ઘેરબેઠાં આયુષ્યમાન કાર્ડની PDF મેળવી શકાશે: PMJAY યોજનાની માર્ગદર્શિકા જાહેર

દિલ્હી: પી.એમ.જે.એ.વાય-માં યોજના/ આયુષ્માન ભારત કાર્ડ BIS 2.0 એપ્લિકેશનમાં એનરોલમેન્ટ અંગેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. પી.એમ. જે.એ.વાય-માં યોજના/આયુષ્માન ભારત કાર્ડ BIS 2.0 એપ્લિકેશનમાં એનરોલમેન્ટની કામગીરી કઈ રીતે કરી શકાય તે અંગેની જરૂરી માહિતીઓ અર્થે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

આ પ્રક્રિયામાં સૌ પ્રથમ આપના મોબાઈલ નંબર દ્વારા પર લોગીન કરવું અને ત્યારબાદ રાશન લેતાં એન.એફ. એસ.એ.નાં કુટુંબનો રાશનકાર્ડનો નંબર ફેમિલી આ.ડી.માં નાખતાની સાથે જ કુટુંબનાં તમામ સભ્યોની વિગતો બતાવશે. આ પ્રક્રિયા અંતર્ગત આગળ જતા બાકી રહેલા સભ્યોની સામે ક્લિક કરવુ અને આધાર કાર્ડ ઓ.ટી.પી.થી વેરીફાઈ કરવુ. આધાર કાર્ડમાં આવેલા ફોટાની સામે લાઇવ ફોટો અપલોડ કરવાનો થાય છે. ફેમીલીનાં કોઈપણ સભ્યનો મોબાઇલ નંબર નાખી ઓ.ટી.પી.થી વેરીફાઈ કરવો તથા આધાર કાર્ડ મુજબ પીનકોડ, ગામ, તાલુકા, જિલ્લાની વિગતો ભરવી. ત્યારબાદ સબમીટ કરતા એનરોલમેન્ટની પ્રોસેસ પૂર્ણ થાય છે. ડાઉનલોડ પર ક્લિક કરી આયુષ્માન ભારત કાર્ડની પીડીએફ સ્વરૂપે લાભાર્થીને મળી રહેશે.

સરકારી સહિત ખાનગી હોસ્પિટલોમાં સર્જરી સહિતની તમામ સારવારે રાજ્ય સરકારના ખર્ચે વિનામૂલ્યે મેળવવા માટેનું આયુષ્માન કાર્ડ બનાવવા હવે લોકોએ તાલુકાની આરોગ્ય ઓફિસ સુધી જવું નહીં પડે અને ઘેરબેઠાં જ એપ્લિકેશનના માધ્યમથી આયુષ્યમાન કાર્ડ જનરેટ કરી શકશે. મોબાઇલમાં કાર્ડની જનરેટ થયેલી પીડીએફ ફાઈલ સારવાર માટે સરકાર અને આરોગ્યતંત્ર દ્વારા માન્ય કરવામાં આવતાં હોસ્પિટલો પણ ચલાવી રહી છે. અમદાવાદ જિલ્લામાં 4 દિવસમાં ઓનલાઇન 4200 આયુષ્યમાન કાર્ડ નીકળ્યાં છે

તાજેતર ના લેખો