લાલુના ગુંડારાજના એ દિવસો
August 12, 2022
By Himanshu Jain
જો 75 વર્ષે આપણો દેશ હજી પણ મૂળભૂત મુદ્દાઓનો સામનો કરી રહ્યો છે, તો તેનું કારણ એ છે કે નાગરિકોના પાવરહાઉસે લાલુ જેવા અનૈતિક રાજકારણીઓને હાંકી કાઢવા માટે વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં તેમના અવાજ અને મતનો ઉપયોગ કર્યો નથી.
દરરોજ આપણે કોઇ નવા બ્રેકિંગ ન્યુઝ સાથે જાગીએ છીએ. આપણી આસપાસ ઘણું બધું થઈ રહ્યું છે અને સત્ય પછીની દુનિયામાં જીવવું સરળ નથી. આપણી પાસે ઘણીવાર વાસ્તવિક ઘટના સુધી પહોંચવાની ઇચ્છાશક્તિ હોતી નથી, અને એ જ રીતે વિવાદાસ્પદ ઘટનાઓની ઘણી સંખ્યાને કારણે પરાજયોને તાજી યાદમાં ન રાખવા બદલ જનતાને દોષ આપવો અયોગ્ય હોઈ શકે છે.
“એલઇડીના આ યુગમાં, ફાનસ (આરજેડી પ્રતીક) માટે કોઈ સ્થાન હોવું જોઈએ નહિ,” નીતીશે નવેમ્બર 2005માં બિહારના મુખ્યમમત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી, બિહારને અંધકારના યુગમાંથી કેવી રીતે બહાર કાઢ્યો તે આડકતરી રીતે કહ્યું હતું. તેમણે લાલુપ્રસાદ યાદવ-રાબડી દેવીના શાસન પર આકરા પ્રહારો કર્યા જેમાં તેમંણે તેમના 15 વર્ષના સુશાસનની સરખામણી પાછલા શાસનના 15 વર્ષ સાથે કરવાનું કહ્યું હતું જેમાં ધોળા દિવસે બાળકોનું અપહરણ, મહિલાઓ પર બળાત્કાર, બેફામ હત્યાઓ અને નક્સલવાદીઓના હુમલા સામાન્ય હતા, અને જ્ઞાતિ અથડામણો વારંવાર થતી ઘટના હતી.
લાલુ પ્રસાદના કૌભાંડો 1990ના દાયકાથી 2014 સુધી લગભગ બે દાયકા સુધી ફેલાયેલા હતા. તેમના દ્વારા આચરવામાં આવેલા ગુનાઓનું લિસ્ટ એટલું આગળ વધે છે કે હવે આપણે તેને જેલના પરિસરમાં જ જતા અને બહાર આવતા જોઈ શકીએ છીએ. જે લોકો બિહારના ભૂતપૂર્વ સીએમનો બચાવ કરે છે તેઓ એવી દલીલ કરીને તેને તર્કસંગત બનાવે છે કે ગરીબ નેતાનું શોષણ થઈ રહ્યું છે અથવા તે ભાજપ વિરુદ્ધ આરજેડીનો મુદ્દો છે. બિહારના પ્રવર્તમાન સીએમ નીતિશ કુમાર કે જેમણે લાલુપ્રસાદ સાથે ઘણીવખત લડાઈ કરી છે, તેમણે તેમની મજબૂરીઓ અને મર્યાદાઓને કારણે બીજીવખત તેમની નૈતિકતાને બાયપાસ કરવાનો અને આરજેડી સાથેનો પક્ષ લેવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભમાં, હું માનું છું કે લાલુપ્રસાદ યાદવ, તેમના સંબંધીઓ અને કુખ્યાત કૌભાંડો વિશેની આપણી યાદોને તાજી કરવી મહત્વપૂર્ણ છે.
