Andar Bahar Gujarat:December 2007 Archive(Gujarati Text)
abg is regularly available at http://deshgujarat.com/abg
![]() |
ફોટામાં:ગુજરાતના મિશનરી પ્રભાવિત ડાંગની વિધાનસભા સીટ જીતેલા
ભાજપના સૌ પ્રથમ વ્યક્તિ વિજયભાઈ પટેલ
-ખ્રિસ્તિઓ ક્રિસમસ ટાણે બાપ્તિસ્મા આપતા હોવાથી હિંસા થાય છે
-ઈસુએ શૂળી પર ચડીને જેમ ચડાવનારાઓને માફી આપી હતી એમ ફાધરોએ હુમલાખોરોને માફી આપે
-ગુજરાતના મિશનરી પ્રભાવિત ડાંગ વિસ્તારમાં પહેલી જ વાર ભાજપ જીત્યુ છે એ સારા સમાચાર છે
-હિંદુ મંદિરોની કરોડોની કમાણી ચેનલાઈઝ થઈને મિશનરી પ્રભાવિત વિસ્તારોમાં ધર્મરક્ષા કાજે વપરાવી જોઈએ
29-12-2007
અમદાવાદના મણિનગર વિસ્તારનો આ કિસ્સો છે. ચુસ્ત હિંદુ પરિવારની દીકરીના લગ્ન તેની જ્ઞાતિના જ હિંદુ છોકરા સાથે થયા. શરૂઆતમાં તો બધુ ઠીક ચાલ્યુ પરંતુ પછી હિંદુ છોકરો એના ખ્રિસ્તી મિત્રોના કહેવાથી એક દિવસ મિશનરી ચર્ચમાં ગયો. આ પછી તો છોકરો ચર્ચની લતે ચડ્યો. રવિવારે ભલભલા કામ છોડીને પણ એ ચર્ચમાં જાય. ધીરે ધીરે એ સંપૂર્ણપણે કટ્ટર ખ્રિસ્તિ બની ગયો. વાતો પણ બાઈબલની કરે, ચર્ચા પણ એની કરે, ખ્રિસ્તિ ધર્મના ગુણગાન ગાય. કામકાજમાં પણ એનું ધ્યાન ઓછુ થવા લાગ્યુ. પત્નીને પણે એ દબાણ કરવા લાગ્યો કે તેણી ખ્રિસ્તિ ધર્મ અંગીકાર કરી લે. પત્ની ચુસ્ત હિંદુ બાઈ હોવાથી તેણીએ આનો ધરાર ઈનકાર કર્યો. પતિએ ઘરમાં મંદિર-પૂજા બધુ બંધ કરાવ્યુ. પત્ની દરરોજ રડ્યા કરે. છેવટે તો પતિએ એટલે સુધી કહ્યુ કે ક્યાં ખ્રિસ્તિ બન ક્યાં જતી રહે ઘરમાંથી.આ પિડિત પત્ની એના પિતા અને અન્ય સગાઓ સાથે પત્રકારો સમક્ષ એની કથની રજૂ કરવા આવી હતી.
લગભગ ૧૯૯૯ની સાલમાં અમદાવાદમાં જુનાગઢથી મા બાપનો એકનો એક દીકરો ઈસરોમાં એન્જીનીયરીંગની ટ્રેનીંગ લેવા આવ્યો હતો. એના અમદાવાદના ઈસરો નજીકના જ ભાડે ઘર નજીક ચાલતી ખ્રિસ્તી મિશનરીમાં એ જતો થઈ ગયો. અને એટલી હદે ખ્રિસ્તિ બની ગયો કે મા બાપ, એન્જીનીયરીંગ છોડીને મિશનરીના કામ માટે એટલેકે અન્યોને વટલાવવા માટે ધર્મપ્રચારક બની ગયો. મા બાપે પોલીસ કેસ કર્યો. પણ દીકરો પુખ્ત વયનો હોવાથી પોલીસ કશું જ કરી શકે એમ ન હતી.
આખા દેશ અને દુનિયાની માફક ગુજરાતમાં પણ જબરજસ્ત વટલાવ પ્રવૃત્તિ ચાલી રહી છે. મારા અંદાજે મહિનાના ત્રણ આંકડામાં હિંદુઓ ખ્રિસ્તિ બની રહ્યા છે. ઓરિસ્સામાં હમણા ક્રિસમસ ટાણે ખ્રિસ્તિ ચર્ચો પર હુમલા થયા. અંગ્રેજી મિડિયાને પાછી હિંદુઓની ભત્સણા કરવાનો આનંદ હાથ લાગ્યો. ગુજરાતમાં ડાંગમાં પણ કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે ક્રિસમસ ટાણે જ ખ્રિસ્તિઓ પર હુમલા થયા હતા. હમણા ક્રિસમસ પહેલા વડોદરાના કવાંટ વિસ્તારમાં આદિવાસીઓએ ખ્રિસ્તિ મિશનરી પર હુમલો કર્યો હતો. ક્રિસમસ ટાણે ખ્રિસ્તિઓ પર હુમલા થાય છે એની બૂમરાણ મચાવતા ફાધરો અને તેમનુ મિડિયા એ જાણવાની તસદી લેતુ નથી કે હુમલા કેમ થાય છે.
હકીકત એ છે કે વર્ષ દરમિયાન વટલાવાયેલા હિંદુઓને મિશનરીઓ બાપ્તિસ્માની વિધિ ક્રિસમસના તેમના પવિત્ર મનાતા દિવસોમાં કરે છે. આ બાપ્તિસ્માની વિધિ એ વિધિ છે કે જેમાં માણસને પાણીમાં ડૂબાડવામાં આવે છે. આ પછી તે પોતાનો જૂનો ધર્મ છોડીને ખ્રિસ્તિ બન્યો કહેવાય છે. નદી, તળાવ જેવા સ્થળોએ મોટી સંખ્યામાં લોકોને ભેગા કરીને બાપ્તિસ્મ અપાય છે. એટલે ધમાલ થાય છે ક્રિસમસના ગાળામાં. બીજુ કે મિડિયા જે ચર્ચો સળગ્યા હોવાની વાતો કરે છે એ કોઈ સિમેન્ટ-ઈંટોના પાકા બાંધેલા ચર્ચો નથી હોતા. આદિવાસી એરિયામાં ઠેકઠેકાણે કાચા છાપરાવાળા કે મોટા મંડપ જેવા ચર્ચો ચાલતા હોય છે જેમાં રવિવારે ભેગા થઈને પ્રાર્થના કરવામાં આવે છે. આને ચર્ચ કહેવાય છે. ગામેગામ વિરોધ થાય એટલે લોકોના નિશાન પર આવા સ્થળો હોય એ સ્વાભાવિક છે.
કવાંટમાં આદિવાસીઓએ ડોન બોસ્કોની મિશનરીની ટીમ પર પથ્થરો માર્યા, ભગાડ્યા, કાર તોડી અને મિશનરીની આંગળીઓ પણ તોડી. આ પછી ગુજરાતના બે અંગ્રેજી અખબારો મિશનરીના વકીલ બની ગયા અને સ્ટોરીઓ લખવાની શરૂ કરી કે હજુ કોઈની ધરપકડ કેમ નથી થઈ? પેલા ફાધર પણ આ માંગણીમાં ભળ્યા. મારુ પૂછવુ એ છે કે ઈસુને શૂળી પર ચડાવ્યા ત્યારે પણ તેમણે આમ કરનારાઓની માફીની માંગણી કરી હતી. આ પાદરીઓ ક્રોસ લગાવીને ફરે છે પણ તેમનામાં આનો ગુણ જરા પણ નથી ? તેઓ શું કરતા હતા તો આદિવાસીઓએ હુમલો કર્યો હતો ? એ વાત કેમ નથી જણાવતુ મિડિયા?
સાઉદી અરેબિયા પયગંબરની ભૂમિ હોવાથી ત્યાંના એરપોર્ટ પર તમે કૃષ્ણની મૂર્તિ લઈને પણ ઉતરી શકતા નથી. ભારત હિંદુ, બૌદ્ધ, જૈન ધર્મની ભૂમિ છે. આપણુ બંધારણ ઘડતી વખતે આપણે ધર્મનિરપેક્ષ હોવાનું સ્વીકાર્યું એટલે દરેકને પોતાની મરજીનો ધર્મ પાળવાની છૂટ મળી ગઈ. પાળવાની છૂટ તો ખરી ફેલાવવાની પણ છૂટ મળી ગઈ. જ્યાં ગાયો નહીં કપાય, જ્યાં ધર્માંતરણ નહીં થઈ શકે એવા આરએસએસની કલ્પનાના હિંદુ રાષ્ટ્રની પ્રતીક્ષા ક્યાં સુધી કરવી પડશે એ પ્રશ્નનો કોઈ ઉત્તર નથી મળતો. એમ લાગે કે હિંદુ રાષ્ટ્રની અહલેક જગાવનારાઓનું શાસન આવ્યું ત્યાં તો ખ્રિસ્તિ ધર્મની રાજધાની રોમ-ઈટાલીની પુત્રીનું શાસન આવી જાય છે.
જ્યાં જ્યાં ખ્રિસ્તિ ધર્માંતરણ ચાલે છે ત્યાં ત્યાં હિંસા થાય છે. ખ્રિસ્તિ ધર્માંતરણ કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ જોખમી પ્રવૃત્તિ છે. સામાજિક રીતે પણ મેં ઉપર મણિનગર અને જુનાગઢના કિસ્સા લખ્યા છે એ પ્રમાણે જોખમી છે.
કેટલીક ચીજો આપણે હિંદુઓએ પણ કરવાની જરૂર છે. આપણા મોટા મંદિરોમાં અઢળક પૈસાનો ચઢાવો ચઢતો હોય છે. મોટા મંદિરોના કિસ્સામાંતો એક એક મંદિરનો ચઢાવો વર્ષનો કરોડો રૂપિયાનો હોય છે. ગુજરાતના અંબાજી, ડાકોર, સોમનાથ, પાલિતાણા, મહુડીના મંદિરના ચઢાવા વિશે તો વિચારો જરા ? રૂપિયા ગણવા માટે સ્ટાફ રાખવો પડે છે. રૂમોને રૂમો ભરાય છે પરચૂરણના સિક્કાથી. લોકો હજારો રૂપિયાના બંડલ તો પહોંચ વગર ચૂપચાપ દાનપેટીમાં સરકાવીને ચાલ્યા જાય છે. આ બધા રૂપિયાનો ઉપયોગ કઈ રીતે થાય છે? મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટે કાયદો કર્યો હતો કે મંદિરના નિભાવ ખર્ચ બાદ વધતી ચઢાવાની રકમ શૈક્ષણિક સંસ્થાઓમાં આપી શકાય. આ નિયમ હેઠળ કોંગ્રેસ અને એનસીપીના ટ્ર્સ્ટીઓએ મંદિરના ચઢાવાની કરોડો રૂપિયાની રકમ પોતાની પ્રાઈવેટ સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં નાખી દીધી અને લાંબી ગાડીઓમાં ફરતા થઈ ગયા, એશો આરામ વાળા ઠેકાણે પ્રવાસ કરતા થઈ ગયા.આ ઉપયોગ થાય છે આપણા ધાર્મિક ફંડોનો.
આની સામે ખ્રિસ્તિ ધર્મમાં પૈસો ચેનલાઈઝ થાય છે અને વટલાવ પ્રવૃત્તિમાં વપરાય છે. લોકોને વટલાવવા તેમને મફત મેડિકલ સારવાર આપવી પડે, હોસ્ટેલ ઉભી કરવી પડે, સ્કૂલ બનાવવી પડે તો એ બધુ જ થાય છે.
