વડોદરામાં તોફાનીઓએ પોલીસ ઉપર પેટ્રોલ બોંબ ફેંક્યા
October 25, 2022
વડોદરાઃ વડોદરામાં વધુ એક વખત હિન્દુ તહેવારને હિંસામાં ખરડીને તેને કલંકિત કરવાનો પ્રયાસ થયો હતો. અને તેમાં સૌથી આઘાતજનક વાત એ છે કે, પથ્થરમારો કરી રહેલા તત્વોને નિયંત્રણમાં લેવા માટે પહોંચેલી પોલીસ ઉપર જ એ તત્વોએ પેટ્રોલ બોંબ ફેંક્યો હતો. દિવાળીની સાંજે બનેલા આ બનાવમાં અત્યાર સુધીમાં 19 તોફાનીને અટકાયતમાં લેવામાં આવ્યા છે.
મૂળ ઘટના એવી છે કે, દિવાળી નિમિત્તે હિન્દુઓ ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ તેમના ઉપર પથ્થરમારો કર્યો હતો. આ તત્વો માત્ર પથ્થરમારો કરીને અટક્યા નહોતા પરંતુ દુકાનોમાં પણ લૂંટફાટ કરી હતી.
ફટાકડા ફોડી રહેલા હિન્દુઓ ઉપર પથ્થરમારો થયો હોવાના સમાચાર મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે આ તોફાની તત્વોએ સીધો પોલીસ ઉપર પણ પેટ્રોલ બોંબ ફેંક્યો હતો. જોકે એ નિશાન ચૂકી જતાં કોઈ પોલીસને ઈજા થઈ નહોતી.
આ બનાવ વડોદરાના પાણીગેટ વિસ્તારમાં બન્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અમુક સમુદાયના લોકો દિવાળીનો તહેવાર બગાડવા માગે છે તેવી જાણકારી સ્થાનિક હિન્દુ અગ્રણીઓને મળી હતી અને તેથી પૂરી તકેદારી લેવામાં આવી રહી હતી છતાં એ તત્વોએ જાણી જોઇને વિવાદ ઊભો કરીને ટોળાબંધી કરી પથ્થરમારો કર્યો હતો.
દેશ ગુજરાત
તાજેતર ના લેખો
- સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી ઉકેલ માટે નિર્ણય; ત્રણ તબક્કામાં ૧૧ પ્રકારના કામો હાથ ધરાશે
- ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
- અમદાવાદની રબારી વસાહતોના ૧,૧૦૦ માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક
- એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ; ખાસ લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
- નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
- સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા દર વર્ષે અમેરિકન તબીબો સાથે ખુંધની સર્જરી માટે કરાર
- ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’