મેં લાલુના કેટલાક મોટા કૌભાંડોની સૂચિ બનાવવાનો પ્રયાસ કર્યો છે, જો હું અનંત સૂચિને જોતાં કેટલાક ચૂકી ગયો હોઉં તો મને માફ કરશો. કેટલાક કિસ્સાઓમાં, તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તે જેલની સજા ભોગવી રહ્યા છે, જ્યારે અન્યમાં તે એફઆઇઆર પછીના વિવિધ તબક્કામાં છે.
આ ભાગમાં પ્રસ્તુત માહિતી ભારતના અગ્રણી દૈનિકોમાંથી એકત્રિત કરવામાં આવી છે. ભારતીય જનતાને જોક્સ અને રમૂજી વીડિયોથી આગળ વધીને લાલુપ્રસાદની વાસ્તવિકતા યાદ અપાવવાનું મહત્વનું છે. જો 75 વર્ષની ઉંમરે, આપણો દેશ હજી પણ મૂળભૂત મુદ્દાઓ સામે લડી રહ્યો છે અને તેમનો સામનો કરી રહ્યો છે, તો તેનું કારણ એ છે કે નાગરિકોના પાવરહાઉસે લાલુ જેવા અનૈતિક રાજકારણીઓને હાંકી કાઢવા માટે વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં તેમના અવાજ અને મતનો ઉપયોગ કર્યો નથી.
ચારા કૌભાંડ
ચારા કૌભાંડનો પર્દાફાશ સંયુક્ત બિહારમાં 1990 દરમિયાન થયો હતો, ત્યારે ઝારખંડ હજુ રાજ્યનો એક ભાગ હતું. લાલુપ્રસાદ તે વખતે સેવા આપતા મુખ્યમંત્રી હતા. એવું જાણવા મળ્યું હતું કે ઘણાં વર્ષોથી વધુ પડતા ઉપાડનો સિલસિલો હતો. ઉદાહરણ તરીકે, વર્ષ 1993-96 વચ્ચે સરકાર દ્વારા 5,664 ડુક્કર, 40,500 મરઘી, 1,577 બકરાં અને 995 ઘેટાં ખરીદવા માટે રૂ. 10.5 કરોડની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, રાજ્યના પશુપાલન વિભાગે રૂ. 255.33 કરોડ ઉપાડી લીધા હતા. વધુ પડતા ખર્ચને ગણતરીમાં લઇને ઑડિટર જનરલના અહેવાલ મુજબ કુલ રૂ. 409.62 કરોડ ઉપાડીને છેતરપીંડી કરવામાં આવી હતી.
પશુપાલન વિભાગે કથિત રીતે અવિભાજિત બિહારના તમામ જિલ્લાઓમાં સરકારી તિજોરીમાંથી મોટી રકમની ચુકવણી માટે નકલી બિલો જારી કર્યા હતા. નોંધનીય છે કે, લાલુ પ્રસાદે આ દરમિયાન પોતાને રાજ્યના નાણા મંત્રીનો વધારાનો હવાલો સોંપ્યો હતો.
નાણાકીય અનિયમિતતાઓ પર અહેવાલ તૈયાર કરતી વખતે ઓડિટર જનરલની ટિપ્પણીઓએ જે છબી દોરી તે ચારા કૌભાંડની સમાનાર્થી બની ગઇ. તેમણે ટિપ્પણી કરી કે “પશુઓને સ્કૂટર, પોલીસ વાન, ઓઈલ ટેન્કરો અને ઓટો પર લઈ જવામાં આવ્યા હતા.”
સંબંધિત કૌભાંડમાં બિહારના બાંકા સહિત હાલના ઝારખંડના રાંચી, ચાઈબાસા, દુમકા, ગુમલા અને જમશેદપુર જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા હતા. ઘાસચારા કૌભાંડનું કદ રૂ. 950 કરોડનું અંદાજવામાં આવ્યું હતું (ડૉલર રૂપાંતરણ દ્વારા કાચા અંદાજના મૂલ્યમાં, આજના હિસાબે તે આશરે રૂ. 2,255 કરોડ હશે).