૧૯૯૯માં હું દાહોદ નજીકના જેસાવાડામાં ઠક્કરબાપાના આશ્રમમાં બે દિવસ અને એક રાત રોકાયો હતો. ઠક્કરબાપા પણ વિવેકાનંદ અને ગાંધીની માફક વટાળ પ્રવૃત્તિના વિરોધી હતા. તેમણે પોઝીટીવલી કામ કર્યુ અને જેસાવાડામાં ભારે સંઘર્ષ કરીને આશ્રમશાળા સ્થાપી. આજે જેસાવાડાની આસપાસ ક્યાંય મિશનરી નથી. કારણકે મિશનરીએ જે કર્યુ હોત તે ઠક્કરબાપાએ કરી નાખ્યું.( અને ગુજરાતની બદમાશ કોંગ્રેસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા આવતા જ મધર ટેરેસાનું પૂતળુ ભદ્ર નજીક સ્થાપી દીધુ. એમને ગુજરાતના પનોતા પુત્ર ઠક્કરબાપાનુ પૂતળુ મૂકવાનુ યાદ ન આવ્યુ? બદમાશ કોંગ્રેસીઓ?)
બાય ધ વે, આ લેખનો અંત એક સુખદ વાતથી કરવો છે. હમણા ડાંગમાં ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપના યુવાન ડિપ્લોમા એન્જીનીયર હિંદુવાદી વિજય પટેલ ચૂંટાઈ આવ્યા છે. દક્ષિણ ગુજરાતના મિશનરી પ્રભાવિત ડાંગમાં જ્યાં વીસ હજાર આદિવાસીઓ ખ્રિસ્ત થઈ ગયા છે ત્યાં મિશનરીઓ સામે કેટલો આક્રોશ હશે ત્યારે જ તો તેમની કોંગ્રેસ નહી પણ વિશ્વ હિંદુ પરિષદ સમર્થિત ભાજપના ઉમેદવાર ચૂંટાઈ આવ્યા હશે? વિજયભાઈની જીત મહત્વની છે. જાન્યુઆરીમાં વિધાનસભા સત્ર ટાણે વિજયભાઈ ગાંધીનગર આવશે ત્યારે તેમને અભિનંદન આપવા અને મળવા હું ઉત્સુક હઈશ. એ મુલાકાતનુ વર્ણન અહીં ચોક્કસ આપીશ.
![]() |
ગૃહ મંત્રી અને ન્યાય મંત્રી હોવાની ક્વોલિટીઓ ઉંચી છે
27-12-2007
ગુજરાતના ન્યુઝ મિડિયામાં પોલીટીકલ રિપોર્ટીંગ વઘુ ને વધુ સ્પેક્યુલેટીવ પ્રકારનુ જોવા મળે છે. હવે ગુજરાતનું નવુ પ્રધાન મંડળ નક્કી થવાનુ છે ત્યારે દરરોજ સ્પેક્યુલેટીવ સમાચારો આવે છે. એવામાં ચર્ચામાં રહે છે ગૃહ ખાતુ એટલેકે હોમ મિનીસ્ટ્રી.
આ હોમ મિનીસ્ટ્રી મહત્વનુ ખાતુ એટલા માટે છે કારણકે તેના અંતર્ગત ગુજરાતનો પોલીસ વિભાગ આવે છે. ચાહે કોમી ધમાલ હોય કે આતંકવાદ કે ખ્રિસ્તી ધર્માંતરણનો મામલો કે પાકિસ્તાનથી દેશદ્રોહીઓની ઘૂસણખોરી કે એન્કાઉન્ટર અને માફિયા ગેંગો, આ બધા સામે ગુજરાતમાં નિપટવાનુ ગુજરાત પોલીસે હોય છે. શાસનમાં ક્યારે શું થવાનું છે એ કોઈને માલૂમ નથી. અચાનકજ આકાર લેતી પડકારજનક ઘટનાઓમાં ગૃહ મંત્રાલય બહુ જ જરૂરી ભાગ ભજવે છે.
છેક સ્વ. ચીમનભાઈ પટેલના શાસન વખતે ગુજરાતના છેલ્લા હોમ મિનીસ્ટર સીડી પટેલ હતા. એ પછી આવનાર દરેક મુખ્યમંત્રીએ ગૃઉહ મંત્રાલય પોતાની પાસે જ રાખીને રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી નીમ્યા છે. હરેન પંડ્યા, ગોરધન ઝડફિયા અને અમિત શાહ આ બધા રાજ્ય કક્ષાના ગૃહ મંત્રીઓ હતા.
છેલ્લા ગૃહ મંત્રી અમિત શાહની વાત પર સીધો જ આવુ તો અમિત શાહની ગૃહ મંત્રી તરીકેની(અફકોર્સ કેબીનેટ રેંકના ગૃહ મંત્રી નહી પણ રાજ્યકક્ષાના) પસંદગીનું મુખ્ય કારણ એક અને એક જ માત્ર હતુ તે એ કે અમિત શાહ નરેન્દ્રભાઈની સૂચનાનું સંપૂર્ણ પાલન કરવાવાળા, વિશ્વાસુ અને કહ્યાગરા માણસ.
ગૃહ મંત્રીની પોસ્ટમાં મુખ્યમંત્રીની સૂચનાને જ અનુસરે, બહુ બોલકો ન હોય, ગાગર જેવુ પેટ હોય જેમાં બધા રાઝ સમાઈ જતા હોય, દરેક ડિસીશન મુખ્યમંત્રીને પૂછીને લે, મુખ્યમંત્રી જે નીતિને માનતા હોય(જેમ કે માનો કે હિંદુત્વ)એ નીતિને સંપૂર્ણપણે વરેલો હોય, એને ફોલો કરે એવો માણસ ફીટ બેસે. અમિત શાહ આ પ્રકારના માણસ હોવાથી ગૃહમંત્રી બન્યા અને ટક્યા. હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં પ્રવૃત્ત હતો ત્યારે અમિત શાહ શ્રીલેખા ભવનના એબીવીપીના કાર્યાલય પર આવતા અને મૂળોને મીઠુ ખાતા હતા એ મને યાદ છે. આ માણસનું ગાગર જેવુ પેટ. શાંતિથી સાંભળે અને ન્યુઝ વગરનું બોલે.
નરેન્દ્રભાઈ ૨૦૦૨માં મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમના વિશ્વાસુ, તેઓ ભરોસો મૂકી શકે તેવા, કહ્યાગરાઓની સંખ્યા જૂજ હતી એટલે અમિતની હાથવગી પસંદગી થઈ. હવે પાંચ વર્ષ પછી નરેન્દ્રભાઈ પાસે આવા બીજા પણ છે. પરંતુ ઉપર મેં વર્ણવી એ એસેન્શીયલ ક્વોલિટીનુ બંચ જરૂરી છે.
કેટલાક સમય પહેલા સરખેજ ગામમાંથી જમીનની અંદરથી જૈન મૂર્તિઓ નીકળી હતી. મારે સવાર સવારમાં જ રિપોર્ટીંગ કરવા ત્યાં દોડવાનું થયુ. મૂર્તિઓ મળી હતી એ જગ્યા હિંદુ મુસ્લિમ વિસ્તારની બોર્ડર પર હતી. સ્થાનિક લોકોએ મને ચોંકાવનારી વાત કહી કે હિંદુ વિસ્તારની તરફેની આ જમીન મુસ્લિમે લીધી છે અને એમાં કામ ચાલતુ હતુ ત્યારે આ મૂર્તિઓ મળી છે. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં ધારાસભ્ય અને ગૃહ પ્રધાન અમિત શાહ તથા તેમના સાગરિત કમલેશ ત્રિપાઠી બિન્દાસ્ત ગેરમુસ્લિમ વિસ્તારની જમીન ઉંચા ભાવે મુસ્લિમને વેચે છે અને પૈસા બનાવે છે.સ્થાનિક ઠાકોરભાઈએ મને હિંદુ અને મુસ્લિમ વિસ્તાર વચ્ચેના ખેતરો બતાવ્યા અને કહ્યું કે જુઓ ખેતરની પેલી તરફ મુસ્લિમ સોસાયટીઓ બની ગઈ છે અને નવી સોસાયટીઓ બની રહી છે. ઉપરાંત ખેતરો પણ મુસ્લિમોને વેચવામાં આવ્યા છે. જ્યારે ખેતરની આ તરફ હિંદુ વિસ્તારમાં અમે બાંધકામ કરીએ તો ઔડા કહે છે કે એ ગેરકાયદે છે. મુસ્લિમોને અમિત શાહ અને ત્રિપાઠીનું સમર્થન છે. હવે તો ખેતરની આ તરફે હિંદુ વિસ્તારોમાં મુસ્લિમને જમીન વેચાઈ છે.
મેં સરખેજ ગામના સાવ બેઝીક માણસ પાસેથી મળેલી આ વાત વેરીફાઈ કરી અને રીચેક કરી તો વિવિધ સોર્સીસમાંથી જાણવા મળ્યું કે અમિત શાહની માલપ્રેક્ટીસ ચાલે છે અને એમાં હિંદુત્વ પણ ભૂલાઈ ગયુ છે.મજાની વાત એ છે કે આ જ અમિત શાહ મેજર ડિસીશન જેમ કે એન્કાઉન્ટર, ગોધરાના કેસો વગેરેમાં હિંદુત્વને ફોલો કરે છે.
મોદી સરકારમાં ગૃહ મંત્રાલય સિવાય ન્યાય મંત્રાલય પણ એવુ મંત્રાલય છે કે જે ઉપરના ગૃહ મંત્રીના મેં જે લક્ષણો જણાવ્યા એ જ પ્રકારના લક્ષણો ધરાવનાર વ્યક્તિને ફાળવવામાં આવશે. જજોની નિમણૂક, મહત્વના કેસોની સ્ટ્રેટેજી એ બધુ મુખ્યમંત્રીના કહ્યા પ્રમાણે સાયલેન્ટલી ગોઠવ્યા કરે અને તેના ક્યારેય ન્યુઝ ન બનવા દે એવા કુનેહપૂર્વકના વ્યક્તિની પસંદગી ન્યાયમંત્રી તરીકે થશે. પાછલા ન્યાયમંત્રી અશોક ભટ્ટ આ પ્રકારનુ શિયાળ હતુ. ગુજરાત સરકારને સતત ચેલેન્જ મળતી હોય તો એ કોર્ટ કેસો દ્વારા મળતી હોય છે.સરકારી કામોમાં રોડા નાખવાનું કામ પણ હિતશત્રુઓ દ્વારા કોર્ટ દ્વારા થતુ હોય છે, ત્યારે ન્યાયમંત્રાલયની ભૂમિકા મહત્વની બની જાય છે.
![]() |
શતં જીવં શરદ …
26-12-2007
બપોરના ચાર વાગ્યા હતા. અમે પત્રકારો અમદાવાદના ખાનપુરના ભાજપના ગુજરાત પ્રદેશના મુખ્યાલયમાં બેઠા હતા અને નરેન્દ્ર મોદીની રાહ જોઈ રહ્યા હતા. નરેન્દ્ર મોદીનો અહીં પહોંચવાનો સમય અઢી વાગ્યાનો જાહેર કરવામાં આવ્યો હતો પણ હજુ તેઓ આવ્યા ન હતા. દરમિયાન અમે ભાજપ કાર્યાલયમાં ટીવી જોઈને સમય પસાર કરી રહ્યા હતા. ટીવીમાં ઈટીવી ગુજરાતી ચેનલ સેટ કરેલી હતી.
અચાનક જ ચેનલનું પ્રસારણ ધૂંધળુ થવા લાગ્યુ અને ફેડ થઈ ગયુ. અવાજ બંધ થઈ ગયો. ભાજપ ઓફિસના કર્મચારી બોલ્યા ‘ટીવી ગયુ, મોદી આવી ગયા’. મેં પૂછ્યુ કે આ ટીવીનું પ્રસારણ ફેડ થઈ ગયું અને મોદી આવી ગયા એ બે વચ્ચે શું સંબંધ છે? તો કર્મચારી કહે કે મોદીની કારની પાછળ જામર એન્ટેના વાળી ગાડી દોડે છે એ આસપાસ બધા સિગ્નલ જામ કરી દે છે. બહાર મોદી આવી ગયા છે અને જામર પણ આવી ગયુ છે એટલે આ ટીવી ચેનલ દેખાતી નથી.
દર અસલ ચૂંટણી પરિણામની સવારે જ સમાચાર આવ્યા હતા કે મોદી પર ફિદાઈન એટલેકે આત્મઘાતી હુમલાની શક્યતા છે એવો અહેવાલ કેન્દ્ર સરકારે ગુજરાતને મોકલાવ્યો છે. મોદીની સુરક્ષામાં આના પગલે સારો એવો વધારો કરવામાં આવ્યો છે.
