જામનગર જિલ્લામાં 176 કરોડના ખર્ચે તૈયાર થયેલા સોલાર પાવર પ્લાન્ટનું વડાપ્રધાન લોકાર્પણ કરશે
October 07, 2022
– ગ્રીન એનર્જી ક્ષેત્રે પણ અગ્રેસર ગુજરાત
– વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 10 ઓક્ટોબરે જામનગરની મુલાકાતે
– જિલ્લાના હરીપર ગામે નિર્મિત સોલાર પાવર પ્લાન્ટનું કરશે લોકાર્પણ
– સોલાર પ્લાન્ટથી પ્રતિ વર્ષ 105 મિલિયન યુનિટથી વધુનું થશે વીજ ઉત્પાદન
જામનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 9થી 11 ઑક્ટોબર દરમિયાન ગુજરાતમાં અનેકવિધ વિકાસ યોજનાઓના લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ દરમિયાન 10મી ઓક્ટોબરને સોમવારે જામનગરના હરીપર ગામ ખાતે મેગા સોલાર પાવર પ્લાન્ટનું લોકાર્પણ કરશે.
PM Narendrabhai Modi to dedicate a mega solar power plant in Jamnagar https://t.co/NXi8RyxA5w pic.twitter.com/9dbO3ZSJaN
— DeshGujarat (@DeshGujarat) October 7, 2022
રુપિયા 176 કરોડથી વધુના ખર્ચે નિર્મિત આ 40 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટ માત્ર 3 મહિનાના ટૂંકા ગાળામાં અમલમાં મૂકવામાં આવ્યો છે અને આ પ્લાન્ટ એ વાતની સાબિતી છે કે દેશનાં અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત ગ્રીન એનર્જી ક્ષેત્રે પણ અગ્રેસર થઈ રહ્યું છે.
GSECL દ્વારા હરીપર ગામની સરકારી ખરાબાની પથરાળ જમીન પર આ ફોટોવોલ્ટીક ગ્રીડ કનેક્ટેડ સોલાર પ્લાન્ટથી દર વર્ષે 105 મિલિયન યુનિટથી વધુ વીજ ઉત્પાદન થશે. સાથે જ 84 મેટ્રીક ટનથી વધુ કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં પણ ઘટાડો પણ થશે.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
- અમદાવાદની રબારી વસાહતોના ૧,૧૦૦ માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક
- એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ; ખાસ લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
- નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
- સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા દર વર્ષે અમેરિકન તબીબો સાથે ખુંધની સર્જરી માટે કરાર
- ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’
- ગુજરાતમાં PMJAY-મા યોજના અંતર્ગત નવીન માર્ગદર્શિકા (SOP) જાહેર