લાલુએ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસની આગને રાજકીય રંગ આપ્યો હતો
(લાલુ-નીતીશ ટક્કર)
લાલુને ખાતરી હતી કે કોંગ્રેસ હંમેશની જેમ તેમના નિયંત્રણમાં છે, તેથી, અવરોધ ફક્ત આરએસએસ/બીજેપી તરફથી જ આવી શકે છે. જો તે તેમના પર હુમલો કરતા રહે તો તેમની સલામતી બની રહેવાની હતી.
2004-09ની વચ્ચે લાલુપ્રસાદે રેલવે મંત્રી તરીકે સેવા આપી હતી અને ગુજરાતના ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસમાં લાગેલી આગની નવી તપાસનો આદેશ આપ્યો હતો, આ ઘટનામાં 27 ફેબ્રુઆરી, 2002ના રોજ 59 લોકો માર્યા ગયા હતા. પ્રસાદે તેમના રાજકીય પ્રતિસ્પર્ધી અને પૂર્વ રેલ મંત્રી નીતિશ કુમાર પર ટિપ્પણી કરી હતી કે, વિભાગીય તપાસ નહિ કરીને તે કાવતરામાં સમાન ભાગીદાર હતા.
લાલુએ દલીલ કરી હતી કે ફોરેન્સિક રિપોર્ટ મુજબ, “સાબરમતી એક્સપ્રેસના ડબ્બામાં બહારથી કોઈ જ્વલનશીલ દ્રવ્ય ફેંકવામાં આવ્યું ન હતું. કોચને માત્ર પથ્થરમારાથી જ નુકસાન થયું હતું.”
નીતિશ કુમાર (1998-99 અને 2001-04ના રેલવે મંત્રી)એ કોઈપણ કાવતરાના આરોપોને નકારી કાઢ્યા હતા અને તેમને પાયાવિહોણા ગણાવ્યા હતા. કુમારના જણાવ્યા મુજબ, ગોધરાની ઘટનાની તપાસ રેલવે સુરક્ષા કમિશ્નર દ્વારા વૈધાનિક જરૂરિયાત મુજબ કરવામાં આવી હતી.
કુમારના મતે યાદવનું નિવેદન રાજકીય પ્રકારનું હતું. તેમણે દલીલ કરી હતી કે, “હું માંગ કરું છું કે ડીઆરએમ દ્વારા દાખલ કરવામાં આવેલો ઘટના અંગેનો પ્રથમ અહેવાલ તમામ શંકાઓને દૂર કરવા માટે જાહેર કરવામાં આવે.”
લાલુની દીકરીના લગ્નઃ પટના માટે આતંક
આ ગાથા લાલુની બીજી મોટી દીકરી રોહિણી યાદવના લગ્નની આસપાસ છે. આ લગ્ન 2002માં થયા હતા જ્યારે લાલુનું ગુંડારાજ ચરમસીમા પર હતું.
લગ્નના એક દિવસ પહેલા, સુભાષ યાદવ (લાલુના સાળા)ના તાબા હેઠળના માણસોએ પટનામાં મિથિલા મોટર્સ, કાર્લો ઓટોમોબાઈલ્સ, આશિયાના હોલ્ડિંગ્સ, લોલી એન્ડ સેન, ડેવૂ મોટર્સ અને ગિની મોટર્સ સહિત અસંખ્ય કાર ડીલરશીપ પર દરોડા પાડ્યા હતા. વીઆઇપી મહેમાનોને લાવવા-લઇ જવા માટે 45 જેટલી બ્રાન્ડ નવી પ્રીમિયમ કારોને બળજબરીપૂર્વક હંકારી ગયા. જે લોકોએ પ્રતિકાર કરવાની હિંમત કરી, તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી અને તેમના શોરૂમની બારીઓના કાચ તોડી નાખવામાં આવ્યા હતા.