મોદીનો કારનો કાફલો જતો હોય તેમાં ફરતી જામર ગાડી નવી અને વધુ શક્તિશાળી તથા આધુનિક સ્તરની લાવવામાં આવી છે. જામર મોદીની આસપાસ રેડિયો સિગ્નલ બ્લોક કરી દે છે જેના કારણે જો કોઈ રિમોટ કંટ્રોલ બોમ્બથી મોદીને ઉડાડવા માંગતુ હોય તો તે શક્ય થઈ શકતુ નથી. ૨૫ ડિસેમ્બરે સરદાર પટેલ સ્ટેડિયમમાં પોર્ટેબલ જામરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેના કારણે જેપી સહિત પત્રકારોના અને સ્ટેજ નજીક હાજર બીજા લોકોના મોબાઈલ ફોન બરાબર જોડાતા ન હતા. મોબાઈલ પર નંબર લગાવો તો નંબર લાગેલો દેખાય પણ અવાજ પહોંચે જ નહીં અને સંભળાય પણ નહીં.
મોદીની સભાઓમાં અગાઉ છેક સ્ટેજ સુધી માણસ બેસી શકતુ હતુ જ્યારે સોનિયા ગાંધી કે વડાપ્રધાનની સભાઓમાં સ્ટેજ અને ઓડિયન્સ વચ્ચે ફરજિયાત રીતે ઝીરો ઝોન એટલેકે ખાલી જગ્યા રાખવામાં આવતી હતી. પરંતુ હવે મોદીની સભાઓમાં પણ સ્ટેજની સામે, અને સ્ટેજની પાછળ ઝીરો ઝોન રાખવામાં આવે છે જેમાં કોઈને પ્રવેશ નથી હોતો.
મોદીના સુરક્ષા કર્મચારીઓમાં જે બ્લેક કેટ કમાન્ડો છે એમની પાસે સ્ટેનગન હોય છે પણ હવે તેમને ડ્યુટી દરમિયાન ફરજીયાત પીઠ પર અને છાતી પર બેઉ તરફી રહે એમ બખ્તર પણ પહેરાવવામાં આવે છે. મોદી ભાજપ કાર્યાલય આવવાના હોય તો કાર્યાલયમાં જે ચેમ્બરમાં બેસવાના હોય તેનો કબજો એમના આવવાના ઘણા સમય પહેલાથી સફારી પહેરેલા વાયરલેસ સાથેના જવાનો લઈ લે છે.
મોદીના કારના કાફલામાં એક સાથે એક જેવી ત્રણથી ચાર સ્કોર્પિયો હોય છે. આ વ્યવસ્થા કઈ સ્કોર્પિયોમાં તે બેઠા છે તે કોઈ ન જાણી શકે એ માટે છે. પરંતુ મોદી મોટાભાગે ડ્રાઈવરની બાજુની એક્યુપ્રેશરવાળા આસન વાળી સીટ પર જ બેસતા હોય છે જેથી લોકો તેમને જોઈ શકે અને પોતે પણ રસ્તો ક્લીયર જોઈ શકે. મોદી અમદાવાદના રસ્તાઓ પરથી પસાર થતા હોય ત્યારે ચાર રસ્તાઓ પરની રેડ અને ગ્રીન સિગ્નલ બંધ કરી દેવામાં આવે છે અને રસ્તો ખાલી કરાવી દેવામાં આવે છે. રસ્તા પર જ્યાં જ્યાંથી બીજા રસ્તા મળતા હોય ત્યાં નાકાઓ પર સળંગ પોલીસ જવાનો ગોઠવી દેવામાં આવે છે.
મોદી જ્યાં જ્યાં જાય ત્યાં સિક્યોરીટીની ત્રણ રીંગ હોય છે જેમાં સૌથી અંદરની રીંગનું કામ મોદી જ્યાં પણ ગયા હોય ત્યાંની ક્રાઈમ બ્રાન્ચ સંભાળે છે. અમદાવાદમાં અંદરની રીંગ ગુજરાતના જાણીતા એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ તરૂણ બારોટ સંભાળે છે. બારોટ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર છે. અમદાવાદના કુખ્યાત અબ્દુલ લતીફને જેલમાંથી કાઢીને એન્કાઉન્ટર તેમણે કર્યુ હતુ. બારોટ અમદાવાદના સેંકડોની સંખ્યામાં ગુનેગારોને મોઢેમોઢ ઓળખે છે. તેમનું માહિતી નેટવર્ક લોકલ મુસ્લિમોમાં સખત પાવરફુલ છે. મોદી અમદાવાદમાં જ્યાં પણ હોય ત્યાં બારોટ નજીકની રીંગમાં રહીને માણસોને જુવે છે કે તેમાં કોઈ ક્રિમિનલ તો નથી દેખાતો ને?
મોદીના કાર્યક્રમના સ્થળોએ મેટલ ડિટેક્ટર ફરજિયાત બનાવાયુ છે. સરદાર પટેલ સ્ટેડિયમમાં તેમની શપથવિધિ હતી તો લાખ ઉપરાંત માણસને માટે ઠેર ઠેર મેટલ ડિટેક્ટર ગોઠવવામાં આવ્યા હતા. શપથવિધિ સમારંભમાં મોદીના મહોરા પહેરીને જનારાઓના મહોરા પણ ઉતરાવવામાં આવતા હતા અને ડ્યુટી પરના પોલીસ કર્મચારીઓને પણ ખાસ લાલ રંગના નિશાન વરદી પર પહેરાવવામાં આવ્યા હતા કારણકે ગુપ્તચર તંત્ર પાસે સૂચના હતી કે મોદીને મારવા આવનાર આત્મઘાતી ફિદાઈન સ્યુસાઈડ બોમ્બર પોલીસના વેશમાં કે મોદીનું માસ્ક પહેરીને આવી શકે છે.
ગોધરા પછી નરેન્દ્ર મોદીનું મિડિયાએ જે ફ્રેમમાં મઢીને ઈન્ટરનેશનલ માર્કેટીંગ કર્યું છે એ ફ્રેમ મોદી ભારતમાં મુસ્લિમોના દુશમન નંબર વન હોય તેવુ છે. મોદી વિરોધી અને ગુજરાત વિરોધી ચેનલ સીએનએન આઈબીએને તો મુસ્લિમોના ઈન્ટરવ્યૂ પણ લીધા જેમાં મુસ્લિમ મોદીને કટકે કટકે મારવાની વાત કરે છે. મોદીને જીવતો તેલમાં તળવો છે એવું મેં કોઈ મોદી વિરોધીના બ્લોગમાં વાંચ્યુ હતુ. ઈન્ટરનેટ પર ગુજરાતી મુસ્લિમોને ઉશ્કેરતી પાકિસ્તાની વિડિયોમાં એવુ કહેવાયુ છે કે ગુલામ થઈને જીવો એના કરતા શહીદ થઈને મરો. લશ્કરે તોઈબાનો લીડર મક્કી ગુજરાત વિશે મુસ્લિમોને ઉશ્કેરણી કરે છે એવા ભાષણો પણ ઈન્ટરનેટ પર અવાઈલેબલ છે.
ઈસ્લામિક ટેરેરીઝમનું નેટવર્ક બહુજ પાવરફુલ છે પરંતુ એ લોકો જાણે છે કે જો એમણે મોદીને કશું પણ કર્યું તો, પછીના ત્રણ દિવસ ગુજરાત બંધનું એલાન આપવામાં આવશે અને તેમાં પછી ગુજરાતના હિંદુઓ ‘ગોધરા-૨’ કરશે જેમાં ગુજરાતના મુસ્લિમોને પારાવાર ભોગવવાનુ આવી શકે છે. ઉપરાંત એવો કોઈ બનાવ ગુજરાતની રાજનીતીમાં બીજા દસ મોદીઓના જન્મનું કારણ બની શકે છે.
જો કે આમ છતા ક્યારેક પાકિસ્તાન પોતાના ઘર આંગણાના પ્રશ્નોને કારણે ભારતમાં અસ્થિરતા લાવવા માટે , અને ભારતમાં મુસ્લિમોની સ્થિતિ અંગે ઉહાપોહ જગાવવા માટે મોદીનો ઉપયોગ કરી શકે છે.
ગુજરાતમાં મુસ્લિમોમાં મોદીની લોકપ્રિયતા ફાસ્ટ રીતે વધી રહી છે. આ ચૂંટણીમાં પ્રથમ વખત ગોધરાના પોલન બજાર અને અમદાવાદના જુહાપુરા જેવા નોટોરીયસ મુસ્લિમ વિસ્તારોમાં ભાજપના ચૂંટણી કાર્યાલય ખુલ્યા હતા. ભાજપનું ગુજરાત પ્રદેશ મુખ્યાલય ખાનપુરમાં આવેલુ છે જે હવે લગભગ મુસ્લિમ વિસ્તાર છે. મોદીની ચોવીસ ડિસેમ્બરની સભા પૂરી થઈ પછી બાજુના બંધાઈ રહેલા બિલ્ડીંગમાં તેમને સાંભળવા જમા થયેલા બસોથી ત્રણસો મુસ્લિમ છોકરાઓ ભારત માતા કે જય અને વંદે માતરમ સ્વયંભૂ બોલ્યા હતા. મોદીએ આ સભામાં કહ્યું હતુ કે ચૂંટાઈ ગયા પછી તેમની નજરમાં હવે ભાજપને મત આપનાર અને ભાજપને મત ન આપનાર એવા કોઈ ભેદ નથી. તેમણે કહ્યુ કે આ દેશમાં ભિખારી પણ ફિલોસોફી રાખે છે કે ‘જો દે ઉસકા ભી ભલા, જો ના દે ઉસકા ભી ભલા’. સાડા પાંચ કરોડ ગુજરાતીઓનું કલ્યાણ કરવું છે ને એમાં પોતે કોઈ ભેદ જોતા નથી.
મોદીની આ વાતમાં ઈન્ક્લુઝીવ શાસનની થિયરી હતી. એટલેકે જો મુસ્લિમો સખણા રહેશે, ડબ્બો નહી સળગાવે, વડોદરામાં કર્યુ હતુ એમ બિન લાદેનના ફોટા લઈને રસ્તા પર નહી ફરે, રસ્તા પરની દરગાહ બચાવવા સ્ટેબીંગો ને પથ્થરમારો નહી કરે, અબ્દુલ લતીફની માફક ગેંગો નહીં બનાવે ને શાણા થઈને કામ કરશે તો મોદીના ઈન્ક્લુઝીવ પોલીટીક્સમાં તેમને કોઈ પ્રોબ્લેમ નહી થાય.
ભારતમાં લોકો ઘણા જન્મે છે. વસ્તી વધતી જ રહે છે. પ્રસૂતિ ગૃહો માતાઓથી ઉભરાય છે. પરંતુ મોદી જેવી એક શખ્સિયત સદીમાં એકાદ બે કે ત્રણ પેદા થાય છે. જેપી કેમેરો ભરેલો બ્લેક થેલો લઈને ખાનપુરના ભાજપ કાર્યલયમાં જવા ગયો ત્યારે ત્યાં ભાજપના બે અગ્રણી કાર્યકરો પોલીસ સાથે ઝઘડતા હતા કે તેમને તલાશે કેમ લેવામાં આવી રહી છે તેઓ તો અગ્રણી કાર્યકર છે. આ કાર્યકરો પછી મારો વારો આવ્યો. મેં પોલીસને થેલો તેમના હાથમાં મૂકી દઈને કહ્યું કે મને બરાબર તપાસી લો. મોદીની સિક્યોરીટી માટે મારુ તમને ફિલ કો-ઓપરેશન છે.
ગુજરાતીઓએ મોદીની સુરક્ષા માટે ટ્રાફિક જામ, તલાશી, બધુ જ સંપૂર્ણ સહકાર આપીને સહન કરી જ લેવુ જોઈએ. મોદી પર ફિદાઈન હુમલાની શક્યતાની સિરિયસ માહિતી આવી છે ત્યારે હવે મોદી ભલે કહે જીતેગા ગુજરાત. આપણે કહેવાનું શતં જીવં શરદ, એટલેકે સો વર્ષ જીવો.
