કેજરીવાલની બેવડી ફોર્મ્યુલા
August 05, 2022
By Himanshu Jain
હિમાચલ પ્રદેશ અને ગુજરાત, આ રાજ્યોમાં આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બર સમયગાળા દરમિયાન ચૂંટણીઓ યોજાવાની છે. દેખીતી રીતે, કેજરીવાલ મેદાનમાં છે, બંને રાજ્યોમાં આક્રમક રીતે પ્રચાર કરી રહ્યા છે. આ સંદર્ભમાં અમે એક રસપ્રદ કેસ સ્ટડી કરવા પ્રેરાયા છીએ કે જે ચૂંટણીવાળા રાજ્યોમાં કેજરીવાલના પ્રચારની વિલક્ષણ શૈલીને ઓળખી શકે.
તે દરેક રાજ્યની ચૂંટણીમાં એક નિશ્ચિત ફોર્મ્યુલાનું પાલન કરે છે. દાખલા તરીકે, પંજાબના કિસ્સામાં, તેમણે તે વાત ભારપૂર્વક કહી હતી કે તે રાષ્ટ્રીય સંરક્ષણ સેવાઓમાં સૌથી વધુ કર્મચારીઓનું યોગદાન આપે છે, જો કે, તે પછી ઉત્તરાખંડની ચૂંટણી દરમિયાન પણ એ જ દાવો કર્યો. સ્પષ્ટપણે, કેજરીવાલ એક એવો માણસ છે જે વિશાળ જનતાને ખોટા દાવાઓ કરતા કે અવ્યવહારુ વચનો આપતા અચકાતો નથી.
તે દિલ્હી અને પંજાબ રાજ્ય સરકારોના જાહેરાત બજેટ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સનો લાભ લે છે. તેને ઘણા બધા મીડિયા હાઉસનો ટેકો મળે છે, જેમને બદલામાં મોટા પ્રમાણમાં જાહેરાત બજેટ્સ આપવામાં આવે છે. તેમ છતાં, ગોવા, ઉત્તરાખંડ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશના સમજદાર નાગરિકોએ તેમને તેમના રાજ્યોમાં બહુ ઘૂસવા દીધા નથી.
કેજરીવાલ દિલ્હી અને પંજાબ વિધાનસભા એમ બે રાજ્યોની ચૂંટણીમાં જીત પર બેઠા છે. દિલ્હીમાં, MCD અને 7 એમપી બેઠકો ભાજપના શાસન હેઠળ છે. જો કે, બંને કિસ્સામાં કોંગ્રેસનો સંપૂર્ણ પરાજય થયો હતો. વધુમાં, એ નોંધવું જોઈએ કે પંજાબની ચૂંટણીના કિસ્સામાં અલગતાવાદી તત્વોને કથિત અને વિવાદાસ્પદ સમર્થન આપવામાં આવ્યું હતું.
1. ‘કેજરીવાલ કી ગેરંટી’
ગોવા વિધાનસભા ચૂંટણી : (2 બેઠકો અને 6.8% મત હિસ્સો)
દિલ્હીના મુખ્યમંત્રી, શ્રી અરવિંદ કેજરીવાલે અત્યાર સુધીમાં તેમની પાર્ટીની જીત માટે પ્રચાર કરવા માટે કુલ ચાર વખત ગોવાની મુલાકાત લીધી છે. દરેક મુલાકાત વખતે AAP સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ‘કેજરીવાલ કી ગેરન્ટી’ના રૂપમાં ખોટા વચનોને પ્રોત્સાહન આપે છે. આ કહેવાતી ગેરન્ટી નીચેનું ઓફર કરે છે:
- AAPએ ગોવામાં 300 યુનિટ સુધી મફત વીજળી, ખેડૂતોને મફત વીજળી અને અવિરત વીજ પુરવઠો આપવાનું વચન આપ્યું હતું.