પટનાથી લગભગ 35 કિમી દૂર, દીદારગંજમાં ટેલ્કોના સ્ટોકયાર્ડમાં, તેમના માણસો પાંચ લક્ઝરી વાહનો – બે ટાટા સફારી અને ત્રણ ટાટા સુમો સાથે લઇ ગયા. જૂથને એસ્કોર્ટ કરવા માટે જવાબદાર કેટલાક સ્થાનિક પોલીસકર્મીઓ દ્વારા વાહનોના ડ્રાઇવરો અને ઇંધણની વ્યવસ્થા કરવામાં આવી હતી. વધુમાં, એક ડઝન દુકાનોમાંથી 100 સોફા સેટ અને અન્ય ફર્નિચરની વસ્તુઓ, રેમન્ડના વિશિષ્ટ શોરૂમ્સમાંથી રૂ. 7 લાખ રૂપિયાના ડિઝાઇનર સૂટ્સ અને કપડાં, હજારો રૂપિયાની કિંમતના આશરે 50 કિલો ડ્રાય ફ્રૂટ્સ સાથે અન્ય કરિયાણું અને મીઠાઇની ચીજો સંબંધિત વેપારીઓ પાસેથી બળજબરીથી છીનવી લેવામાં આવ્યા હતા.
લગ્નના પાંચ દિવસ પહેલા સમગ્ર રાજ્ય તંત્ર, ખાસ કરીને પટના પોલીસને મુખ્યમંત્રી, યાદવ પરિવાર અને તેમના મહેમાનોની સેવા કરવા માટે ફરજ પાડવામાં આવી હતી.
સંદેશ એકદમ સ્પષ્ટ છે, જ્યારે સીએમ મેડમ રાબડી દેવી અને તેમના પતિ લાલુ પ્રસાદની પુત્રીઓના લગ્ન થાય છે, ત્યારે સમગ્ર રાજ્યે યોગદાન આપવાનું માનવામાં આવે છે. યોગદાન સ્વૈચ્છિક છે કે અનૈચ્છિક, તેનાથી કોઈ ફરક પડતો નથી.
કાયદા વગરના પટનામાંથી કંપનીઓ ભાગી જાય છે
ઓટોમોબાઈલ જાયન્ટ ટેલ્કોએ 24 મે, 2002ના રોજ પટનામાં તેની કામગીરી બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ઓફિસો બંધ થતાં, દેશભરમાં એવી ચર્ચા ફેલાઈ ગઈ કે કંપની કદાચ રાજધાની શહેરમાંથી સંપૂર્ણ રીતે બહાર નીકળી રહી છે. જો કે, કથિત રીતે દબાણ હેઠળ ટેલ્કોએ 30 મેના રોજ તે પછીના એક અખબારી નિવેદન દ્વારા આવા દાવાને નકારી કાઢ્યો હતો.
બિહાર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના અહેવાલ મુજબ, યાદવ પરિવારના શાસનમાં તે દાયકા દરમિયાન 10,000 થી વધુ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ જીવના જોખમ અથવા ખંડણીના કારણે રાજ્ય છોડીને જતા રહ્યા ગયા હતા.
લાલુના ગુંડાગર્દીનું સંરક્ષિત રાજ્ય
• અજોડ લાલુની વાત કરીએ તો, અધમ બિનાઓ વિશે તેમનો પ્રતિભાવ સામાન્ય છે: ‘તેમને બદનામ કરવા અને પુત્રીના લગ્નને બદનામ કરવા માટેનો આ બધો પ્રચાર છે’.
• રાબડી દેવી કેબિનેટના એક વરિષ્ઠ મંત્રી, શકીલ અહમદ ખાન પણ બચાવમાં આવ્યા હતા અને કહ્યું હતું કે, “કોઈને બદનામ કરવા કોઈપણ વ્યક્તિ મામૂલી આરોપો પર એફઆઇઆર દાખલ કરી શકે છે.”