![]() |
-મોદીની શપથવિધી: લાખોની હાજરીમાં દસ મિનીટથી નાનો કાર્યક્રમ
-મોદીએ માતા હિરાબા,પ્રમુખસ્વામી અને કેશુભાઈ પટેલના મુકામે જઈને તેમના આશિર્વાદ લીધા
25-12-2007
નરેન્દ્ર મોદીની શપથવિધીની સ્પીચનો વિડિયો દેશગુજરાત પર મૂકોને ?
આજે આવો ઈમેલ આવ્યો. હકીકત એ છે કે શપથવિધિમાં કોઈ ભાષણ હોતુ નથી. રાજ્યપાલ બોલાવે એમ થોડા વાક્યો મુખ્યમંત્રી બોલે છે અને શપથવિધિ પૂરી થતી હોય છે. ગુજરાતમાં સામાન્ય રીતે મુખ્યમંત્રીના શપથવિધિ સમારંભ ગાંધીનગરના રાજભવનમાં જ યોજાતા હતા. આમાં નિમંત્રિતો હોય અને પત્રકારો હોય. બસ. પણ મોદીએ શપથવિધિ સમારંભની શકલ ફેરવી દીધી છે.
સવારે મોદી શપથ લેતા પહેલા ગાંધીનગરમાં એમના લઘુબંધુ પંકજભાઈના ઘરે ગયા અને માતા હીરાબાના આશિર્વાદ લીધા. હિરાબાનાઅ આશિર્વાદ મોદીએ પાછલી વખતે મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ લીધા હતા. હીરાબાએ એ વખતે કહ્યુ હતુ કે બેટા ભ્રષ્ટાચારથી દૂર રહેજે. હવે હીરાબાની તબિયત બહુ સારી રહેતી નથી. સંભળાય છે ઓછુ.
આ પછી મોદી અમદાવાદના શાહીબાગ સ્થિત સ્વામિનારાયણના પ્રમુખસ્વામીને પગે લાગવા ગયા અને સત્સંગ કર્યો. મોદી કેશુભાઈના ઘરે પણ ગયા અને તેમને પાયલાગણ કર્યું.ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગાંધીનગર ટાઉનહોલમાં નરેન્દ્રભાઈએ કહ્યું હતુ કે આજે જે વિપરીત ચાલે છે તેઓ પણ કાલે સાથે ચાલશે. આપણે એમન પ્રરત્વે વિવેક અને ઉદારતા બતાવવાની છે.આમ મોદી હવે સૌને સાથે લઈને ચાલે તેવી વકી છે. આરએસએસના મદનદાસજી દેવી મોદી જીત્યા એના બીજા દિવસે તેમના ઘરે મળવા ગયા હતા ત્યારે મોદીનું મેન્ટરીંગ કર્યુ હતુ કે બધાને સાથે લઈને ચાલો.
મોદી શપથવિધિ સમારંભમાં આવ્યા એટલે સરદાર પટેલ સ્ટેડિયમમાં સૌપ્રથમ તો સંતો માટે બનાવાયેલા સ્ટેજ પર જઈન સંતોને વંદ્યા.સંતો હાર પહેરાવવાની કોશિશ કરે પણ મોદી ના પાડી દે. જો કે સરખેજ અને ગિરનારમાં આશ્રમ ધરાવનાર ભારતીબાપુએ મોદીને મુગટ પહેરાવી જ દીધો જેના ફોટા પાડવાની ફોટોગ્રાફરોને મજા પડી ગઈ સંતોના સ્ટેજ પર અમદાવાદના જગન્નાથ મંદિરના રામેશ્વરદાસજી, મણિનગર સ્વામિનારાયણ મંદિર, કાલુપુર સ્વામિનારાયણ મંદિરના મહંત, આધ્યાત્માનંદજી વગેરે હાજર હતા.
જો કે સૌથી આશ્ચર્યજનક ઉપસ્થિતિ તો સારસાના અવિચલદાસજીની હતી. સફેદ કપડા પહેરતા આ સ્વામીએ ચૂંટણી અગાઉ મોદી વિરોધી સંતોના મોરચાની આગેવાની લીધી હતી અને એલફેલ બોલ્યા હતા પણ પછીથી યોગ્ય ચેનલ દ્વારા તેમને શાંત રહેવા મનાવાયા હતા એ આજે હાજર હતા.
આરએસએસમાં જેમનું સરસંઘચાલક જેવુ માન છે એ સત્યમિત્રાનંદગિરીજી પણ હાજર હતા. સત્યમિત્રાનંદજી ગુરૂજી જન્મશતાબ્દી ઉજવણી સમિતીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અને રૂષિકેષમાં ભારત માતા મંદિર ચલાવે છે.
મોદી સંતો બાદ ભાજપ અને એનડીએના રાષ્ટ્રિય નેતાઓને મળવા તેમના મંચ પર ગયા. અહીં મુખ્યમંત્રીઓ રમણસિંઘ, ખંડૂરી હતા શિવસેના તરફથી મનોહર જોષી હતા, ભાજપના મુરલી મનોહર જોષી હતા, અડવાણી, જેટલી, વેંકૈયા નાયડુ, તુલસી સ્મૃતિ ઈરાની, નવજોતસિંઘ સિદ્ધુ, મુકેશ ખન્ના(શક્તિમાન), જ્યોર્જ ફર્નાન્ડીસ, જયા જેટલી વગેરે હતા. સિદ્ધુ સ્ટેજ પરથી સિક્સરની એક્શન કરતો હતો તો શક્તિમાન ઉડવાની એક્શન કરતો હતો અને લોકોનું મનોરંજન થતુ હતુ.
સરદાર પટેલ સ્ટેડિયમ મેદાનમાં અને બેસવાની સીટોમાં છલોછલ ભરેલુ હતુ. લોકોના માથે ખુલ્લો તડકો હતો પણ સ્ટેડિયમની બહાર પીવાના પાણીના પાઉચ મફત રાખેલા હતા. સ્ટેડિયમમાં પ્રવેશનાર સૌને કેસરી ખેસ અને ભાજપનો ધ્વજ આપવામાં આવતો હતો. મોદી આવ્યા એ પહેલા ડાયરો ચાલ્યો હતો કારણકે શપથવિધિ સમારંભમાં રાજકીય ભાષણો થતા નથી.
મોદી છેલ્લે વીઆઈપી સ્ટેજ પર ગયા હતા જ્યાં આરએસએસના અગ્રણીઓ હતા. આજે શપથ સમારંભમાં આરએસએસની ગુજરાતની આખી શીર્ષસ્થ હરોળ મોજૂદ હતી. ઉપરાંત વીએચપીના કૌશિક મહેતા પણ હતા. અસંતુષ્ટો કે કોંગ્રેસમાંથી કોઈ હાજર ન હતુ. ધારાસભ્યોની બેસવાની જગ્યામાં ગોધરામાં જેમને ટિકીટ નથી મળી એ હરેશ ભટ્ટ અને ભાવનગરથી આવા જ મહેન્દ્ર ત્રિવેદી પણ હતા.
પત્રકારો, ન્યાયમૂર્તિઓ વગેરેને ખુલ્લા તડકામાં બેઠક અપાઈ હતી. અશોક ભટ્ટના ધ્યાનમાં આ વિગત આવતા જ તેમણે ન્યાયમૂર્તિઓને વ્યવસ્થિત જગ્યાએ સીટ અપાવી હતી.
મુખ્ય સ્ટેજોની સરભરામાં મોદીના નજીકના કમલેશ પટેલ અને વિજય રૂપાણી હતા. ઉપરાંત ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત ઠાકર પણ હતા જે હવે મોદીના નજદીકી બની રહ્યા છે. શપથવિધિનો આખો સમારંભ શરૂ થયો પછી થોડી જ મિનિટોમાં આટોપાઈ ગયો હતો.મંત્રીમંડળની શપથવિધિ થઈ ન હતી. શપથ બાદ મોદી એમની સ્ટાઈલમાં ઓપન જીપમાં અડવાણી, રાજનાથસિંધ અને પ્રભારી ઓમ માથુર, પુરૂષોત્તમ રૂપાલાને લઈને સ્ટેડિયમમાં ફર્યા હતા.
લાખ ઉપરના લોકોનું આ મોબીલાઈઝેશન ભારતને અને કેન્દ્રિય નેતાઓને આંજવા માટે હતુ, ઉપરાંત લોકોનું આમા પાર્ટીસીપેશન કરવા માટે હતુ જે રાજનીતીક રીતે જરૂરી કહી જ શકાય.નહીતો દસ મિનીટના કાર્યક્રમ માટે બસો ને ટ્રકો ભરીને ગુજરાતભરમાંથી માણસ એકઠુ કરવાનો બીજો કોઈ અર્થ સરતો નથી.




![]() |
ચાણક્ય પ્રજાને સાષ્ટાંગ દંડવત:
ન્યુઝ મિડિયા હવે ફેન્ટેસી ચેનલ અને મનોહર કહાનિયા જેવા મેગેઝીન શરૂ કરે:
પોલીટીકલ પત્રકારો હવે બાળવાર્તાઓ લખવાનું શરૂ કરે:
ગપ્પા,જૂઠ,ગોબેલ્સ,ખોટી આગાહીઓ,ખોટા પ્રોજેક્શન્સ,ખોટા જૂઠનો મારો કેમ ચલાવ્યો??
24-12-2007
જ્યારે દેશગુજરાત પર ૨૩મી ડિસેમ્બરના ચૂંટણી પરિણામોના ચાર દિવસ પહેલા(૧૯ ડિસેમ્બર) જ મોદી જીતશે અને જીતની ખુશી કઈ રીતે મનાવશો એની ખાસ તૈયાર કરેલા ફોટા(ધ બોસ) સાથેની ઓપન પોસ્ટ મૂકી ત્યારે કેટલાકે શંકા પ્રગટ કરી કે આ વખતે ચૂંટણી કસોકસ છે અને કોંગ્રેસ જીતે એવુ લાગે છે, એવામાં જો કોંગ્રેસ જીતશે તો આવી પોસ્ટ મૂકીને દેશગુજરાત હાસ્યાસ્પદ ઠરશે.
આવુ કહેનાર દરેકને મેં કહ્યું કે, ભઈ તમે કોને મત આપવાના છો? તો કહે મોદીને. તમારી પત્ની? તો કહે મોદીને. તમારા પુત્ર પુત્રી? તો કહે મોદીને. પછી મેં કહ્યું કે મોદીએ તમને કશું આપી દીધું છે એટલે તમે આખુ પરિવાર મોદીને મત આપવાના છો? તો કહે કે ના, મોદી ગમે છે એટલે. તો મેં કહ્યું કે તમે આવુ વિચારો છો તો શું બાકીના બધા ગુજરાતીઓને શીંગડા પૂંછડા છે? તેઓ પણ આમ જ વિચારે છે.
અને અમે દેશગુજરાત પર મોદી જીતશે તો સેલીબ્રેટ કઈ રીતે કરશો એની ઓપન પોસ્ટ મૂકી. એકાદ બે સિવાય કોઈ ગુજરાતીએ આ પોસ્ટના જવાબમાં મોદીની જીત અંગે શંકા પ્રગટ કરી ન હતી.
હું પોતે ગુજરાતના પબ્લીક અફેર્સમાં વીસ વર્ષથી અને પત્રકારત્વમાં દસ વર્ષથી છું. ગુજરાતનો ખૂણેખૂણો ફરેલો છું. લોકોને જાણું છું અને એના આધારે મારુ સ્પષ્ટ માનવુ હતુ કે આ ચૂંટણીમાં ભાજપ તો નહી જ હારે. કોંગ્રેસ હારશે પણ ભારે રીતે પરાસ્ત તો મિડિયા થશે. મિડિયા આ ચૂંટણીમાં આકલનો કરવામાં, પબ્લીકને તો ઠીક પોતાની પત્ની, પાડોશી, મિત્રો અને સંતાનોના અભિપ્રાયોને સમજવામાં પણ થાપ ખાઈ રહ્યું છે. મારી દેશગુજરાતની કોલમમાં મેં લખ્યું હતું કે મોદીની તરફેણમાં તેના કલ્ટ ફિગરને કારણે વેવ છે. હવે થોડુ મિડિયાને ઠમઠોરી લઉ? આમાં મારી અને આપની બંનેની લાગણીનો પ્રતિઘોષ છે.
