કેન્દ્રએ ખેડૂતને ૫૦થી ૮૫ ટકા નફો મળે તેવો પ્રતિ ક્વિન્ટલ ૯૨ થી ૫૨૩ રૂ. નો MSP વધારો આપ્યો: કૃષિ પ્રધાન રાઘવજી પટેલ
June 09, 2022
ગાંધીનગર: કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા માટે ભારત સરકાર દ્વારા ટેકાના ભાવમાં કરવામાં આવેલ વધારો કરવા માટે રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો રાજયના ખેડૂતો વતી આભાર વ્યકત કર્યો છે.
મંત્રીએ ઉમેર્યુ કે, ખરીફના ૧૪ પાકોમાં ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોના હિતમાં લઘુતમ વધારો કરવામાં આવ્યો છે. ઉપજ પર વળતરક્ષમ ભાવો મળે તેની ખાતરી કરી શકાય અને પાકના વાવેતરને સુનિશ્ચિત કરવામાં માટે ટેકાના ભાવ જે તે પાકના ખેતી ખર્ચના ઓછામાં ઓછા ૫૦ ટકાથી ૮૫ ટકા સુધીનો નફો મળે તે પ્રમાણે ભાવ નક્કી કરવામાં આવ્યા છે.
રાજ્યના ખેડૂતોની આવક બમણી થાય તે માટે જુદાજુદા પાકમાં ગત વર્ષ કરતા પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૯૨ થી ૫૨૩ સુધીનો વધારો કરવામાં આવેલ છે.
મંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યના મુખ્ય પાક મગફળીમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૩૦૦નો વધારો કરી ટેકાનો ભાવ રૂ. ૫,૮૫૦, તુવેર પાકમાં રૂ. ૩૦૦નો વધારો કરી ટેકાનો ભાવ રૂ. ૬,૬૦૦, મગ પાકમાં રૂ. ૪૮૦નો વધારો કરી ટેકાનો ભાવ ૭૭૫૫, તલ પાકમાં રૂ.૫૨૩નો વધારો કરી ટેકાનો ભાવ રૂ.૭,૮૩૦, અડદ પાકમાં રૂ.૩૦૦નો વધારો કરી ટેકાનો ભાવ રૂ. ૬,૬૦૦, કપાસ પાકમાં રૂ. ૩૫૫નો વધારો કરી રૂ. ૬,૩૮૦ ટેકના ભાવ જાહેર કરેલ છે તેમ તેમણે ઉમેર્યુ છે. દેશગુજરાત.
તાજેતર ના લેખો
- સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી ઉકેલ માટે નિર્ણય; ત્રણ તબક્કામાં ૧૧ પ્રકારના કામો હાથ ધરાશે
- ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
- અમદાવાદની રબારી વસાહતોના ૧,૧૦૦ માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક
- એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ; ખાસ લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
- નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
- સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા દર વર્ષે અમેરિકન તબીબો સાથે ખુંધની સર્જરી માટે કરાર
- ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’