• “જબ સૈયાં ભયે કોટવાલ તો ડર કહે કા?” લાલુ યાદવ પર સમાજવાદી નેતા અને રાજકીય શોમેન અમર સિંહે કટાક્ષ કર્યો હતો.
• “મેં બહુ ખર્ચ કર્યો નથી, આ બધી વ્યવસ્થા મારા શુભચિંતકો દ્વારા કરવામાં આવી છે,” લાલુ યાદવે જ્યારે પુત્રીના લગ્ન પર થયેલા ખર્ચ વિશે પૂછવામાં આવ્યું ત્યારે કહ્યું હતું.
• “લાલુ યાદવ ઔર મુખ્ય મંત્રી કી બેટી યાની બિહાર કી બેટી,” લગ્ન સમયે ફરજ પરના ટોચના અધિકારીએ આવી વ્યંગાત્મક ટિપ્પણી કરી હતી.
• લાલુ યાદવ પોતાને એક ગરીબ માણસનો પુત્ર હોવાનું જાહેર કરે છે, સામંતવાદી તત્વો સામે લડવાની પ્રતિજ્ઞા લે છે અને જ્યારે કુખ્યાત રૂ. 950 કરોડના ઘાસચારા કૌભાંડ કેસમાં ચાર્જશીટ કરવામાં આવી હતી ત્યારે દાવો કર્યો હતો કે તેઓ રાજકીય રીતે ભોગ બન્યા છે.
બિહાર વિધાનસભામાં ભાજપના વિપક્ષી નેતા સુશીલ કુમાર મોદીએ લાલુ અને રાબડી દેવી પાસેથી બિનશરતી માફીની તેમજ એફઆઈઆર દાખલ કરવામાં વિલંબની તપાસ કરવાની માંગ કરી હતી. તેમણે વધુમાં ટિપ્પણી કરી હતી કે, “અમે આરજેડી કાર્યકર્તાઓ અને તેમના અસામાજિક તત્વો દ્વારા આ ખુલ્લેઆમ ગુંડાગીરી અંગે કોર્ટમાં જઈને પીઆઈએલ દાખલ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.” મોદીએ એવો પણ આરોપ મૂક્યો છે કે લગ્નમાં અંદાજે રૂ. 5 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે અને આવકવેરા વિભાગને વિનંતી કરવામાં આવે છે કે ખર્ચ પર તે ગંભીરતાથી વિચાર કરે.
લાલુ વિરુદ્ધ કર્પૂરી ઠાકુર
ભારતીય રાજકીય માહોલમાં એક નવી કોર્પોરેટ સંસ્કૃતિ ઊભરી રહી હોય તેવું લાગે છે. રાજકારણીઓ દ્વારા આદર્શમૂલક મૂલ્ય પ્રણાલીઓ અને વાસ્તવમાં પ્રદર્શિત થતા આચરણના ધોરણો વચ્ચે દેખીતી રીતે અસંગતતા છે.
લાલુ બિહારના પ્રથમ બિન-કોંગ્રેસી મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને પોતાના ‘રાજકીય ગુરુ’ માનતા હતા. તેઓ દલિતો અને ગરીબો માટેના વાસ્તવિક હિમાયતી તરીકે આદરણીય છે. તેમ છતાં, કર્પૂરી ઠાકુર જ્યારે મુખ્ય મંત્રી હતા ત્યારે તેમની પુત્રીના લગ્ન અને 2002માં લાલુની પુત્રીના લગ્ન વચ્ચે આપણને તીવ્ર તફાવત જોવા મળે છે.
• ઠાકુરે તેની પુત્રીને તેના વતન ગામમાં પરણાવી હતી. જ્યારે લાલુ યાદવે રોહિણીના લગ્ન માટે લગભગ 10,000 કાર્ડ છાપ્યા હતા. કર્પૂરી ઠાકુરે કોઈ આદેશ આપ્યો ન હતો.