- પાર્ટીએ રાજ્યના સ્થાનિક નાગરિકો માટે ખાનગી ક્ષેત્ર સહિતની તમામ નોકરીઓમાંથી 80% અનામત રાખવાનું વચન આપ્યું હતું.
- વધુમાં, કેજરીવાલે દરેક પરિવારના ઓછામાં ઓછા એક બેરોજગાર સભ્યને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું હતું, તેની સાથે બેરોજગાર યુવાનો માટે રૂ.3,000નું માસિક ભથ્થું પણ. જ્યાં સુધી તેમને આજીવિકાનો સ્ત્રોત ન મળે.
- AAP એ છ મહિનાની અંદર આયર્ન ઓરનું ખનન ફરી શરૂ કરવાનું અને ત્યાં સુધી ખાણ ઉદ્યોગ પર નિર્ભર લોકોને માસિક ભથ્થું પૂરું પાડવાનું વચન પણ આપ્યું હતું,
- વધુમાં, પાર્ટીએ કહ્યું છે કે તે ઓટો રિક્ષા અને ટેક્સી ડ્રાઇવરોને પદાધિકારીઓ તરીકે સમાવતા કોર્પોરેશનની સ્થાપના કરશે જે તેમને સંબંધિત તમામ બાબતો પર નિર્ણય લેશે.
- અન્ય વચન ‘તીર્થ યાત્રા યોજના’ છે, જેના હેઠળ પક્ષે તમામ હિંદુઓ માટે અયોધ્યા, કૅથલિકોને તમિલનાડુમાં વેલંકન્ની અને મુસ્લિમો માટે રાજસ્થાનમાં અજમેર શરીફની યાત્રાઓને સ્પોન્સર કરવાનું વચન આપ્યું છે.
- પક્ષે એ પણ વચન આપ્યું હતું કે તેનો મુખ્ય પ્રધાનપદનો ઉમેદવાર ભંડારી જાતિમાંથી કોઈ નેતા હશે, જે અન્ય પછાત વર્ગો (ઓબીસી) હેઠળ આવે છે, અને નાયબ મુખ્ય પ્રધાનના પદ માટે કૅથોલિક ચહેરાને ઉમેદવાર બનાવશે.
ગોવાની તેમની નાની-નાની મુલાકાતો દરમિયાન, તેમણે રાજ્યના મંદિરોની પણ મુલાકાત લીધી હતી. તમામ કાલ્પનિક પ્રચાર છતાં, અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની AAP, જે તેની તમામ શક્તિ સાથે ગોવામાં ચૂંટણી મેદાનમાં ઉતરી હતી, તેણે મત હિસ્સામાં થોડો વધારો નોંધાવ્યો હતો- 2017માં 6.3 ટકા હતો તેનાથી આ વખતે 6.8 ટકા થયો છે.
ઉત્તરાખંડ : (0 બેઠકો અને 3.31% મત હિસ્સો)
ઉત્તરાખંડમાં અરવિંદ કેજરીવાલે 4 ગેરન્ટી આપી હતી
- ગેરન્ટી 1: જો પાર્ટી સત્તામાં આવશે તો આમ આદમી પાર્ટી (AAP) ઉત્તરાખંડના દરેક પરિવારને 300 યુનિટ વીજળી મફતમાં આપશે.
- ગેરંટી 2: તમામ જૂના વીજ બિલો માફ કરવામાં આવશે.
“છેલ્લા કેટલાક મહિનાઓથી, અમારી પાર્ટીના કાર્યકરો ઘરે ઘરે જઈ રહ્યા છે. એવા ઘણા કિસ્સાઓ છે કે જ્યાં લોકોને ખોટા વીજ બિલ મળ્યા છે, જે ઘણી વખત જાણી જોઈને કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિને ₹60,000નું ખોટું બિલ મળે છે. હવે જ્યારે વ્યક્તિ તેને સુધારવા જાય છે, ત્યારે તેને ₹10,000 ચૂકવવાનું કહેવામાં આવે છે અને બિલ માફ કરવામાં આવશે. અને પછી વ્યક્તિ અહીંથી ત્યાં સુધી દોડતો રહે છે,” એમ કેજરીવાલે કહ્યું હતું. તેમની દલીલ છે કે ખોટા બિલોની મોટી સંખ્યા ઉમેરવાથી તેને સુધારવાનું સરકારી તંત્રની ક્ષમતાની બહાર હશે.
