ખારીકટ-ફતેવાડી યોજનાના ૩પ,000 હેક્ટર પિયત વિસ્તારને નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાશે

ગાંધીનગરઃ રાજ્યના ૧૧૧ ગામોના છ હજારથી વધુ ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી મળી રહે તે માટે કૃષિ હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરેલા આ નિર્ણય અનુસાર ખારીકટ-ફતેવાડી યોજનાના અંદાજે ૩પ હજાર હેક્ટર પિયત વિસ્તારને સરદાર સરોવર નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાશે. ખારીકટ-ફતેવાડી યોજનાનો આ આશરે ૩પ હજાર હેક્ટર પિયત વિસ્તાર નિયમીત પાણીના અભાવે છેલ્લા ઘણા વર્ષોથી સિંચાઇના પાણીની તકલીફ ભોગવતો હતો. એટલું જ નહીં ,અત્યાર સુધી સરદાર સરોવર યોજનામાંથી જેટલું શક્ય બને એટલું પાણી આ પિયત વિસ્તારને આપીને ખેતી બચાવવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ આ ૧૧૧ ગામોના અંદાજે ૩પ હજાર હેક્ટર પિયત વિસ્તારને સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો ત્વરિત નિર્ણય કરીને આ લાંબા સમયથી પડતર પ્રશ્નનો સુખદ ઉકેલ લાવી દીધો છે.

શ્રી ભૂપેન્દ્ર પટેલના આ કિસાન હિતકારી નિર્ણયને પરિણામે ૧૧૧ ગામોના ૬ હજારથી વધુ ખેડૂતોને પણ સિંચાઇ માટે સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારોના અન્ય ખેડૂતોને જે રીતે નિર્ધારીત પાણી મળે છે તે જ રીતે નર્મદા જળ મળતું થશે.

દેશ ગુજરાત

તાજેતર ના લેખો