| વધારે કેલરીયુક્ત આહારથી પુત્રપ્રાપ્તિની શક્યતા વધે ! |
|
|
|
| દુનિયા | |
| द्वारा/by : Neel | |
| Thursday, 24 April 2008 | |
|
'પ્રોસિડિંગ્સ ઓફ ધ રોયલ સોસાયટી બાયોલોજિકલ સાયન્સીસ' જર્નલમાં પ્રકાશિત થયેલા આ અહેવાલ અનુસાર, પુત્રી ઝંખતી સગર્ભાએ કેલરી, ખનીજતત્ત્વો અને પોષકતત્ત્વોનું ઓછું પ્રમાણ ધરાવતો લો-એનર્જી આહાર લેવો જોઇએ. આ અભ્યાસ હાથ ધરનારા બ્રિટનની યુનિર્વિસટીનાં પ્રાધ્યાપિકા ફિઓના મેથ્યુઝ અને તેમના સાથીઓ એ જાણવા ઇચ્છતા હતા કે, સગર્ભા સ્ત્રીના આહારની તેના સંતાનની જાતિ ઉપર અસર થાય છે કે નહીં? અભ્યાસ અંતર્ગત તેમણે પ્રથમ વાર સગર્ભા થયેલી અને ગર્ભસ્થ શિશુની જાતિ જાણતી ન હોય તેવી કુલ ૭૪૦ મહિલાઓને ગર્ભાવસ્થા પૂર્વેના અને પછીના આહાર વિશે પૂછયું હતું. ગર્ભાવસ્થા દરમિયાન તે મહિલાઓ દ્વારા લેવાતા દૈનિક આહારની કેલરીના પ્રમાણ અનુસાર તેમને ત્રણ જૂથમાં વહેંચવામાં આવી હતી. વધુ કેલરીયુક્ત આહાર લેતી મહિલાઓ પૈકી ૫૬ ટકાએ પુત્રને જન્મ આપ્યો હતો, જેની સરખામણીમાં ઓછી કેલરીવાળો આહાર લેનારી ૪૫ ટકા સ્ત્રીઓને પુત્રપ્રાપ્તિ થઇ હતી. રિસર્ચર્સે ઉમેર્યું હતું કે, આ ચોંકાવનારાં તારણો છેલ્લા ચાર દાયકામાં બાળકીઓના જન્મમાં થયેલા તબક્કાવાર વધારા સાથે સાતત્ય ધરાવે છે. જ્યાં ઘણી સગર્ભા સ્ત્રીઓ ઓછી કેલરીયુક્ત આહાર લેવાનું પસંદ કરતી હોય છે તેવા વિકસિત દેશોમાં પુત્રજન્મનું પ્રમાણ શા માટે ઘટી રહ્યું છે તે અંગે વધુ સ્પષ્ટતા કરવામાં આ અભ્યાસ મદદરૃપ થઇ શકે તેમ છે.
Set as favorite
Bookmark
Email This
Hits: 90 Comments (0)
![]() Write comment
|
|
| आखरी बार संपादन किया गया ( Friday, 25 April 2008 ) | |
| अगला > |
|---|