હું અગાઉ લખી ગયો છું કે સુરતના નાના છાપાના એક પત્રકારને ભાજપ વિરોધી લખવા માટે ત્રણ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા એની મારી પાસે કન્ફર્મ વિગત આવી છે. સુરત તથા અમદાવાદ-ગાંધીનગરના મોટા કદના અખબારના રાજકીય પત્રકારોને ભાજપ વિરોધી લખવા માટે આનાથી ઓછામા ઓછી ત્રણ ગણી રકમ આપવામાં આવી હોવાની પૂરી સંભાવના છે.
વેચાઈ ગયેલા આ પત્રકારોએ આખી ચૂંટણી દરમિયાન અને તે પહેલા પણ લાંબા સમયથી કેશુભાઈને, સુરેશ મહેતાને, ગોરધન ઝડફિયાને, કાશીરામ રાણાને ફોનો કરી કરીને ડાયમંડ લોબીના પૈસા લીધા હોવાથી વ્હાલા થઈ થઈને મોટી મોટી સ્ટોરીઓ લખી. આ સ્ટોરીઓ એવી હોય કે તમને વાંચીને એમ જ લાગે કે બાપુ, સૌરાષ્ટ્રમાં તો ભાજપનો સોથ વળી જશે ? કોળીઓ તો ભાજપનો સફાયો કરી નાખશે! લેઉવા પાટીદારો તો કેશુભાઈ કહેશે એમ જ કરશે અને ભાજપને ભયંકર ફટકો પડશે! ગ્રામીણ મતદારો તો ભાજપને ઠેંગો બતાવશે! ભાજપનું વર્ચસ્વ તો શહેરોમાં જ છે!! ઉમા ભારતીતો ભાજપના વોટ તોડીને હરાવી જ દેશે!! સાધુ સંતો પણ આ વખતે ભાજપની સાથે નથી, હવે શું થશે ? આરએસએસ અને વિશ્વ હિંદુ પરિષદ ભાજપની વિરૂદ્ધમાં છે, નક્કી મોદીને નુકસાન થશે!!
ભલભલા વાંચકો આવા લખાણોના મારાના ચક્કરમાં આવી જાય. ભ્રમિત થઈ જાય. આના કારણે પછી બીજા પત્રકારો પણ આ લાઈન ફોલો કરે. તટસ્થ સમીક્ષકો પણ ભ્રમણાની અસરમાં આવી જાય અને જૂઠની સાઈકલ ચાલે. જે નેતાઓ ભંગારખાનામાં જવાને લાયક છે એવા દુ:શાષનો-દુર્યોધનોને એજન્ડાઈઝ મિડિયાએ ભીષ્મ બનાવી દીધા ને અર્જુન બનાવી દીધા ને ભીમ બનાવી દીધા.
મિડિયાના જુઠ્ઠાણાઓ અને એજન્ડાઈઝ અપપ્રચાર
અશોક ભટ્ટ સામે ખાડિયામાં આ વખતે એન્ટી ઈન્કમ્બન્સી હોવાથી ભાજપ હારશે
અમદાવાદમાં અશોક ભટ્ટને ટિકીટ જ ન મળે એ વાત બિલકુલ માન્યામાં જ ન આવે. અશોક ભટ્ટ આટલા સિનીયર ભાજપી ધારાસભ્ય, અનેક વખત મંત્રી બન્યા ને એમને ભાજપ ટિકીટ જ ન આપે? એવુ બને? બિલકુલ ન બને. પણ મિડિયાએ એજન્ડા ચલાવ્યો કે અશોક ભટ્ટને ટિકીટ જ નહી મળે. પછી અશોક ભટ્ટને ટિકીટ મળી એટલે ચલાવ્યુ કે આ વખતે ખાડિયામાં એન્ટી ઈન્કમ્બન્સી છે, નક્કી અશોક ભટ્ટ હારશે. હવે પરિણામ એવું આવ્યુ છે કે અશોક ભટ્ટ ગઈ ચૂંટણી કરતા વધુ માર્જીનથી ખાડિયામાં જીતી ગયા છે.
મણિનગરમાં મોદી પ્રચારમાં ધ્યાન નહી આપે તો પટેલ મતોથી ભાજપ હારશે
મોદી મણિનગરના બદલે વડોદરાની રાવપુરા બેઠક પરથી લડશે, મણિનગર કરતા રાવપુરા તેમને વધારે સલામત લાગે છે, મોદી સામે કોંગ્રેસમાંથી રાજ બબ્બર લડશે, મોદી સામે કોંગ્રેસે મણિનગરમાં દિનશાને ઉભા રાખીને જોરદાર ચાલ ચાલી છે, મણિનગરના પટેલ મતદારો આટલા છે ને ફલાણા મતદારો આટલા છે ને ઢીકણા આટલા છે જે દિનશાને મત આપશે ને મોદીને તકલીફ પડશે, મોદી ગુજરાતભરમાં પ્રચાર નહીં કરી શકે ને મણિનગરમાં જ ભરાઈ રહેવું પડશે….આવા ગપગોળા ચાલ્યા હતા આખી ચૂંટણીમાં અને છેવટે શું થયું ? મોદી મણિનગરથી જ લડ્યા, પ્રચાર કરવા અહીં માત્ર ત્રણ સભાઓ પૂરતા આવ્યા, અને ગઈ વખત કરતા વધુ માર્જીનથી જીત્યા.
કોળીઓમાં ચાંદની પ્રકરણને કારણે નારાજગીથી પુરૂષોત્તમ સોલંકી હારશે
પુરૂષોત્તમ સોલંકી મતવિસ્તાર બદલશે. આ વખતે હારે એમ છે … એવા જુઠ્ઠાણા મિડિયાએ ચલાવ્યા પણ સોલંકી તેમના પ્રતિદ્વંદી કોંગ્રેસી ઉમેદવારથી બમણાથી પણ વધુ મતો મેળવીને ૩૪૦૦૦ ઉપરાંતની લીડથી અને કુલ મતદાનના ૬૧ ટકાથી વધુ મત મેળવીને જીત્યા. અરે મિડિયા જેમની પાસે કોળીઓના પ્રકરણે વારે વારે દોડી જતુ હતુ એ સુરેન્દ્રનગરના ભાજપી સસ્પેન્ડેડ સાંસદ સોમા ગાંડા પટેલ કોળીઓના મતો ખિસ્સામાં હોય એમ વાત કરતા ફરતા હતા પણ એમનો જ દીકરો વીરમગામના કોળી પ્રભુત્વવાળા મતવિસ્તારમાં ચૂંટણી હારી ગયો છે.
કેશુભાઈની નારાજગીની પાટીદારોમાં અસરથી સૌરાષ્ટ્રમાં ભાજપ હારશે
પાટીદાર(પટેલ) મતદારોમાં કેશુબાપાની જબરજસ્ત અસર છે એવો હાઉ મિડિયાએ અને ડાયમંડ લોબીના કટ્ટરવાદી મોદી વિરોધી પટેલોના પૈસાએ ઉભો કર્યો પણ પટેલ મતો ધરાવતી ૩૫માંથી ૨૪ બેઠકોમાં ભાજપ જીત્યું. જે પાટીદાર મતદારોના પ્રભુત્વવાળી બેઠકો ભાજપ હાર્યું છે તેનાય હારજીતના માર્જીન તો જુવો જરા? જામજોધપુરમાં સત્તર મતે જીત અને માણાવદરમાં બે હજાર કરતા ઓછા મતનું માર્જીન. કેશુભાઈનું કદ માત્ર મિડિયાએ ઉભુ કરેલુ હતુ. કેશુભાઈનું અને પાટીદારવાદનું ગુજરાતની એકવીસમી સદીના સાતમા વર્ષના રાજકારણમાં કોઈ રેલેવન્સ નથી, તેમનું રેલેવન્સ માત્ર મિડિયાએ અખબારના કાગળ પર અને ટીવી સ્ક્રીન પર ઉભુ કરેલુ હતુ. ખુદ કેશુભાઈના બાપુજીની હોય એવી સીટ જેને મિડિયા માનતુ હતુ એવી લેઉવા પાટીદારોના મતના પ્રભુત્વવાળી વિસાવદરની સીટ પણ ભાજપ જીત્યુ છે. આ સીટ પર કેશુભાઈઓ પુત્ર ભરત લડશે ને નહી લડે એવા જુઠાણાઓ ફેલાવ ફેલાવ કરનાર મિડિયાને તમાચો ત્યારે જ લાગી ગયો હતો કે જ્યારે ભરત પટેલે જ લડવાની ના પાડી દીધી. જો કે હમણા સન્ડે ઈન્ડિયન મેગેઝીન સાથેની મુલાકાતમાં કેશુભાઈએ કહ્યું છે કે એમના દીકરાને ટિકીટ જ મળી ન હતી. કેશુભાઈ ગ્રુપે કોંગ્રેસને વિસાવદરમાં જે ઉમેદવાર સજેસ્ટ કર્યો હતો એ ઉમેદવાર કોંગ્રેસે ત્યાં ઉભો પણ રાખ્યો અને એ ય ત્યાં હાર્યો છે.
એટલુજ નહી પણ સૌરાષ્ટ્રમાં ભાજપ લેઉવા પાટીદાર મતો અને કેશુભાઈની નારાજગી તથા અસંતુષ્ટોના કોંગ્રેસે આપેલા હેલિલોપ્ટર દ્વારા પ્રચારથી ભયંકર નુકસાન ઉઠાવશે એવુ કહેનાર મિડિયા હવે જોઈ રહ્યું છે કે સૌરાષ્ટ્રમાં ભાજપે ૨૦૦૨ની ૩૯ની સરખામણીમાં ૨૦૦૭માં ૪૪ સીટો મેળવી છે.
અસંતુષ્ટોથી અમરેલીમાં ભાજપ હારશે
અસંતુષ્ટોના ગઢ અમરેલીમાં ભાજપને ફટકો પડશે એવી હવા ફેલાવનાર મિડિયાને પણ ચાણક્ય ગુજરાતીઓએ તમાચો માર્યો છે. ધારીમાં બાલુ તંતી, લાઠીમાં બેચર ભાદાણી હાર્યા છે. વસંત ગજેરા નામના કટ્ટરવાદી પાટીદારના ઘર આંગણે અમરેલીમાં તેમનો ભત્રીજો પરેશ ધાનાણી કોંગ્રેસમાંથી હાર્યો છે અને સામે તેમના કાળ જેવો દિલીપ સાંઘાણી જીત્યો છે જે મંત્રી પણ બનશે ને લાલ લાઈટ લઈને ગજેરાના ઘર સામેથી નીકળશે. પાંચ વર્ષ સુધી. આ વસંત ગજેરાને કોંગ્રેસે હેલિકકોપ્ટર આપ્યુ હતુ પટેલોના મતો અંકે કરવા. પણ એનો ભત્રીજો ય હાર્યો છે અને એમનો ભાઈ ધીરુ ગજેરા પણ સુરતમાં હાર્યો છે ખૂબ સારા માર્જીનથી. મિડિયાએ ધીરુ ગજેરા અને વસંત ગજેરાને વાઘ જેવા ચીતર્યા હતા પ્રજાએ જાદુ કરીને બિલાડી જેવા કરીને છોડ્યા છે.
