ભાજપને આંખો મીચીને મત આપોઃ વાયરલ વિડિયોમાં નૌતમ સ્વામીએ કરી ખાસ અપીલ

નડિયાદઃ વડતાલ સ્વામિનારાયણ મંદિરના નૌતમ સ્વામીએ હિંદુઓને આંખ બંધ કરીને ભાજપ માટે મત આપવાની ખાસ અપીલ કરી છે. એક વક્તવ્ય દરમિયાન કરેલી આ અપીલનો વિડિયો વાયરલ થઇ રહ્યો છે.

નૌતમ સ્વામીએ તેમના વક્તવ્યમાં કહ્યું ઃ હિંદુઓ આજે ગર્વથી મસ્તક ઉંચુ રાખીને ફરી શકે છે. કાશી વિશ્વનાથનું મંદિર 500 ફૂટમાં હતું. 5 લાખ સ્ક્વેર ફૂટનું કરવાનું કામ વિક્રમાદિત્ય અને રાજા રણજિતસિંહ પછી કોઇએ કર્યું હોય તો તે માનનીય નરેન્દ્રભાઇએ કર્યુ છે. કેદારનાથનું ક્ષતિગ્રસ્ત થયેલું મંદિર એનો અબજો રુપિયાનો પ્લાન, કોઇ હેરીડીટરીમાં જન્મેલો રાજા ન કરી શકે તેવું કામ નરેન્દ્રભાઇ મોદી સાહેબે કર્યું છે. સોમનાથનો વિકાસ હોય, અંબાજીનો વિકાસ હોય, ગીરનારનો વિકાસ હોય, પાલિતાણાનો વિકાસ હોય, ડાકોરજીનો વિકાસ હોય કે શ્રી દ્વારિકાજીનો વિકાસ હોય, શ્રી રામજન્મભૂમિ પરનું ભગવાન શ્રી રામનું મંદિર હોય, આ બધા પવિત્ર કામો નરેન્દ્રભાઇના હાથે થઇ રહ્યા છે. આવનારી શતાબ્દી એ હિંદુઓની શતાબ્દી છે એટલે યાદ રાખીને જેટલા હિંદુ હોય એમને મારી અપીલ છે કે ભારતીય જનતા પાર્ટીને આંખ મીચીને મત આપવો. નાના મોટા સ્વાર્થ ભૂલવા, મને મળ્યું ન મળ્યું એ ભૂલવું. રસ્તો બન્યો ન મળ્યો, લાઇટ ગઇ આવી એમાં ન પડવું. પડવું તો એ માત્ર હિંદુત્વના માર્ગે પડવું. આવી ખાસ તમને અપીલ કરું છું.

🗃️ This story is from our archives and may contain outdated information.