લવ જેહાદ અને ધર્માંતર સામે ડીસામાં રોષ ફાટી નીકળ્યો, હજારો લોકો રસ્તા પર ઉતર્યા
September 03, 2022
ડીસાઃ ઉત્તર ગુજરાતના ડીસામાં આજે હજારો લોકોએ પ્રચંડ રેલી યોજીને લવજેહાદ અને ધર્માંતર વિરુદ્ધ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
અહેવાલ અનુસાર ડીસાના માલગઢ ગામે માળી સમાજની એક દીકરીને લવ જેહાદમાં ફસાવ્યા બાદ દીકરીના સમગ્ર પરિવારનું ધાકધમકીથી ધર્માંતર કરાવી દીધું હતું. જેહાદીઓ આટલેથી અટક્યા નહોતા અને માળી પરિવારના મોભી પાસે રૂપિયા 25 લાખની માગણી કરી હતી. પરંતુ તેઓ એ રકમ ચૂકવી શકે તેવી સ્થિતિમાં નહીં હોવાથી હતાશ થયેલા મોભીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેને પગલે માળી સમાજ સહિત સમગ્ર ડીસા પંથકમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.
डीसा :#लव_जिहाद के खिलाफ जन आक्रोश रैली.
स्थानीय बीजेपी विधायक के साथ हिन्दू संगठनों द्वारा रैली का आयोजन किया गया.
मुस्लिम शख्स ने हिन्दू युवती से शादी की,लड़की और उसकी मां का धर्मपरिवर्तन कराया जिसका
लड़की के पिता ने विरोध किया था और फिर खुदकुशी का प्रयास किया था. pic.twitter.com/ExbQSfiTYP— Janak Dave (@dave_janak) September 3, 2022
અહેવાલ અનુસાર નારાજ હિન્દુઓએ શનિવારે ડીસા બંધનું એલાન આપ્યું હતું એટલું જ નહીં પરંતુ ખૂબ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રેલી યોજી હતી. સ્થાનિક ભાજપના ધારાસભ્ય સાથે હિન્દુ સંગઠનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું.
અન્ય એક અખબારના અહેવાલ અનુસાર હિન્દુઓ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનમાં ડીસાના સ્થાનિક વેપારીઓ તેમજ વેપારી સંગઠનો – ડીસા ગંજબજાર, ડીસા શાક માર્કેટ તથા કોલ્ડ સ્ટોરેજ એસોસિયેશન, કાપડ બજાર, સોની બજાર ઉપરાંત વિવિધ ધાર્મીક અને સામાજિક સંગઠનોએ ટેકો જાહેર કર્યો હતો એટલું જ નહીં પરંતુ તમામ લોકો આક્રોશ રેલીમાં પણ જોડાયા હતા.
દેશ ગુજરાત
Recent Stories
- Hindu Woman Beaten to Death at Bhavnagar ST Bus Stand; Live-in Partner Held
- Centre to Acquire 94.48 Hectares for NH-27 Widening Project in Gujarat
- Mould Found in Kaju Katri Before Expiry, 11.5 Kg Stock Destroyed in Jamnagar
- Osia Mall Directors Booked in ₹16 Cr Cheating Case; 250+ Traders File ₹250 Cr Claims Before NCLT
- Gujarat Celebrates Janmashtami Today, Marking Bhagwan Krishna’s 5253rd Birth Anniversary
- Gujarat Govt Approves Changes to 5 TP Schemes in Ahmedabad, Surat, Navsari