સુરેશ મહેતાની નારાજગીથી કચ્છમાં ભાજપ હારશે
કચ્છમાં મિડિયાએ સુરેશ મહેતાને બહુ મોટા કરી નાખ્યા હતા. આ સુરેશ મહેતા આ નહીં આ નહીં આ નહીં આ નહીં એટલે તમે એ ન્યાયે ગુજરાતના મુખ્યમંત્રી બની ગયા હતા પછી એનાથી નીચો હોદ્દો સ્વીકાર્યો અને પછી ચૂંટણી હાર્યા ને ખોવાઈ ગયા. પણ જેવા સુરેશ મહેતા મોદી વિરૂદ્ધ બોલવા માંડ્યા એવા તેમને મિડિયાએ ઉંચકી લીધા અને છાપાઓમાં કોલમ સેન્ટીમીટરો આપી આપીને અને ટીવી પર બતાવી બતાવીને એમને એવા તો મોટા કદના બનાવી દીધા કે જાણે તેમનો ગુજરાતના રાજકરણમાં દબદબો હોય. અરે દબદબો તો છોડો સુરેશ મહેતા કોઈ ફેક્ટર જ ન હતુ પણ મિડિયાએ એમને ઉંચકી લીધા. હવે જુઓ સુરેશ મહેતાના કચ્છમાં એમના ખાસમખાસ ગોપાલ ધુઆ મુંદ્રામાં હાર્યા, નરેન્દ્રસિંહ જાડેજા અબડાસામાં હાર્યા અને ઉપરાંત કચ્છની બીજી ત્રણ બેઠકો ભાજપને મળી.
અસંતુષ્ટ સુનીલ ઓઝા ને ધનરાજ કેલ્લાની ઉમેદવારીથી ભાજપ હારશે
ભાવનગર દક્ષિણની બેઠક પર ભાજપના અસંતુષ્ટ સુનીલ ઓઝાને મિડિયાએ મોટા કર્યા પણ સુનિલો ઓઝાને બે હજાર મત મળ્યા. વઢવાણમાં ભાજપના અસંતુષ્ટ ધનરાજ કેલ્લાને મિડિયાએ મોટા કર્યા પણ ત્યાં ભાજપ જીત્યું છે. ધનરાજ કેલ્લા ત્રીજા ક્રમે રહ્યા છે.
કોળી ઉમેદવારથી સૌરભ પટેલ હારશે:માયાવતીની બીએસપીથી ભાજપ હારશે
બોટાદમાં સૌરભ પટેલ હારશે કારણકે તેમની સામે ઉભેલા અત્યંત પૈસાપાત્ર અને વગદાર કોળી ઉમેદવાર પીઠાવાલા છે એવુ લખ લખ મિડિયા હવે સૌરભ પટેલની જીત જોઈ રહ્યું છે. ગુજરાતમાં માયાવતી આવી માયાવતી આવી એમ કહેનાર અને વડોદરાના અસંતુષ્ટ નલિન ભટ્ટની દરેક હરકતને ચમકાવનાર મિડિયા હવે જોઈ રહ્યું છે કે નલિન ભટ્ટને સયાજીગંજ બેઠક પર પૂરા પાંચ હજાર મત પણ નથી મળ્યા.
કાશીરામ રાણાના જોરથી ભાજપ હારશે
કાશીરામ રાણાને સુરતના પાવરફુલ નેતા તરીકે પ્રોજેક્ટ કરનાર મિડિયા હવે જોઈ રહ્યું છે કે રાણાના સુરતમાં તમામ બેઠકો ભાજપ જીત્યું છે. રાણાની લાડલી અને માનીતી સુરત પૂર્વની બેઠક પણ પાતળા માર્જીનથી ભાજપે જીતી લીધી છે. મિડિયા જેમને દક્ષિણ ગુજરાતન કદાવર નેતા કદાવર નેતા કહીને ઘરે દોડી જતુ હતુ એ કાશીરામ રાણાના દક્ષિણ ગુજરાતમાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત થઈ છે અને ભાજપે આશ્ચર્યજનક રીતે આઝાદ પછી કોંગ્રેસ જ્યાં સદાકાળ જીતતી આવી છે તે ડાંગની સીટ પણ જીતી લીધી છે.
રાહુલ ગાંધીનો કરિશ્મા કામ કરશે:ભાજપ હારશે
મિડિયા કે જેણે રાહુલ ગાંધી સુરત અને વડોદરાના રોડ શોમાં આવ્યો ત્યારે આ વિસ્તારોમાં કોંગ્રેસ છવાઈ જશે એવા ઘેલપણાના ગીતો ગાયા હતા એ હવે મરશિયા ગાય કોંગ્રેસના કારણકે રાહુલ ગાંધીના વડોદરા અને સુરતના રોડ શો ફ્લોપ શો સાબિત થયા છે.કારણકે વડોદરા શહેરની ચાર બેઠક પરથી એકેયમાં કોંગ્રેસ જીતી નથી. એ જ રીતે સુરત શહેર કોંગ્રેસની એકેય બેઠક પર કોંગ્રેસ જીતી નથી.
વીએચપી ને આરએસએસ નારાજ છે:ભાજપ હારશે
મિડિયાએ વિશ્વ હિંદુ પરિષદ નારાજ છે, આરએસએસ નારાજ છે, નિષ્ક્રિય છે એવા ગોબેલ્સ પણ ચલાવ્યા પણ હું જ્યાં રહુ છું ત્યાંથી પથરો મારવાના અંતરે આરએસએસની જે શાખા ભરાય છે ત્યાંના એક સ્વયંસેવક રાકેશ શાહની મારા એલિસબ્રીજ વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર તરીકે પસંદગી થઈ અને ત્યાં જ શાખામાં આવતા બીજા સ્વયંસેવકની ભાજપ મિડિયા સેલમાં પસંદગી થઈ. એક એક ઉમેદવારનું મૂળ કાઢો તો આરએસએસ કે વીએચપીનું નીકળે , અશોક સિંઘલનું બે બે વખત નામજોગ જાહેરાતમાં મોદીને સમર્થનનું નિવેદન આવે, ધર્મેન્દ્ર મહારાજની સભાઓ થતી હોય એવામાં માની જ ન શકાય એવુ જૂઠાણુ હતુ કે વીએચપીનું બળ ભાજપને હરાવવા લાગ્યું છે. ચૂંટણીના પરિણામોએ આ જુઠાણુ સાબિત કરી દીધુ છે.(
શું ચૂંટણી દરમિયાન વીએચપીના નામે મોદી વિરોધી પ્રવૃત્તિ કરનાર પ્રવીણ તોગડિયાને જરા પણ ભાન હતું કે કોંગ્રેસ સત્તા પર આવી હોત તો ખ્રિસ્તિ મિશનરીઓની પ્રવૃત્તિ કેવી વધી હોત? શક્ય હતુ કે કોંગ્રેસ શંકાસ્પદ રીતે પોતાની સેફેસ્ટ વીનીંગ આદિવાસી સીટ વ્યારા પર જે રીતે શંકાસ્પદ રીતે પાછલી બે ટર્મથી અચાનક જ ખ્રિસ્તીને ટિકીટ આપે છે એ જોતા એ ભાઈ ગુજરાતના શિક્ષણ કે આરોગ્ય કે આદિવાસી વિકાસ મંત્રી પણ બન્યા હોત. તોગડિયાએ સાધુઓએ વિચાર્યુ હતુ કે શી પરિસ્થિતિ થઈ હોત? તોગડિયાને આ ચૂંટણીમાં તેમના ટેલિફોનીક રોલ માટે (ટેલિફોન પર અસંતુષ્ટોને દોરવણી આપતા હતા). ગુજરાત માફ નહી કરે.)
ઉમા ભારતીના ઉમેદવારોથી ભાજપ હારશે
પેલા ચૈતન્ય શંભુ મહારાજ કે જે શંકરસિંહની રાજપામાંથી ઉભા રહીને ગાંધીનગરની લોકસભાની ચૂંટણી હાર્યા હતા એ ઉમા ભારતી જેવી વજૂદ ગુમાવી બેઠેલી વ્યક્તિના પક્ષના ગુજરાત પ્રમુખ બન્યા છે. આ પક્ષે એમના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. ચૈતન્ય શંભુ મહારાજ એમ કહેતા હતા કે ચૂંટણી પછી તેમનો પક્ષ વિધાનસભામાં ભાજપને એ શરતે ટેકો આપશે કે મોદી મુખ્યમંત્રી ન હોવા જોઈએ. મિડિયાએ આ નિવેદનને બહુ વજૂદ આપ્યુ.હવે આ ચૈતન્ય શંભુ મહારાજનો એક પણ ઉમેદવાર જીત્યો નથી. મોટાભાગનાઓએ(કદાચ બધાએ) ડિપોઝીટ ગુમાવી છે. આ મહારાજ અને એમના નિવેદનો એમની પત્રકાર પરિષદોને ત્રણ ત્રણ કોલમોનું મહત્વ આપનાર ગુજરાતના મહાન રાજકીય પત્રકારોનું હવે પરિણામો પછી ભેગા થઈને ભજનમંડળી ચલાવે.
સાધુઓ નારાજ છે, ભાજપ હારશે
અને પેલા સૌરાષ્ટ્રના ગઢડાના એસપી સ્વામી નામના જૂના સ્વામિનારાયણ મંદિરના સંત કે જેમનો મિડિયા કેમેરા લઈને ઈન્ટર્વ્યુ લેવા દોડી જતુ હતુ એમના ગઢડામાં જ ભાજપ જીતી ગયું છે. ભાજપે અહીં કોંગ્રેસ પાસેથી સીટીંગ સીટ આંચકી લીધી છે. આ એસપી સ્વામી મોદીની ભાવનગરની જાહેરસભામાં જઈને તોફાન મચાવવાના હતા એ પહેલા પોલીસે ધરપકડ કરી હતી અને આ એસપી સ્વામીએ સોમનાથથી વાપી સુધીની સાધુઓની બસો ગાડીઓની યાત્રા કાઢી હતી કે જેના રૂટ પર દરેક વિધાનસભા ક્ષેત્રના કોંગ્રેસના ઉમેદવારને આશિર્વાદ આપવામાં આવતો હતો અને ભાજપને હરાવવાનું લોકોને આહવાન કરવામાં આવતુ હતુ. પણ જરા પરિણામ તો જુઓ? સોમનાથમાં ય ભાજપ જીત્યું, વાપીમાં ય ભાજપ જીત્યું અને એસપી સ્વામીએ ખરેખરતો ઘરની ચિંતા કરવા જેવી હતી કારણકે ગઢડામાં ય ભાજપ જીત્યું. આ સાધુ યાત્રામાં વડતાલ સ્વામિનારાયણના મુખ્ય સ્વામી પણ જોડાયા હતા અને જરા જુઓ મહેમદાવાદની સીટ પર પણ ભાજપ જીત્યું છે. આ બધાથી મોદીને ભય છે ને ભાજપ હારશે એવુ રીપીટેડલી રીપીટેડલી જુઠ જુઠ જુઠ કહેનારા રાજકિય પત્રકારોને પ્રજાએ તમાચો માર્યો છે.
પરિણામોની સવારે પણ મિડિયા જાત બતાવતુ હતુ અને પરિણામો પછી પણ બતાવે છે …
એનડીટીવી, આઈબીએન સેવન, આજતક તો ચૂંટણી પરિણામોની સવારે કોંગ્રેસ હાઉસ પહોંચી ગયા હતા અને શરૂઆતમાં જ્યારે ભાજપને મધ્ય ગુજરાતમાં માર પડવાનો શરૂ થયો ત્યારે ભરતસિંહ સોલંકીને લાઈવ ટેલિકાસ્ટમાં પૂછવા લાગ્યા હતા કે શું આપ મુખ્યમંત્રી બનવાની રેસમાં છો?ભરતસિંહ પણ મલકાતા હતા કે ના હું તો માત્ર પક્ષનો સોલ્જર છું. આ પછી આઈબીએન સેવનના પત્રકારે કયું કે તાજા સમાચાર એ છે કે મોદીની જુઠ્ઠા વિકાસની વાતો જુઠ્ઠી પુરવાર થઈ છે અને સાંપ્રદાયિકતાનું ઝેર ઘોલવાની ચાલ પણ નિષ્ફળ ગઈ છે. મોદી કદાચ ફરીથી સત્તા પર નહીં આવે. આ પછી આઈબીએન સેવને ભાજપ કાર્યાલય બહાર હરિન પાઠકને પૂછ્યું કે શું આપ મધ્ય ગુજરાતમાં પડેલા પ્રારંભિક ફટકાથી જ હવે હાર સ્વીકારવા તૈયાર છો? જવાબમાં હરિન પાઠકે કહ્યું કે અરે ભઈ હું હમણા બીજી ચેનલ પર ભાજપ ૯૦ સીટો પર આગળ છે ને કોંગ્રેસ ૫૫ પર એવું જોઈને આવ્યો છું. કલ્લાક રાહ જુવો અમે જ જીતીશું. એટલે આઈબીએન સેવને કહ્યું કે ના ના અમારી પાસે રૂઝાન છે એ પ્રમાણે તમે હારી રહ્યા છો….પછી વાત સ્ટુડિયોમાં આવી જ્યાં આ ચેનલના એન્કરે કહ્યું કે ભાજપ હાર સ્વીકારવા તૈયાર નથી. પેલા રાજનીતીક દાઢીધારી વિશ્લેષકે કહ્યું કે હું અત્યારે મોદીની બાજુમાં બેસીને પરિણામો જોઈ રહ્યો હોત તો ચોક્કસ ટેન્શનમાં હોત, બાજી સરકી રહી છે….