• લાલુ-રાબરીએ આમંત્રણો આપવા માટે જનસંપર્ક વિભાગ, સબ-ઇન્સ્પેક્ટર્સ, પોલીસકર્મીઓ અને મેજિસ્ટ્રેટ્સની સેવાઓ લીધી હતી. કર્પૂરી ઠાકુરે તેમના તમામ અધિકારીઓને ચેતવણી આપી હતી કે જો તેમાંથી કોઈ લગ્ન સ્થળની નજીક પણ જોવા મળશે અથવા સમારોહની તૈયારીમાં વ્યસ્ત હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. શરૂઆતમાં, કેબિનેટ સભ્યોને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી ન હતી, જો કે, જ્યારે તેઓને જાણ કરવામાં આવી ત્યારે તેઓએ ઠાકુરને મદદની ઓફર કરી. જેના પર તેણે જવાબ આપ્યો, “તે કર્પૂરી ઠાકુરની પુત્રીના લગ્ન છે, મુખ્યમંત્રીની પુત્રીના નહીં”.
• દિવંગત ઠાકુરના નજીકના મદદનીશ કહે છે કે તેમણે સિત્તેરના દાયકાના મધ્યમાં લગ્ન પર કુલ રૂ. 10,000-11,000નો ખર્ચ કર્યો હતો. તેનાથી ઊલટુ, આપણે જોયું છે કે લાલુએ તેમની પુત્રીના લગ્ન પર આશરે રૂ.3-4 કરોડનો ખર્ચ કર્યો હતો.
રેલવે મંત્રી તરીકે લાલુ = જમીન માફિયા
એવું નોંધવામાં આવ્યું છે કે આરજેડી નેતાઓની મોડસ ઓપરેન્ડી લોકોને નોકરીની લાલચ આપવાની અને તેના બદલામાં જમીનની માંગ કરવાની હતી.
“મોડસ ઓપરેન્ડી એ હતી કે તમે મને જમીન આપો અને તેના બદલામાં હું રેલવેમાં ગ્રુપ ડીની નોકરી આપીશ. અહીં, જમીન સૌપ્રથમ કોઈ બીજાના નામે આપવામાં આવી હતી અને 5-6 વર્ષ પછી તે યાદવ અને તેના પરિવારને ભેટમાં આપવામાં આવી હતી.” – કથિત ગ્રુપ-ડી કર્મચારીએ આ જણાવ્યું હતું.
એફઆઈઆરમાં, જે હવે જાહેર કરવામાં આવી છે, તેમાં સીબીઆઈએ “નોકરી માટે જમીન” કૌભાંડ કેવી રીતે આચરવામાં આવ્યું તેની વિગતો આપી છે. સીબીઆઈ દ્વારા નીચેની રજૂઆત કરવામાં આવી હતી.
• વર્ષ 2004-09 વચ્ચે જ્યારે લાલુ પ્રસાદ યાદવ રેલવે મંત્રી હતા ત્યારે છ જુદા જુદા ઝોનમાં 12 વ્યક્તિઓને અવેજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને સાત જમીનના સોદા થયા હતા.
• તપાસમાં જાણવા મળ્યું કે પટનામાં સાત વેચાણ સોદા દ્વારા 1,05,292 ચોરસ ફૂટ જમીન સંપાદિત કરવામાં આવી હતી. તેમાંથી પાંચ વેચાણ સોદા અને બે ભેટના સોદા હતા. તમામ સંપાદિત જમીન રોકડ રકમથી ખરીદવામાં આવી હતી. સંપાદિત જમીનના સર્કલ રેટની વર્તમાન કિંમત રૂ. 4.39 કરોડ થાય છે.
• લાલુના પરિવાર દ્વારા ખરીદવામાં આવેલી જમીનની કિંમત બજારના દર કરતા ઘણી ઓછી હતી અને જમીનની પ્રવર્તમાન કિંમત સર્કલ રેટ કરતા ઘણી વધારે છે.