- ગેરન્ટી 3: ઉત્તરાખંડમાં કોઈ પાવર કટ નહીં થાય અને વીજળી 24×7 ઉપલબ્ધ રહેશે. કેજરીવાલે ધ્યાન દોર્યું કે મફત વીજળીનો અર્થ એ નથી કે તે ઓછી માત્રામાં આપવામાં આવશે.
- ગેરંટી 4: ઉત્તરાખંડના તમામ ખેડૂતોને મફતમાં વીજળી મળશે.
વધુમાં:
દિલ્હીના મુખ્યમંત્રીએ છ મહિનામાં એક લાખ નોકરીઓનું વચન આપ્યું હતું, 5,000 રૂપિયાનું માસિક ભથ્થું, 80% સરકારી અને ખાનગી નોકરીઓ ઉત્તરાખંડના યુવાનો માટે આરક્ષિત હશે અને તેમના માટે જોબ પોર્ટલ પણ શરૂ કરશે.
તેમની છેલ્લી મુલાકાત દરમિયાન, અરવિંદ કેજરીવાલે એવી પણ જાહેરાત કરી હતી કે તેઓ ઉત્તરાખંડને ભારતની આધ્યાત્મિક રાજધાની તરીકે સ્થાપિત કરશે.
ઉત્તરાખંડમાં AAPને 0 સીટો અને 3.31% વોટ મળ્યા છે.
2. ‘બીજેપી, આપ સે ડરતી હૈ’
1 “દિલ્હી ભાજપ જંગી હારના ડરથી MCD ચૂંટણીમાં વિલંબ કરી રહી છે. એક પછી એક દેશનો દરેક પક્ષ ખતમ થઈ રહ્યો છે. તેમણે (ભાજપ) તે બધાને તોડી નાખ્યા; આખો દેશ જોઈ રહ્યો છે… કેવલ આમ આદમી પાર્ટી હૈ જીસ સે ભાજપ કી પેન્ટ ગીલી હોતી હૈ. બીજેપી કે ટોપ કે નેતા દોનો આપ સે ડરતે હૈં (માત્ર AAP જ ભાજપનું પેન્ટ ભીનું કરી શકે છે. પાર્ટીના ટોચના બે નેતાઓ AAPથી ડરે છે).
2. “અરવિંદ કેજરીવાલે ગોવાના લોકોને ચોક્કસ બાંયધરી આપી છે કે જો AAP સત્તામાં આવશે તો તેઓ તેમના વચન પૂરા કરશે. જ્યારે પણ કેજરીવાલ વચન આપે છે ત્યારે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત તેની નકલ કરે છે અને કેટલીક જાહેરાત કરે છે. એટલા માટે અમે કહીએ છીએ કે AAP સ્થિતિનું નિર્માણ કરી રહી છે. – ગોવામાં AAPના કન્વીનર રાહુલ મ્હામ્બ્રેએ ધ પ્રિન્ટને જણાવ્યું હતું.
3. ઉત્તરાખંડના મુખ્યમંત્ર તીરથ સિંહ રાવતના રાજીનામાની મજાક ઉડાવતા, AAPએ શુક્રવારે દાવો કર્યો હતો કે રાવતે રાજીનામું આપ્યું હતું કારણ કે તેમને AAPના ઉમેદવાર કર્નલ કોઠીયાલનો સામનો કરવાનો ડર હતો. છેવટે, કર્નલ કોઠીયાલ વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજા ક્રમે આવ્યા અને આખરે ભાજપમાં જોડાયા.
4. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો કોઈ એવી પાર્ટી છે જેનાથી ભાજપ ડરે છે તો તે આમ આદમી પાર્ટી (AAP) છે.