મજાની વાત એ છે કે હરિન પાઠક અને બીજા ગુજરાતીઓ ઈ ટીવી જોતા હતા જેમાં સ્પષ્ટ રીતે ભાજપ આગળ દેખાતુ હતુ જ્યારે આઈબીએન સેવન અને આજતક ભરતસિંહ સોલંકીને મુખ્યમંત્રી બનવાના ખ્વાબ દેખાડતા હતા અને લોકોને મીસઈન્ફર્મેશન આપતા હતા. બદમાશો પરિણામના દિવસે પણ જૂઠ બતાવતા હતા અને પરિણામ પછી પણ ગોધરા ગોધર ને મોત કા સોદાગરની ચર્ચાઓ કર્યા કરે છે.
બદમાશ મિડિયા પણ ચતુર પ્રજા
મિડિયાએ સમજવુ જોઈતુ હતુ કે એને જે ક્લાસ માટે એડવર્ટાઈઝ મળે છે(કે જેનાથી મિડિયા ચાલે છે અને રાજદીપ સરદેસાઈ, વિનોદ દુવા વગેરેને પગાર મળે છે), મિડિયાનો જે કસ્ટમર ક્લાસ છે એ બધો મીડલ ક્લાસ, રીચ ક્લાસ, યંગ ક્લાસ, શહેરી અને સેમી અર્બન ક્લાસ છે જે મોદીને ચાહે છે. તેથી મિડિયાએ મોદી તરફી બનવા જેવુ હતુ પણ મિડિયા ઉંધુ જ ફાટ્યુ અને આજે કોંગ્રેસ ગણતરીના આદિવાસી, ગ્રામ્ય અને મુસ્લિમ વિસ્તારોમાં જીતી છે ત્યારે મિડિયાનું રેલેવન્સ હવે આ લોકોમાં રહ્યું છે.
મિડિયાના મોદી હારશે એવા ભય પ્રચારથી ઉલટો મોદીને લાભ એ રીતે થયો કે વધુ ને વધુ લોકો મોદી કદાચ હારશે ભઈ ચલો વોટ આપવા જઈએ અને જીતાડીએ એમ વિચારીને મત આપવા નીકળ્યા અને લાઈનો લગાવીને મતો આપ્યા. જે વિસ્તાર પાટીદાર પ્રભુત્વવાળો હોય ત્યાં લોકો મતો આપવા નીકળ્યા કે કદાચ પાટીદારો મોદી સામે મતદાન કરે તો ? ચાલો આપણે મોદીને બચાવવા મતદાન કરવા નીકળીએ ને બધુ સરભર કરીએ. મિડિયાના અને મોદી વિરોધીઓના અપપ્રચારની આ અસર થઈ.
હું થોડા વખત પહેલા લખી ગયો હતો કે પત્રકારો સારા પત્રકાર બનશે એવી આશા છોડી દો. વાંચકો તમે જ સારા વાંચક બનો. ચતુર વાંચક બનો. અને ૨૩ ડિસેમ્બરે આવેલા ચૂંટણી પરિણામો કહે છે કે તમે ગુજરાતીઓ સારા વાંચક ૨૦૦૨માં ય હતા, ૨૦૦૭માં ય છો અને હરહંમેશ રહેશો. જય ગુજરાત.
![]() |
હાર જીત ઉડતી નજરે
23-12-2007
શંશંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાતના મેઘરજમાં જીત્યા છે. એવી સ્ટ્રોંગ વાત હતી કે નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વચ્ચે એ બાબતે સમધાન થયેલુ હતુ કે મહેન્દ્રસિંહ આ બેઠક જીતે. આના માટે જ સામે નબળા સીટીંગ મહિલા ધારાસભ્યને સખત એન્ટી ઈન્કમ્બન્સી છતા ઉભા રખાયા હતા.
-ચૂંટણીના સૌથી પૈસાદાર ૨૨૧ કરોડની સંપત્તિ ધરાવનાર ઉમેદવાર, કેલિફોર્નિયાના હોટેલ માલિક એનઆરઆઈ સીકે પટેલ હિંમતનગરથી ચૂંટણી હારી ગયા છે. સીકે પટેલ માણસ સારા પણ પક્ષ ખોટો પસંદ કર્યો. ઉત્તર ગુજરાતના શહેરી વિસ્તારમાં મોદીત્વના વાવાઝોડામાં આ સારો ઉમેદવાર હારી ગયો.
-ભીલોડામાંથી ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજના બ્લુ આઈડ બોય વિપુલ ચૌધરી ચૂંટણી હારી ગયા છે. વિપુલ ચૂંટણી પહેલા જ થોડા સમય અગાઉ ભાજપમાં જોડાયો હતો અને સોદાબાજીના ભાગ રૂપે તેનું ડેરીના હોદ્દાનું સસ્પેન્શન મોદીએ દૂર કરાવ્યુ હતુ.
-કોંગ્રેસના નરેશ રાવલ મહેસાણામાં હાર્યા છે. કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર દ્વારા ઓએનજીસીમાં મલાઈદાર પદે નીમાયેલા રાવલ પોતાનો પરંપરાગત વિજાપુર મતવિસ્તાર બદલીને હારને જીતમાં પલટવા મહેસાણા આવ્યા પણ તેથી મહેસાણાના કોંગ્રેસીઓને વાંધો પડ્યો. નરેશ રાવલ યુક્તા મુખીને અને કુસુમ સિરિયલની હિરોઈનને લઈ આવ્યા ને બહુ પ્રચાર કર્યો ને પૈસો ખર્ચ્યો પણ હાર્યા.
-ભાજપના અનિલ પટેલ પૈસાદાર માણસ, એટલે સમાજને કંઈક આપવા નીકળ્યા હોય એવી તેમની છાપ. અંગ્રેજી બોલી શકે અને ડેલીગેશનમાં શોભે એવા ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ અને એજ્યુકેશનીસ્ટ. મહેસાણા બેઠક પર ભાજપની સારી જીત.
-સિદ્ધપુર બેઠક પર ભાજપના જયનારાયણ વ્યાસ જીત્યા છે. ગુજરાતનો પક્ષ કડકડાટ અંગ્રેજીમાં ગુજરાત વિરોધીઓ સામે રાખવા માટે આ માણસ ટીમમાં હોવો જરૂરી છે. બહુ જ સારી જીત.
-સૂગિયા મોઢા વાળા અને એવા જ સ્વભાવ વાળા તથા ભ્રષ્ટાચાર અને અણઆવડતથી પંકાયેલા આનંદી બહેન પટેલ પાટણમાં હારતા હારતા જીતી ગયા. મોદીત્વને કારણે.
-મોદી વિરૂદ્ધ બેફામ બોલનાર ભાજપના સસ્પેન્ડેડ ધારાસભ્ય કે જે આ વખતે ખેરાળુના કોંગ્રેસના ઉમેદવાર હતા તે રમીલાબહેન દેસાઈ હાર્યા છે. મોદીને હાશ થઈ હશે.
-ઉત્તર ગુજરાતના વડગામથી બોલવામા છુટ્ટા અને આખાબોલા ફકીરભાઈ વાઘેલા જીત્યા છે. પાછલી વખતે દસાડામાં હાર્યા હતા. જીત્યા હોત તો મંત્રી હોત. અગાઉ મંત્રી હતા. દલિત નેતા તરીકે જાણીતા છે. હવે ફરી ધારાસભ્ય બનીને પોલીટીક્સમાં પાછા. મંત્રી બનવાની આશા રાખશે. એમના દીકરા બાપાના નામે ટંટો કરતા ભૂતકાળમાં છાપામાં ચમક્યા હતા. બાપે દીકરાઓનો પક્ષ લીધો હતો.
-ઉત્તર ગુજરાતમાં પાલનપુરમાં નરેન્દ્રભાઈએ તેમના નાનપણના મિત્ર ગોવિંદ પ્રજાપતિને ભાજપમાંથી ઉભા રાખ્યા અને ગોવિંદભાઈ જીતી ગયા છે.
- છાપાવાળાઓ જેમની પાછળ પડી ગયા હતા એ ખાડિયાના અશોક ભટ્ટ વધુ માર્જીનથી જીત્યા છે. સામો ઉમેદવાર ચેતન રાવલ એગ્રેસીવલી ચૂંટણી લડતો ન હતો. અશોકભાઈ આ વિજય સાથે એક જ મતવિસ્તારમાંથી સૌથી વધુ વખત એમએલએ બનવાનો રેકોર્ડ તોડી રહ્યા છે એવો એમનો દાવો છે. મોદીની ટીમમાં આ શિયાળ જરૂરી છે.છાપાવાળાઓએ પહેલા તો અશોકભાઈને ટીકીટ જ નહી મળે એમ ચલાવ્યુ હતુ. પછી અશોકભાઈ જીતશે જ નહી એમ ચલાવ્યુ હતુ. એટલી હદે કે અશોક ભટ્ટને ય થાય કે હું હારવાનો છું.
-અમદાવાદના કોટ વિસ્તારમાંથી હિંદુઓ ઓછા થતા જાય છે. એટલે હવે અમદાવાદના જમાલપુર, કાલુપુર પછી શાહપુર પણ કન્ફર્મ મુસ્લિમ સીટ બની ગઈ છે. શાહપુરમાં ભાજપના કૌશિક પટેલ હાર્યા છે. તેઓ મહેસૂલ મંત્રી હતા. કૌશિકભાઈએ કોંગ્રેસના મુસ્લિમ મતો તોડવા જે મુસ્લિમ ઉમેદવારો વચ્ચે ઉભા રાખ્યા એમને મુસ્લિમોએ મત ન આપ્યા. મુસ્લિમ મતો સજ્જડ રીતે કોંગ્રેસ સાથે જ રહ્યા. ગોધરા મામલે મુસ્લિમોની તરફેણમાં મોદી સામે કેસ લડતા ને સેક્યુલર ચળવળ ચલાવતા મુકુલ સિંહા અહીં અપક્ષ ઉભા હતા એમને પાંચસો વોટ પણ નથી મળ્યા. અહીંથી સોનિયા દે નામનો વ્યંઢળ પણ ઉભો હતો જે કહેતો હતો કે કમલ કો નહી કમલાકો પંજે કો નહીં છક્કેકો વોટ દો એ પણ હાર્યો છે.
-કાલુપુરમાં અમદાવાદના પેજ થ્રી ઉદ્યોગપતિ ગીરીશ દાણી હાર્યા છે. કાલુપુરમાં એક સમયે ભાજપ જીતી શકતુ હતુ પણ પછી હિંદુઓ ઓછા થયા ને કોંગ્રેસની મુસ્લિમ સીટ બની ગઈ. ગિરીશ દાણીએ એલિસબ્રીજ લડવુ હતુ પણ મોદીએ કાલુપુર ઓફર કર્યુ ને દાણીએ સ્વીકાર્યુ.કાલુપુરમાં કોંગ્રેસના મુસ્લિમ મતો તોડવા વચ્ચે બીજા મુસ્લિમ ઉમેદવારો ઉભા રાખ્યા પણ મુસ્લિમોએ સજ્જડ રીતે કોંગ્રેસને જ મત આપ્યા. એક વ્હોરા મુસ્લિમ ઉમેદવાર પણ ગિરીશભાઈએ ઉભો રાખ્યો હતો કે જેથી વ્હોરાઓના ચાર પાંચ હજાર મત કોંગ્રેસને ઓછા મળે પણ વ્યોરાઓના ધર્મગુરૂએ કોંગ્રેસને મત આપવાનું કહેતા આ દાવ પણ સફળ ન થયો અને ગીરીશભાઈ હાર્યા.
