રાજ્યમાં રસ્તાઓના રિસરફેસિંગ કામો માટે પ૦૮.૬૪ કરોડ રૂપિયાની ફાળવણી ; રૂ. પ૯૮૬ કરોડના કામો પ્રગતિમાં

— રાજ્યભરમાં વિવિધ જિલ્લાઓમાં પ૭૯૦ કિ.મી લંબાઇમાં રૂ. પ૯૮૬ કરોડના કામો પ્રગતિમાં છે

ગાંધીનગરઃ  રાજ્યના માર્ગોના રિસરફેસીંગ કામો માટે રૂ. પ૦૮.૬૪ કરોડ માર્ગ-મકાન વિભાગને ફાળવવાની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે.

રાજ્યમાં આ વર્ષે વરસાદને કારણે અસર પામેલા ૯૮ રસ્તાના કુલ ૭પ૬ કિ.મી. લંબાઇમાં રિસરફેસીંગ કામો આ રકમમાંથી હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારનો માર્ગ અને મકાન વિભાગ માર્ગોની સુવિધા વધુ સુદ્રઢ બનાવી સરળ અને સલામત અવરજવર માટે વિવિધ જિલ્લાઓમાં વ્યાપક સ્તરે કામગીરી હાથ ધરી રહ્યો છે.

તદઅનુસાર, વિવિધ જિલ્લાઓમાં હાલની સ્થિતિએ કુલ પ૭૯૦ કિ.મી લંબાઇના માર્ગોના અંદાજે રૂ. પ૯૮૬ કરોડનાં કામો પ્રગતિમાં છે. ઉપરાંત, ર૭૬૩ કિ.મી લંબાઇના માર્ગો માટે રૂ. ૧૭૬ર કરોડના કામો ટેન્ડરીંગ પ્રક્રિયા હેઠળ છે જે ટૂંક સમયમાં શરૂ થવાના છે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો