| તેંડુલકરે ચેન્નાઈમાં ટીમની સાથે ૩૫મો જન્મદિવસ ઉજવ્યો |
|
|
|
| રમત જગત | |
| द्वारा/by : Neel | |
| Friday, 25 April 2008 | |
|
જોકે, ૩૪મા કે ૩૫મા વર્ષની વચ્ચેનું એક વર્ષ તેમના માટે મિશ્ર રહ્યું હતું. હવે ક્રિકેટ વિવેચકો અને વર્તુળો નજીકના ભવિષ્યમાં તેમની નિવૃત્તિની આગાહી કરી રહ્યા છે. અગાઉના વર્ષે વર્લ્ડકપમાં ભારતીય ટીમની વહેલી વિદાય બાદ તેના સહિત તમામ ક્રિકેટરોની આકરી ટીકા થઈ હતી. એ પછી તેણે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં સારું પ્રદર્શન કરીને તમામને બોલતી બંધ કરી દીધી હતી. ટેસ્ટમાં ૩૯ અને વન-ડેમાં ૪૨ સદીઓ ફટકારનાર સચિન તેંડુલકર હવે જે પણ ઇનિંગ રમે છે અને રન કરે છે તેનો સમાવેશ રેકોર્ડમાં થાય છે. તેંડુલકરે સમચોરસ આકારનો કેક કે જેના પર મુંબઈ ઇન્ડિયન્સનો લોગો છાપેલો હતો તેને કાપતાં જ તેની ટીમના સાથી ખેલાડીઓએ તેને વધાવી લીધા હતા. આ પ્રસંગે કોમેન્ટેટર હર્ષા ભોગેલેએ 'તેંડુલકર' શીર્ષક ધરાવતું એક પુસ્તકનું પણ વિમોચન કર્યું હતું. આજે બે સાથી ખેલાડીઓ લ્યુક રોંચી અને વિક્રાંત પેલિગરીનો પણ જન્મ દિવસ હતો. તેઓ પણ આ સમારોહમાં તેંડુલકર સાથે જોડાયા હતા. રોંચી ૨૭ અને પેલિગરી ૨૩ વર્ષનો થયા હતા. આ પ્રસંગે તેંડુલકરે પોતાના કુટુંબ સાથે નહિ હોવા બદલ થોડોક નિસાસો નાખ્યો હતો. મારી ઇચ્છા હોય છે કે હું મારો જન્મદિવસ મારી પત્ની અને બાળકો સાથે ઊજવું પરંતુ તેવું શક્ય ન બન્યું. હવે તેઓ મને આવતી કાલે મોહાલીમાં મળશે. આજે તેને સૌથી સારી ભેટ શું મળી ? તેવા સવાલના જવાબમાં તેમણે ઉમેર્યું હતું કે, મારા ચાહકો અને સાથી ખેલાડીઓની શુભેચ્છાઓ જ મારા માટે સૌથી મોંઘી ભેટ છે. મને આશા છે કે હું આ વર્ષે સારું પ્રદર્શન કરીશ.
Set as favorite
Bookmark
Email This
Hits: 84 Comments (0)
![]() Write comment
|
|
| आखरी बार संपादन किया गया ( Friday, 25 April 2008 ) | |
| < पिछला | अगला > |
|---|