાર | સાબરકાંઠા |
|
શ્રી કુંવરજીભાઈ હળપતિ | ભરૂચ |
આ ઉપરાંત ગીર સોમનાથ, આણંદ, પોરબંદર, પંચમહાલ, નવસારી, તાપી, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, નર્મદા, મહીસાગર, ડાંગ, પાટણ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી અને મોરબી ખાતે સંબંધિત જિલ્લાના કલેકટરશ્રીના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે.
તાજેતર ના લેખો
- સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી ઉકેલ માટે નિર્ણય; ત્રણ તબક્કામાં ૧૧ પ્રકારના કામો હાથ ધરાશે
- ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
- અમદાવાદની રબારી વસાહતોના ૧,૧૦૦ માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક
- એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ; ખાસ લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
- નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
- સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા દર વર્ષે અમેરિકન તબીબો સાથે ખુંધની સર્જરી માટે કરાર
- ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’