5. “ભાજપ માટે એક જ દવા છે અને તે છે AAP… ભાજપ માત્ર AAPથી ડરે છે… ગુજરાત પરિવર્તન માંગી રહ્યું છે…” – દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ
6. “ભાજપની ટોચની નેતાગીરીને કેજરીવાલજીથી ખૂબ જ ડર લાગે છે. બીજેપી પ્રમુખ નડ્ડા અને નવા મુખ્યમંત્રીપદનો ચહેરો અનુરાગ ઠાકુર એચપી (હિમાચલ પ્રદેશ) પહોંચ્યા અને રાત્રે 12 વાગ્યે AAPના એક અધિકારીને (તેમના પક્ષમાં) સામેલ કર્યા. AAP આજે તેમને મહિલાઓ વિરુદ્ધ તેમના ગંદા કૃત્યોના આરોપમાં હટાવવાની હતી, ”-એમ મનીષ સિસોદિયાએ ટ્વિટ કર્યું હતું.
7. સિસોદિયા, જે આબકારી વિભાગના પ્રભારી છે, તેમણે કોવિડ -19 રોગચાળાના બહાના હેઠળ ટેન્ડર કરેલ લાઇસન્સ ફી પર, દારૂની કાર્ટેલને નોંધપાત્ર રૂ. 144.36 કરોડની માફીને મંજૂરી આપી હોવાનો આક્ષેપ છે. આક્ષેપને નકારી કાઢતા કેજરીવાલે કહ્યું: “ભાજપ અમારી પાછળ પડી ગયો છે અને તેઓ હવે દેશભરમાં પાર્ટીના વિસ્તરણથી ડરી ગયા છે.”
નાગરિકોને પ્રલોભનોની ગેન્ટરીઓ આપવી અને ભાજપ AAPથી ડરેલી છે એવી છબી બનાવવાની પુનરાવર્તિત ટ્વીન ફોર્મ્યુલા હવે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં લાગુ કરવામાં આવી રહી છે.
આવા ખોટા દાવાઓ અને વચનો પાછળનું સત્ય પહેલેથી જ ખુલ્લું પડી ગયું છે. AAPએ ‘રેવડી સંસ્કૃતિ’ અને બૂમરાણ કરવા કરતા વધુ સખત પ્રયત્નો કરવા પડશે, કારણ કે ભારતીય મતદાર વધુ પરિપકવ છે.
દેશના લોકો આ વલણોને નિહાળી રહ્યા છે. વાસ્તવમાં, AAP પંજાબમાં 92 બેઠકો સાથે સત્તામાં આવી ત્યાર પછીના બે મહિનામાં, પાર્ટી સંગરુર લોકસભા બેઠક જાળવી રાખવામાં નિષ્ફળ ગઈ, જે ભગવંત માન બે વખત જીતી ચૂક્યા હતા.
તે સ્પષ્ટ છે કે પંજાબમાં કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, આરોગ્ય અને ઉદ્યોગો જેવા મુખ્ય વિભાગોની સ્થિતિ પહેલાથી જ ખરાબ છે. ચૂંટણી થવાની છે તે રાજ્યોમાં રહેતા લોકો આ ઉદાહરણો પર સતર્ક રીતે નજર રાખી રહ્યા છે.
The author can be reached at @HemanNamo
દેશ ગુજરાત
🗃️ This story is from our archives and may contain outdated information.
Recent Stories
- IMD to Set Up Doppler Weather Radars in Ahmedabad, Surat Under Mission Mausam
- IPL 2026: We Want to Score Big Runs Consistently, Says Gujarat Titans Captain Shubman Gill
- Gujarat HC Seeks NHAI Affidavit on NH-8 Repairs, Toll Collection and Maintenance Spending
- Surat - Mangaluru Express Regularised; Direct Link to Goa and Karnataka
- Gujarat Likely to Get 11 Greenfield Airports as Centre Approves UDAN 2.0
