આઈ.ટી.આઈ સરખેજ ખાતે સમર સ્કિલ વર્કશોપ યોજાશે
June 05, 2024
અમદાવાદ : ઔદ્યોગિક તાલીમ સંસ્થાની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર દ્વારા ધોરણ 8 કે તેથી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વોકેશનલ તાલીમ પ્રત્યે જાગૃતતા વધે તેમજ વિવિધ હાઉસહોલ્ડ સ્કીલ એક્ટિવિટીમાં ભાગ લઈ તેઓનો સ્કીલ ટ્રેનિંગ પ્રત્યેના ઉત્સાહ અને રસમાં વધારો થાય તેમજ સ્કીલ ટ્રેનિંગ અંગેનો તેમનો અભિગમ બદલાય તે માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈ.ટી.આઈ સરખેજ ખાતે 06/06/2024થી 21/06/2024 દરમિયાન વિનામૂલ્યે ‘સમર સ્કિલ વર્કશોપ’નું આયોજન કરવામાં આવશે.
આ વર્કશોપમાં ભાગ લેવા માટે ફ્રી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેથી ધોરણ 8 કે તેથી વધુ અભ્યાસ કરેલ ઉમેદવારોએ આચાર્યશ્રી, આઈ.ટી.આઈ, સરખેજનો રૂબરૂ મુલાકાત લેવી અથવા તેનો નંબર 079-29704831 પર સંપર્ક કરીને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
તાજેતર ના લેખો
- નવી નામકરણ નીતિ હેઠળ 591 શેરીઓના નામોને નંબરોથી બદલવામાં આવશે; આ દેશે કર્યો નિર્ણય
- ગુજરાતમાં નિર્મિત આ મીની એસયુવીને કારણે સુઝુકી જાપાનમાં કારની સૌથી મોટી આયાતકાર કંપની બની ગઇ
- મહારાષ્ટ્રમાં ગુજરાતી સમાજના કાર્યક્રમમાં શિંદે જય ગુજરાત બોલ્યા એમાં વિપક્ષને વાંધો પડયો
- બસની દરેક સીટ પર સીટબેલ્ટ, મુસાફરોએ ફરજિયાત પહેરવો પડશે નહીં તો દંડ; આ દેશમાં આવ્યો નવો નિયમ
- વિડિયોમાં જોયેલી કેબલ કારમાં બેસવા વૃદ્ધ યુગલ 300 કિમી મુસાફરી કરી આવી પહોંચ્યુંઃ પછી ખબર પડી કે વિડિયોમાં બધું AIથી હતું
- પાવરબેંક હવાઇ યાત્રા દરમિયાન સામાનના ખાનામાં નહીં પણ સીટ પર રાખવી પડશેઃ આ દેશની એરલાઇન્સ માટે નવો નિયમ
- ગુજરાતમાં આવતા 7 દિવસમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા : હવામાન વિભાગ