નવરાત્રિ દરમિયાન અમદાવાદની મેટ્રો ટ્રેનો રાત્રિના બે વાગ્યા સુધી દોડશે
October 17, 2023
અમદાવાદઃ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડે એક યાદીમાં જણાવ્યું છે કે નવરાત્રિના સમયગાળામાં અમદાવાદની મેટ્રો ટ્રેન સેવાઓનો સમય લંબાવવામાં આવ્યો છે.
હાલમાં મેટ્રો ટ્રેન સેવાઓ અમદાવાદમાં સવારે 6.20થી રાતના 10 કલાક દરમિયાન કાર્યરત છે. સવારે 6.20થી 7 વાગ્યે સુધી દર વીસ મિનીટના અંતરાલ પર તથા સવારે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યે સુધી 12 મિનીટના અંતરાલ પર મેટ્રો ટ્રેન પ્રાપ્ત થાય છે.
નવરાત્રિન ઉત્સવની ઉજવણીના અવસરે, 17થી 23 ઓક્ટોબર દરમિયાન મેટ્રો ટ્રેન સુવિધા સવારે 6.20 વાગ્યેથી મધ્યરાત્રિ બાદના સવારના 2 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.
આ ગાળામાં મેટ્રો ટ્રેન સેવાઓ સવારે 6.20 થી રાત્રિના 10 વાગ્યા દરમિયાન રાબેતા મુજબ ઉપલબ્ધ રહેશે તથા રાત્રિના દસથી સવારના 2 વાગ્યા સુધી દરેક મેટ્રો સ્ટેશનથી વીસ મિનીટના અંતરાલ પર ઉપલબ્ધ રહેશે. બંને કોરિડોરમાં દરેક ટર્મિનલ સ્ટેશનથી છેલ્લી ટ્રેન ઉપડવાનો સમય સવારના 2 વાગ્યાનો રહેશે.
તાજેતર ના લેખો
- સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં ભરાતા પાણીના કાયમી ઉકેલ માટે નિર્ણય; ત્રણ તબક્કામાં ૧૧ પ્રકારના કામો હાથ ધરાશે
- ખાતેદારને બીન ખેતી માટે અરજી કર્યાના ૧૦ દિવસમાં એન.એ. મળશે
- અમદાવાદની રબારી વસાહતોના ૧,૧૦૦ માલધારી પરિવારોને મળશે તેમના ઘરનો કાયમી માલિકી હક્ક
- એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ; ખાસ લેખ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા
- નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા 2025-26ના વર્ષના બજેટને આવકારતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
- સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા દર વર્ષે અમેરિકન તબીબો સાથે ખુંધની સર્જરી માટે કરાર
- ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે ‘સાંત્વના કેન્દ્ર’