પંજાબમાં પરાળી સળગાવવાના કિસ્સા 33 ટકા વધ્યા, દિલ્હીમાં હવા પ્રદૂષિત, બેઉ રાજ્યોના મુખ્યમંત્રીઓ ગુજરાતમાં વ્યસ્ત
October 30, 2022
નવી દિલ્હીઃ પંજાબમાં પરાળી સળગાવવાના કેસોમાં વધારો થવાની સાથે દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ હજુ ચિંતાજનક છે અને છતાં દિલ્હી અને પંજાબના આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતની આગામી ચૂંટણીમાં વ્યસ્ત છે.
સમાજના અનેક અગ્રણી અને જાણકાર લોકો આ મુદ્દે સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસથી પંજાબમાં હજારો ખેડૂતો દ્વારા પરાળી સળગાવવામાં આવી રહી છે પરંતુ પંજાબની આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકાર એ દિશામાં કોઈ નક્કર પગલાં લેતી હોય એવું દેખાતું નથી. દિલ્હીમાં એક્યુઆઈ પ્રદૂષણની માત્રા 400 કરતાં વધુ થઈ ગઈ છે. પંજાબમાં ગત વર્ષની સરખામણીમાં પરાળી સળગાવવાના કિસ્સામાં 33 ટકા વધારા સાથે 10,214 કેસ નોંધાયા છે. બંને રાજ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, પરંતુ બંનેમાંથી કોઇને પ્રજાની ચિંતા હોય એવું લાગતું નથી. https://twitter.com/AjayKumarJourno/status/1586587769463222272
સ્થિતિ વણસી ગઈ છે અને આપ-ના નેતાઓ ગુજરાતમાં ચૂંટણીની વાંસળી વગાડી રહ્યા છે. https://twitter.com/TaruniGandhi/status/1586581724669956096?t=JkauuGBRMGCs0LLnGpjf2w&s=08
આ અંગે નેટિઝન્સ મીડિયાને પણ પ્રશ્ન પૂછી રહ્યા છે કે, આ મુદ્દો આટલો ગંભીર હોવા છતાં કોઈ મીડિયા ભગવંત માન કે પછી કેજરીવાલને સવાલ પણ કરતા નથી! ઈન્ડિયન એક્સપ્રેસે આજે રવિવારે આ અંગેનો અહેવાલ લીધો છે પરંતુ એ પણ છેક 10મા પાને લીધો હોવાથી અનેક લોકોએ અખબાર પ્રત્યે પણ નારાજગી વ્યક્ત કરી છે. https://twitter.com/saket71/status/1586580847863664640
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી ઉકેલ માટે નિર્ણય; ત્રણ તબક્કામાં ૧૧ પ્રકારના કામો હાથ ધરાશે
- ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
- અમદાવાદની રબારી વસાહતોના ૧,૧૦૦ માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક
- એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ; ખાસ લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
- નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
- સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા દર વર્ષે અમેરિકન તબીબો સાથે ખુંધની સર્જરી માટે કરાર
- ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’