આમ આદમી પાર્ટીએ ઉમેદવારી માટે રૂ. 25 લાખ માગ્યા હોવાનો ભૂતપૂર્વ સૈનિકનો આક્ષેપ
November 02, 2022
કપરાડાઃ આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ટિકિટ આપવા માટે નાણાની માગણી થઈ હોવાનો આક્ષેપ નિવૃત્ત સૈનિક ખુશાલ વાઢુએ કર્યો છે. ખુશાલ વાઢુ થોડા સમય પહેલાં જ ભાજપ છોડીને આપ-માં જોડાયા હતા.
આ સમગ્ર ઘટના અંગે ખુશાલ વાઢુએ મીડિયાને જણાવ્યું કે, આમ આદમી પાર્ટીને સારો પક્ષ માનીને પોતે જોડાયા હતા પરંતુ જોડાયા પછી ખબર પડી કે અહીં તો ભ્રષ્ટાચાર છે. >>> https://www.youtube.com/watch?v=abCRZO7YD0g&ab_channel=GujaratFirst
વાઢુએ કપરાડા બેઠકના આમ આદમી પાર્ટીના જાહેર થયેલા ઉમેદવાર જયેન્દ્ર ગાવિત સહિત આપ-ના પાંચ કાર્યકરો ઉપર પોતાની પાસે 25 લાખ રૂપિયા માગ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. આ અંગેની ઑડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે જેમાં આમ આદમી પાર્ટીના ગાવિત સહિત પાંચ જણને પાંચ-પાંચ લાખ આપવામાં આવે તો ખુશાલ વાઢુને આમ આદમી પાર્ટીની ટિકિટ અપાવવાની વાત કરવામાં આવી છે.
વાઢુનું કહેવું છે કે પોતે ભૂતપૂર્વ સૈનિક હોવાથી ભ્રષ્ટાચારમાં માનતા નથી અને તેમની પાસે આ રીતે આપવા માટે નાણા પણ નથી.
પોતાના પર આક્ષેપ થયા બાદ મીડિયા સમક્ષ આવેલા જયેન્દ્ર ગાવિતે ઑડિયો ક્લિપ ખોટી હોવાની અને તેમાં પોતાનો અવાજ નહીં હોવાની વાત કરી હતી.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
- અમદાવાદની રબારી વસાહતોના ૧,૧૦૦ માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક
- એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ; ખાસ લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
- નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
- સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા દર વર્ષે અમેરિકન તબીબો સાથે ખુંધની સર્જરી માટે કરાર
- ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’
- ગુજરાતમાં PMJAY-મા યોજના અંતર્ગત નવીન માર્ગદર્શિકા (SOP) જાહેર