-અમદાવાદ જિલ્લાની ધોળકા બેઠક પર મંત્રી બન્યા પછી ખૂબ જ પૈસાદાર થયેલા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ભાજપમાંથી હાર્યા છે. કોળીઓના ગ્રામીણ મતોએ તેમને ફરીએક વખત મંત્રીમાંથી કશું જ નહીં બનાવી દીધા.
-અમદાવાદ જિલ્લાની વીરમગામ બેઠક પર ભાજપે કાઢી મૂકેલા સુરેન્દ્રનગરના સાંસદ સોમા ગાંડા પટેલનો દીકરો કોંગ્રેસમાંથી ઉભો હતો એ હાર્યો છે. કોળીઓના મત જાણે ખિસ્સામાં હોય એમ આ સોમા ગાંડા પટેલ એન્ડ સન્સ માનતા હતા અને એલફેલ બોલતા ફરતા હતા. જનતાએ પરચો દેખાડ્યો.
-પેલા અમદાવાદના સાબરમતી મતવિસ્તારમાંથી લગાતાર હારતા કોંગ્રેસી નરહરી અમીને આ વખતે મતવિસ્તાર બદલ્યો અને ખેડાના માતરમાં લડ્યા. એમની સામે કોંગ્રેસના અસંતુષ્ટ વ્યક્તિને ભાજપે ટિકીટ આપી અને ભાજપ જીતી ગયુ. ભાજપી ઉમેદવાર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો ખાસ માણસ છે.
-સંતરામપુરમાં મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના રાષ્ટ્રિય નેતા દિગ્વિજયસિંઘ કે જે ગુજરાતના હિંદુ આતંકવાદ વિશે બોલ્યા હતા એમના જમાઈ કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા છે.
-કરજણ બેઠક પર ભાજપના ઉમેદવાર ગુજરાતી ફિલ્મ સ્ટાર નરેશ કનોડિયા હાર્યા છે.
-વડોદરામાં બેસ્ટ બેકરી કાંડની ગવાહ જહીરા શેખને પૈસા આપીને તીસ્તા સેતલવાડના સેક્યુલર કેમ્પમાંથી હિંદુ તરફી કેમ્પમાં લઈ આવવાનુ ઓપરેશન કરનાર મુછછડ ભૈયા ભાજપી મધુ શ્રીવાસ્તવ જીત્યા છે. ઈરફાન પઠાણને ૧૧૧૧૧૧નો ચેક આપીને વિવાદમાં પડનાર ભાજપના ઉપેન્દ્રસિંહ પણ જીત્યા છે.
-પેલા ભાજપના બળવાખોર અને માયાવતીને ગુજરાત લાવનાર બસપામાં જોડાયેલા કેશુ સમર્થક નલિન ભટ્ટ હાર્યા છે.
-ડભોઈ બેઠક પર ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલ જીત્યા છે.
-ગોધરામાં ભાજપના પ્રભાતસિંહ ચૌહાણ હાર્યા છે.કાલોલમાં તેમનો અપક્ષ પુત્ર હાર્યો છે.
-સૌરાષ્ટ્રની બોટાદ બેઠક પર પાંસઠ કરોડના આસામી, ભાજપના સૌરભ દલાલ જીત્યા છે. એમની સામે પૈસાદાર મજબૂત કોળી ઉમેદવાર પીઠાવાલા હાર્યા છે. સૌરભભાઈ તો મોદી સરકારની ટીમમાં હોવા જ જોઈએ એવા મંત્રી છે કે જેમણે ખોટમાં જતા ગુજરાત ઈલેક્ટ્રીસીટી બોર્ડને નફો કરતુ કર્યુ. મફત વીજળી ખાતા મુસ્લિમ વીજમાફિયાઓ પાસે બિલ ભરાવ્યા અને ગામે ગામ વીજળી આપી. સૌરભભાઈ પાસે એટલા બધા પૈસા છે કે સમાજ પાસેથી લેવા નહી પણ આપવા રાજકારણમા આવ્યા છે. સારી જીત.
-પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા જીતી ગયા છે.
-ધ્રાંગધ્રામાં મોદીના ખાસમખાસ મંત્રી આઈકે જાડેજા ચૂંટણી હારી ગયા છે.
-જામજોધપુરમાં કોંગ્રેસના બ્રિજરાજસિંહ જાડેજા માત્ર સત્તર મતોથી જીતી ગયા છે. લુણાવાડામાં કોંગ્રેસના હીરાભાઈ પટેલ માત્ર ૮૪ મતોથી જીત્યા છે.
-અમરેલીમાં ૨૦૦૨માં પુરૂષોત્તમ રૂપાલાને હરાવનાર યુવાન કોંગ્રેસી પરેશ ધાનાણી ભાજપના દિલીપ સાંઘાણી સામે ચૂંટણી હારી ગયા છે.દિલીપ સાંઘાણીના મંત્રી બનવાના યોગ દેખાઈ રહ્યા છે.
-ટિકીટ ન મળતા ભાજપમાંથી રાજીનામુ આપનાર બે ભૂતપૂર્વ ધારાસભ્યો વઢવાણના ધનરાજ કેલ્લા અને ભાવનગરના સુનીલો ઓઝા હારી ગયા છે.
-કોંગ્રેસના વાત કરવા ગમે એવા એક નેતા શક્તિસિંહ ગોહિલ ભાવનગરમાંથી જીતી ગયા છે.
-લીમખેડામાંથી કોંગ્રેસના એક માત્ર મહિલા ધારાસભ્ય ચંદ્રિકાબહેન બારિયા જીત્યા છે. ભાજપમાંથી પંદર મહિલાઓ જીતી છે.
-કોઈ પણ પક્ષથી ઉભા રહીને કે અપક્ષ પણ લડીને જીતી શકતા કોંગ્રેસી પાટીદાર આગેવાન વિઠ્ઠલ રાદડિયા જીતી ગયા છે. એમનો દીકરો રાજકોટ-૨ની બેઠક પર કોંગ્રેસમાંથી હારી ગયો છે.અગાઉની ચૂંટણીમાં એમની પત્નીને બીજેથી ઉભી રાખી હતી એ પણ હારી હતી.
-જામનગરના કમિશનરપદેથી રાજીનામુ આપીને ધ્રોલ-જોડિયા બેઠક પર ભાજપમાંથી ચૂંટણી લડનાર બી એચ ઘોડાસરા હાર્યા છે. તેઓ મોરબીની અજંટા ઓરપેટ ઘડિયાળ-કેલ્ક્યુલેટર બનાવનારી કંપનીના માલિકના જમાઈ થાય છે.
-લાઠીમાં ભાજપના સસ્પેન્ડેડ અસંતુષ્ટ, કેશુભાઈ ગ્રુપના બેચર ભાદાણી ખરાબ રીતે હાર્યા છે. તેઓ કોંગ્રેસની સીટ પર ઉભા હતા.
-કેશુભાઈનો ગઢ કહેવાતા એમના જ જૂના મતવિસ્તાર વિસાવદરમાં કેશુભાઈ ગ્રુપે કોંગ્રેસમાંથી લડાવેલો ઉમેદવાર હારી ગયો છે અને ભાજપના ઉમેદવારની જીત થઈ છે. આ વિસ્તાર લેઉવા પાટીદારોનો સ્ટ્રોંગ વિસ્તાર છે.
-ભાજપના અસંતુષ્ટ કેશુભાઈ ગ્રુપના પાટીદાર બાવકુ ઉઘાડ કોંગ્રેસમાંથી ઉભા રહીને સારા એવા માર્જીનથી જીત્યા છે.
-ભાજપના અસંતુષ્ટ કેશુભાઈ ગ્રુપના પાટીદાર બાલુભાઈ તંતી કોંગ્રેસમાંથી ઉભા રહીને હાર્યા છે.
-મને મત નહી આપો તો આપઘાત કરીશ એમ કહેનાર માંગરોળના કોંગ્રેસી ઉમેદવાર ચંદ્રિકાબહેન ચુડાસમા હાર્યા છે.
-ડાંગની આદિવાસી સીટ પર ભાજપ આશ્ચર્યજનક રીતે સૌપ્રથમ વખત જીત્યુ છે
-સુરતની તમામ સીટો ભાજપ જીત્યુ છે.નરેન્દ્રભાઈ વિરૂદ્ધ રણશિંગુ ફૂંકનાર ગજેરા હાર્યા.કાશીરામ રાણાની આંખોના તારા જેવી સુરત પૂર્વ સીટ પર એમનો કોંગ્રેસી ઉમેદવાર હાર્યો
![]() |
ગુજરાત વિરોધી ફિલ્મમેકરની શાબ્દિક ટપલાબાજી કરવાની મજા આવી
22-12-2007
વીસ ડિસેમ્બરે બપોરે ત્રણ વાગ્યે અમદાવાદમાં મુકુલ સિંહાના જનસંઘર્ષ મંચના કાર્યાલય પર ગુજરાતના એન્કાઉન્ટર પર શુભ્રદીપ ચક્રવર્તી નામના સ્વતંત્ર ફિલ્મ મેકરે બનાવેલી ફિલ્મનું નિદર્શન જેને જોવા માટે અમને પત્રકારોને બોલાવવામાં આવ્યા હતા. ફિલ્મમાં સોહરાબુદ્દીન, ઈશરત, જાવેદ, સમીર વગેરે જે લોકો એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે તેમના પરિવારજનોની વગેરેની મુલાકાતો બતાવવામાં આવી હતી. ફિલ્મ પૂરી થઈ પછી ફિલ્મ બનાવનાર શુભ્રદીપ ચક્રવર્તી પત્રકારો સામે પ્રશ્નોના જવાબ આપવા બેઠા.
મેં સવાલો શરૂ કર્યા. મેં પૂછ્યુ કે શું આ આપની પહેલી ફિલ્મ છે? તો શુભ્રદીપે જવાબ આપ્યો કે ના આ પહેલા એક ફિલ્મ બનાવી હતી. મેં પૂછ્યું એ ફિલ્મ કયા વિષય પર હતી? શુભ્રદીપે કહ્યું કે ગોધરા વિશે હતી જેનું નામ ગોધરા તક હતું. મેં પૂછ્યું કે શું આપને નરેન્દ્ર મોદી વિરૂદ્ધ જે પણ હોય એવા વિષયો જ ફિલ્મ બનાવવાઅ આકર્ષિત કરે છે? શુભ્રદીપે કહ્યું કે તે કોલેજમાં હતો ત્યારથીજ તેને કોમ્યુનાલીઝમના વિષયમાં રસ પડે છે. જેમ પત્રકારોની એક બીટ હોય છે એમ તે પોતે પણ પત્રકાર છે અને તેની બીટ આવા પ્રકારના વિષય છે.હવે પછીની ફિલ્મ તે કોંગ્રેસની વિરૂદ્ધ જાય એવી દક્ષિણ ભારતમાં બનાવવાનો છે. મેં પૂછ્યું કે આ ફિલ્મો બનાવો છો એની પાછળનું ઈકોનોમીક્સ શું છે? તો શુભ્રદીપે ગોળ ગોળ જવાબ આપ્યો. પછી ધ હિંદુના પત્રકાર વચ્ચે પડ્યા અને કહ્યું કે આ જેપીએ બહુ સ્પષ્ટ પ્રશ્ન પૂછ્યો છે કે તમારુ ફિલ્મ બનાવવા પાછળનું ઈકોનોમીક્સ શું છે તો એનો જવાબ આપોને ? શુભ્રદીપે કહ્યું કે તે આખા ભારતમાં પત્રકારો સમક્ષ સ્ક્રીનીંગ કરશે અને તેથી ડોક્યુમેન્ટરી પ્રસિદ્ધ થયા પછી તેને વેચશે. મેં પૂછ્યું કે પાછલી ફિલ્મ ગોધરા તકની કેટલી સીડી વેચી? શું કિંમતે વેચી? વેચવાથી પાછલી ફિલ્મનો ખર્ચો નીકળ્યો? સ્ક્રીનીંગ માટે આખા ભારતમાં ફરવાનો, આ ફિલ્મ
