• કોઈ જાહેર જાહેરાત અથવા જાહેર સૂચના જારી કરવામાં આવી ન હતી, તેમ છતાં પટનાના રહેવાસીઓને મુંબઈ, જબલપુર, કોલકાતા અને હાઝીપુર રેલવે ઝોનમાં અવેજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
• ઉમેદવારોની એપોઈન્ટમેન્ટ્સ ફાઇલ કરતી વખતે તેમની અરજીઓમાં કોઈ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું ન હતું. તેમણે સેન્ટ્રલ રેલવે હેઠળના જનરલ મેનેજરનું પૂરું સરનામું પણ આપ્યું ન હતું. જો કે, તેમ છતાં અરજીઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી અને નિમણૂંકો કરવામાં આવી હતી.
લાલુ અને તેમના પરિવારના સભ્યો સામે ભ્રષ્ટાચારનો વધુ એક કેસ તપાસ હેઠળ છે. સીબીઆઈએ 2018માં આ કેસમાં લાલુ, તેમની પત્ની રાબડી દેવી અને પુત્ર તેજસ્વી યાદવ સામે ચાર્જશીટ કરી હતી, જેમાં તેમણે રેલવે મંત્રી તરીકે ફરજ બજાવતા સમયે પટનામાં મોકાની જમીન માટે ખાનગી કંપનીની તરફેણ કરી હતી.
સીબીઆઈની તપાસ દર્શાવે છે કે રેલવે વિભાગે 16 સપ્ટેમ્બર, 2006ના રોજ રેલ રત્ન હોટેલ્સના વિકાસ, સંચાલન અને જાળવણી માટે બિડ મંગાવી હતી. તપાસ એજન્સીએ તારણ કાઢ્યું હતું કે લાલુ પ્રસાદ યાદવ, રેલવે મંત્રી તરીકે સમગ્ર પ્રક્રિયાથી વાકેફ હતા અને ટેન્ડરની કાર્યવાહીનો ટ્રેક રાખી રહ્યા હતા. સુજાતા હોટેલ્સને ટેન્ડર અપાયા પછી, 2010 અને 2014 ની વચ્ચે ડીલાઇટ માર્કેટિંગની માલિકી સરલા ગુપ્તા પાસેથી રાબડી દેવી અને તેજસ્વી યાદવના હાથમાં ગઈ. આ સમય સુધીમાં લાલુ પ્રસાદે રેલવે મંત્રીનું કાર્યાલય છોડી દીધું હતું.
સીબીઆઈએ યાદવ પર રેલવે મંત્રી તરીકે તેમના પદનો દુરુપયોગ કરવાના ગંભીર આરોપો લગાવ્યા છે અને સમગ્ર કૌભાંડના ભાગ હોવા બદલ તેમની પત્ની રાબડી દેવી અને બે પુત્રીઓ મીસા અને હેમા સામે પણ કેસ દાખલ કર્યો છે.
2017માં, સીબીઆઈએ લાલુ પ્રસાદ યાદવ અને અન્ય લોકો વિરુદ્ધ તેમના તે કાર્યકાળ દરમિયાન કેસ દાખલ કર્યો હતો, જેમાં તેમના પર બિહાર સ્થિત હોટલ ગ્રુપને પ્રાઇમ રેલવે આઇઆરસીટીસી પ્રોપર્ટી વેચવાનો આરોપ લગાવ્યો હતો. લાલુ અને અન્યને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને હાલમાં તેઓ જામીન પર બહાર છે.
🗃️ This story is from our archives and may contain outdated information.
Recent Stories
- IIM Ahmedabad Opens New AI School Backed by ₹100 Crore Donation from Alumna
- IMD to Set Up Doppler Weather Radars in Ahmedabad, Surat Under Mission Mausam
- IPL 2026: We Want to Score Big Runs Consistently, Says Gujarat Titans Captain Shubman Gill
- Gujarat HC Seeks NHAI Affidavit on NH-8 Repairs, Toll Collection and Maintenance Spending
- Surat - Mangaluru Express Regularised; Direct Link to Goa and Karnataka
